________________
ઓજ ખેડી શકે. એક બાજુ સાધુ-સાધ્વીજીઓની સરસપુર સંઘ પ્રત્યેની ચાહના. બીજી બાજુ તેમને રાખવા માટેના મ્યુ. તરફથી થતા અંતરાયો. કાંતે ધર્મ પ્રત્યેની મમતા કાંતો ધન પ્રત્યેની મમતા. બન્નેમાંથી એક સ્વીકારવાનું હતું. તે પણ કેઈની સહાય વિના મધ્યમ વર્ગના એક માનવીને પોતાના ગજા ઉપરાંતનું સાહસ ખેડવાનું હતું. સાહસ ખેડે તે જ આ કાર્ય થાય એમ હતું. શ્રી ભોગીભાઈએ વિચાર્યું કે જે કુદરતની ઈચ્છા આ ઉપાશ્રય બાંધવામાં મને જ નિમિત્ત બનાવવા માંગતી હોય તે આ લાભ મારે શા માટે જતે કરે ? ધન તે પુણ્યને આધીન છે. પુણ્ય હોય ત્યાં સુધી જ લક્ષમી ટકે છે. “ધર્મ કરતાં કેઈની લાજ ગઈ નથી જાણી શ” એ ઉક્તિ મુજબ વિચાર કરી પોતે ઉપાશ્રય બંધાવવા નિર્ણય કર્યો. પોપકોર ખાતર તન, મન અને ધનનું સમર્પણ કરનાર આવા વિરલા તે કઈકજ હોય છે. તેઓશ્રીના ત્રણ સુપુત્રો છે. જયંતીભાઈ, દિનેશભાઈ અને રમણભાઈ તે ઉપરાંત છોટાભાઈને લક્ષ્મણભાઈ તથા શકરાભાઈને અરવિન્દભાઈ નામે સુપુત્રો છે. આ બધાં ભાઈઓમાં પણ તેમના પૂર્વજોને વારસે અત્યારથી જ પ્રજવલિત દેખાય છે. આજે પૂજ્ય આચા“શ્રી દ્વારા જે અપૂર્વ સાહિત્ય-લેખનનું કાર્ય સરસપુર મુકામે સમિતિ કરાવે છે. તેમાં પણ શ્રી ભેગીભાઈને સાર એ હિસે છે અતિથિ, તથા સ્વધર્મિ બધુએ પ્રત્યે જે વાત્સલ્ય છે, તે અપૂર્વ છે, તે જ કાયમ માટે રહે તેમ પરમપાલ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. આ ઉપરના કાર્યને સુંદર બનાવવામાં તેમના ભાઈ છોટાલાલભાઈ તથા શકરાભાઈ તેમજ રતિલાલભાઈ આદિ સરસપુર શ્રી સંઘે પણ ખૂબ સહકાર આપ્યું છે ને આપી રહ્યા છે. તે બદલ તે સૌને ધન્યવાદ ઘટે છે.
શ્રી જોગીભાઈએ આ ઉપાશ્રયના બાંધકામનું સાહસ ખેડયું, અને શાસનદેવની કૃપાથી હેમખેમ કેઈ પણ જાતની અડચણ શીવાય કાર્ય પૂર્ણ થયું. જાણેકે છગનભાઈનું અધુરૂં કાર્ય પૂર્ણ થએલું જેવાજ જીવ્યાં હોય તેમ ઉપાશ્રયનું કામ આ બાજુ પૂર્ણ થયું અને શ્રી ભેગીભાઈનાં માતુશ્રી જમનાબેન ર૦૧૩ના રામનવમીના રોજ દેવલોક પામ્યાં. તેઓની સેવા સૌ ભાઈઓએ બનતા પ્રયાસે ઘણું સારી રીતે કરી.
કુદરતની વાત ન્યારી છે. એક બાજુ અનુકુળતાવાળ ઉપાશ્રય- તૈયાર છે. બીજી બાજુ શાસ્ત્રોદ્ધાર સમિતિએ પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબને શાસ્ત્રોદ્ધારનું ભગીરથ કાર્ય અમદાવાદ મુકામે રહીને કરવા વિનંતિ કરી. પૂજ્યશ્રીએ માન્ય રાખી. સમિતિના સદૂગ્રહસ્થ આમંત્રણ તે આપી આવ્યા પણ સ્થળની ધમાં પડયા. જોગાનુજોગ તેમની દષ્ટિ સરસપુરના ઉપાશ્રય ઉપર પી.