________________
હ
રાતાવધાની મુનિશ્રી જયંતિલાલજી મહારાજશ્રીના અમદાવાદના પુત્ર સ્થાનકવાસી જૈન ‰ તા. ૫-૯-૫૭ ના અંકમાં છપાએલ છે જે નીચે મુજબ છે.
44
સૂત્રેાના મૂળ પાઠામાં ફેરફાર હાઈ શકે ખરો ?
તા. ૭-૮-૫૭ના રાજ અત્રે બિરાજતા શાસ્ત્રોદ્ધારક આચાર્ય મહારાજશ્રી ઘાસીલાલજી મહારાજ પાસે, મારા ઉપર આવેલ એક પત્ર લઈને હું ગયા હતા, તે સમયે મારે પૂ મ. સા. સાથે જે વાતચીત થઈ તે સમાજને જાણુ કરાવા સારૂ લખું છું.
૮ શાસ્ત્રોનું કામ એક ગહન વસ્તુ છે. અપ્રમાદી થઈ તેમાં અવિરત પ્રયત્ના કરવા જોઈએ. સપૂર્ણ શાસ્ત્રોનુ જ્ઞાન તેમજ દરેક પ્રકારની ખાસ ભાષાઓનું જ્ઞાન હાય તેજ આગમાદ્ધારકનું કાર્ય સફળતાથી થાય છે. આ પ્રકારના પ્રયત્ન હાલ અમદાવાદ ખાતે સરસપુર જૈન સ્થાનકમાં બિરાજતા પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કરી રહ્યા છે. શાસ્ત્રલેખનનું આ કાય થઈ રહ્યું છે, તેમાં અનેક વ્યક્તિને અનેક પ્રકારની શંકાએ થાય છે તેમાં શાઓના મૂળ પાઠમાં ફેરફાર થાય છે? કરવામાં આવે છે? એવા પ્રશ્ન પણ કેટલાકને થાય છે અને તેવા પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે; કેમકે અમુક મુનિરાજો તરફથી પ્રગટ થયેલ સૂત્રાના મૂળ પાઠમાં ફેરફાર થયેલા છે. જેથી આ કાર્ય માં પણ સમાજને શકા થાય,
પણ ખરી રીતે જોતાં, અત્યારે જે શાસ્ત્રોદ્ધારનું કામ ચાલી રહ્યું છે તે વિષે સમાજને ખાત્રિ આપવામાં આવે છે કે, શાસ્ત્રોદ્ધાર સમિતિ તરફથી અત્યાર સુધીમાં પ્રગટ થયેલાં આગમાના મૂળ પાઠમાં જરાપણ ફેરફાર કરવામાં આવેલ નથી અને વિષ્યમાં જે સૂત્રેા પ્રગટ થશે તેમાં ફેરફાર થશે નહૂિ તેની સમાજ નોંધ લ્યે.
લી.
શતાવધાની શ્રી જ્યંત મુનિ-અમદાવાદ