________________
ફરી શાદ્ધારક પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજને એમની આ સેવા અને પરમ કલ્યાણકારક પ્રવૃત્તિને માટે વારંવાર અભિનંદન છે. શાસનનાયક દેવ તેમના શરીરાદિને સશક્ત અને દીર્ધાયુ રાખે જેથી સમાજ ધર્મની વધુ ને વધુ સેવા કરી શકે છે અસ્તુ.
ચાતુર્માસ સ્થળ લીંબડી | સં. ૨૦૧૦ શ્રાવણ વદ ૧૩ ગુરૂ સદાનંદી જૈનમુનિ છોટાલાલજી
શ્રી વર્ધમાન સંપ્રદાયના પૂજ્યશ્રીપુનમચંદ્રજી
મહારાજનો અભિપ્રાય શાસ્ત્રવિશારદ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ જૈન આગમ ઉપર જે સંસ્કૃત ટીકા વગેરે રચેલ છે તે માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે. તેમણે આગમો ઉપરની સ્વતંત્ર ટીકા રચીને સ્થાનકવાસી જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે, આગામે ઉપરની તેમની સંસ્કૃતટીકા ભાષા અને ભાવની દષ્ટિએ ઘણું જ સુંદર છે. સંસ્કૃતરચના માધુર્યો. તેમજ અલંકાર વગેરે ગુણોથી યુક્ત છે. વિદ્વાનોએ તેમજ જૈન સમાજના આચાર્યો, ઉપાધ્યાયે વગેરે એ શાસ્ત્રો ઉપર રચેલી આ સંસ્કૃતરચનાની કદર કરવી જોઈએ. અને દરેક પ્રકારને સહકાર આપવો જોઈએ.
આ મહાન કાર્યમાં પંડિતરત્ન પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે તે અલૌકિક છે. તેમનું આગમ ઉપરની સંસ્કૃત ટીકા વગેરે રચવાનું ભગીરથકાર્ય શીધ્ર સફળ થાય એ જ શુભેચ્છા સાથે.
અમદાવાદ તા. ૨૨-૪-૫૬ રવીવાર
મુનિ પુનમચંદ્રજી મહાવીર જ્યતિ ખંભાત સંપ્રદાયના મહાસતી શારદાબાઈ સ્વામીને અભિપ્રાય
લખતર તા. ૨૫-૪-૫૬ શ્રીમાન શેઠ શાંતીલાલભાઈ મંગળદાસભાઈ પ્રમુખ સાહેબ અખિલ ભારત - સ્થા. જૈન શાસૈદ્ધાર સમિતિ મુ. અમદાવાદ
અમે અત્રે દેવગુરૂની કૃપાએ સુખરૂપ છીએ. વિ. મા. આપની સમિતિ દ્વારા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જે સૂત્રોનું કાર્ય કરે છે તે પૈકીનાં સૂત્રોમાંથી ઉપાસક દશાંગસૂત્ર, આચારાંગસૂત્ર, અનુત્તરપપતિકસૂત્ર