________________
સુશ્રાવકે જગજીવનદાસભાઈ રતનશીભાઈનું જીવન ચરિત્ર
સૌરાષ્ટ્રમાં આવેલ વડોદરા રાજ્યના-દામનગર ગામમાં ધર્મપરાયણ બગડિયા વંશના ધર્મોહી દ્રઢધર્મો એવા રતનશીભાઈ નામના એક સદગૃહસ્થ રહેતાં હતાં તેઓ ઘણાં જ સરળ પ્રકૃતિનાં હતાં અને ધર્મમય જીવન ગાળવાં બાહ્ય કંપચથી-રહિત એવા દામનગરમાં વાણિજ્યવૃત્તિથી પિતાના કુટુંબને નિર્વાહ-ચલાવતા હતા.
તેમની ધર્મપરાયણ વૃત્તિને લઈ તેઓ સાધુ સંત મહાત્મા–તપસ્વી મુનિઓના સમાગમમાં અવારનવાર આવતાં રહેતાં અને તેમની વૈયાવચ કરવામાં હમેશાં તત્પર રહેતા. તેમણે સ્વ. પૂ–હીરાચંદજી મ. સા. ની પ્રેરણાથી મોટી ઉંમરે પ્રતિક્રમણ કંઠસ્થ–કરેલ અને વ્યાવહારિક જંજાળ ઓછી કરી લગભગ આખે-દિવસ ઉપાશ્રયે રહી સામાયિક પ્રતિક્રમણ ઉપવાસ, પષધ વિગેરે કરતાં રહેતાં
વ્યાવહારિક રીતે તે વખતના વડાદરા રાજ્યમાં અમરેલી પ્રાંતમાં સેશન કોર્ટમાં તેઓ બે વર્ષ માટે યુરર તરીકે નીમાયેલા.
આવા ધર્મપરાયણ રતનશીભાઈના ધર્મપત્ની મીઠીબાઈ પણ સરળ સ્વભાવી અને ધર્મપરાયણ હતા. તેમને મેટી ઉંમરે પ્રતિક્રમણ શીખવાની વૃત્તિ જાગતાં, નાની ઉંમરે જગજીવનભાઈ એ મુખપાઠ આપી પ્રતિક્રમણ શીખવાડેલું તેઓ કાયમ ચોવિહાર પિરસી તથા સારી તપશ્ચર્યા કરતાં અને ભદ્રિક પ્રકૃતિના હતા
આવા સુરા સ્કારી અને ધર્માનુરાગી માતાપિતાને ત્યાં જગજીવનદાસભાઈનો જન્મ સંવત ૧૯૬૦માં થયેલે કહ્યું છે કે-ગુવીનાં શ્રીમતાં હે ચોપૃષ્ઠોડમિનાય !
ધર્મયુક્ત અને પવિત્ર જીવન જીવનાર અને નીતિ પરાયણ–શ્રીમંતેને ત્યાં દિવ્યાત્માને જન્મ થાય છે તેમને બાહ્યકાલ સંસ્કારી માતાપિતાની છત્ર છાયામાં ઘણે જ આનંદ અને સુખપૂર્વક વીતેલ અને ગ્ય ઉમરે પહોંચતા સંતાનમાં એગ્ય સુરકારો દઢ થવા તેમજ વ્યાવહારિક રીતે પણ ઉપયોગી થાય એ હેતુથી અભ્યાસ માટે શાળામાં દાખલ કરેલ શાળામાં તેઓ અભ્યાસમાં હમેશ આગળ પડતા રહેતા. અભ્યાસમાં તેમની નિપુણતા જોઈ માતાપિતાએ, તેઓ ધાર્મિક કાર્યમાં પણ નિપુણ બને તે માટે તેમને જૈન શાળામાં મૂકેલ–ત્યાં તેમણે સામાયિક, પ્રતિક્રમણ, છ કાયના બોલ, નવતત્વવિગેરે શીખેલા આવી રીતે બાલ્યકાલથી જ માતાપિતાએ ધર્મબીજનું સિંચન કરવાથી તે ઉત્તરોત્તર વધતું ગયું અને તેમણે અનેક મુનિરાજો, મહાસતિઓને સમાગમ કરી તેમાં ધાર્મિક ગ્રંથનું વાચન કરી ધાર્મિકજ્ઞાન વધાર્યું તે હજી પણ ચાલુ જ છે. હાલમાં જ તેમણે ઉત્તરાધ્યયનસૂત્રના બત્રીસ અધ્યયને કંઠસ્થ-કરેલ છે.
ગ્ય ઉમરે પહોંચતા જગજીવનભાઈના ધર્મપરાયણ-માતાપિતાએ ધર્મપરાયણ એવા, જે કુંવરબેન સાથે તેમના લગ્ન કરાવ્યાં જે કુંવરબેન પણ ધર્મના સુસંસ્કાથી સંસ્કારવાળા