________________
૨૬
શ્રુત ભતિ
(પૂ. આચાર્ય શ્રી ઇશ્વરલાલજી મ. સા. ની આજ્ઞા અનુસાર લખનાર) દ. સ. ના જૈન મુનિ શ્રી દચાનંદજી મહારાજ
તા. ૨૩-૯-૫૬ શાહપુર, અમદાવાદ,
આજે લગભગ ૨૦ વર્ષોંથી શ્રદ્ધેય પરમપૂજ્ય, જ્ઞાન દિવાકર પ. મુનિશ્રી ઘાસીલાલજી મ. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર અનુપમ ન્યાય યુક્ત, પૂર્વાપર અવિરાધ, સ્વપર કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના દ્યોતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે. તેઓશ્રી પ્રાચીન, પાર્વાંત્ય સંસ્કૃતા િઅનેક ભાષાના પ્રખર પડિંત છે અને જિન વાણીના પ્રકાશ સસ્કૃત, ગુજરાતી અને હિન્દીમાં મૂળ શબ્દા, ટીકા, વિસ્તૃત વિવરણ સાથે પ્રકાશમાં લાવે છે એ જૈન સમાજ માટે અતિ ગૌરવ અને આનદના વિષય છે.
ભ॰ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી. પરંતુ તેમની વાણી રૂપે અક્ષરદેહ ગણધર મહારાજોએ શ્રુત પર પરાએ સાચવી રાખ્યા. શ્રુત પરંપરથી સચવાતુ જ્ઞાન જ્યારે વિસ્તૃત થવાના સમય ઉપસ્થિત થવા લાગ્યા ત્યારે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વલ્ભીપુર-વળામાં તે આગમાને પુસ્તકો રૂપે આરૂઢ કર્યાં. આજે આ સિદ્ધાંતા આપણી પાસે છે. તે અ માગધી પાલી ભાષામાં છે. અત્યારે આ ભાષા ભગવાનની, દેવાની તથા જનગણુની ધર્મ ભાષા છે. તેને આપણા શ્રમણે અને શ્રમણીએ તથા મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાએ મુખપાઠ કરે છે; પરન્તુ તેને અ અને ભાવ ઘણા ઘેાડાએ સમજે છે.
જિનાગમ એ આપણાં શ્રદ્ધેય પવિત્ર ધર્માંસૂત્ર છે. એ આપણી આંખેા છે. તેના અભ્યાસ કરવા એ આપણી સૌની–જૈન માત્રની ફરજ છે. તેને સત્ય સ્વરૂપે સમજાવવા માટે આપણાં સદ્ભાગ્યે જ્ઞાન દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજે સત્સ કલ્પ કર્યાં છે. અને તે લિખિત સૂત્રાને પ્રગટાવી શાસ્ત્રોદ્ધાર સમિતિ દ્વારા જ્ઞાન પરબ વહેતી કરી છે. આવા અનુપમ કાર્યમાં સકળ જૈનેાના સહકાર અવશ્ય હાવા ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્ના કરવા ઘટે.
ભ. મહાવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હું ભગવાન; સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? ભગવાન તેના પ્રતિ ઉત્તર આપે છે કે શ્રુતની આરાધનાથી જીવેાના અજ્ઞાનના નાશ થાય છે. અને તેએ સંસારના કલેશેાથી નિવૃત્તિ મેળવે છે. અને સંસાર કલેશેાથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતાં મેક્ષ ફળની પ્રાપ્તિ થાય છે.
આવા જ્ઞાન કાર્યમાં મૂર્તિપૂજક જૈના, દિગંબરી અને અન્ય ધર્મીએ હજારો અને લાખા રૂપીયા ખર્ચે છે. હિન્દુ ધર્માંમાં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેંકડા નહિ પણ હજારા ટીકા ગ્રંથા દુનિયાની લગભગ સ` ભાષાઓમાં પ્રગટ થયા છે. ઈસાઈ ધર્માંના પ્રચારકા તેમના પવિત્ર ધર્મગ્રન્થ ખાઈખલના પ્રચારાર્થે તેનું જગતની સર્વ ભાષામાં ભાષાંતર કરી, તેને પડરતર કરતાં પણ ઘણી ઓછી કિંમતે વેચી ધ