________________
શયન કરતા. અને પહેરવા માટે એક ખાદીને લેશે અને ઝબ્બે વાપરતા, કે વખતે કબજો પહેરતા બહુ ઠંડી હોય તે વખતે સાદે ગરમ કોટ પહેરી લેતા અને સુહપતિ, પાથરણું, રજોહરણ અને બે ચાર ધાર્મિક પુસ્તકની ઝેની સાથે રાખતા સંડાસમાં નહીં પણ જંગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતાં ચાલતાં, સંડાસ અને પેશાબ સંબંધમાં જીવદયાની બાબર જતના કરતા,
દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કેઈની સાથે મળવાનું થતું ત્યારે -તેમની સાથે અહિંસામય જૈનધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા નહીં.
દીક્ષાર્થીઓને દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે જીદગીને કઈ ભરોસે નથી “નવચં જીવિયં મા પમાયg” આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, જીવન તૂટયું સંધાતું નથી માટે ધર્મકરણીમાં સમયમાત્રને - પ્રમાદ ન કરવો જોઈએ,
ગેડલ સંપ્રદાયને ઘણાખરા પૂ. મુનિવરે અને પૂ. મહાસતીજીને તથા બોટાદ સંપ્રદાયના પૂ. આચાર્યશ્રી માણેકચંદજી મહારાજ અને દરિયાપુરી સંપ્રદાયના શાંત-શાસ્ત્રજ્ઞ ૫ મુનિશ્રી ભાયચંદજી મહારાજ શ્રમણસંઘના મુખ્ય આચાર્યશ્રીજી આત્મારામજી મહારાજ તમય જ્ઞાનનિધિ શાસ્ત્રોદ્ધારક બા. બ્રા પૂ. આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ વગેરે અનેક સાધુસાધ્વીના ઉપદેશને તેમણે લાભ લીધેલ. મુંબઈમાં સં. ૨૦૧૧ સાલમાં શ્રી ધર્મસિંહજી મહારાજના સંપ્રદાયના પંડિતરત્ન શ્રી લાલચંદજી મહારાજને પરિચય થયો. લાલચંદજી મહારાજ પિત, સંસારપક્ષના ત્રણ પુત્રો અને બે
પુત્રીઓ એમ કુલ ૬ બલકે આખા કુટુંબે સંયમ અંગીકાર કરેલ. તે જાણી . તેમને અદ્ભૂત ત્યાગભાવના પ્રગટ થઈ કે જે કદી ક્ષય પામી નહીં.
•
આ પહેલાં તેઓ જ્યારે માતા-પિતા સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજના દર્શને બોટાદ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર તે પૂજય લાલચંદજી મહારાજના સહકુટુંબની દીક્ષા એ હતી. આ બેઉ પ્રસંગે પૂર્વભવની બાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હેઈને વખતોવખત તેઓ માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતે. “જે હજુ વાર છે સમય પાકવા દીઓ જ્ઞાનાવાસ વધારે.