SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા પછી અઢી મહિનાને આંતરે ફલેદી ચોમાસા દરમ્યાન શ્રી વિદમુનિને હાજતે જવાની સંજ્ઞા થઈ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યું કે બહુ ગરમી છે, જરાવાર ભી જાવ એટલે શ્રી વિનોદમુનિએ રજોહરણ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રોકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉં છું, જલદી પાછા ફરીશ. કાળની ગહન ગતિને દુઃખદ રચના રચવી હતી. આજે જ હાજતે એકલા જવાને બનાવ હતે, હંમેશાં તે બધા સાધુઓ સાથે મળીને દિશાએ જતા. હાજતથી મોકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઈન ઉપર બે ગાયે આવી રહી હતી. બીજી બાજુથી ટ્રેઈન પણ આવી રહી હતી, તેની વ્હિસલ વાગવા છતાં પણ ગાયે ખસતી ન હતી. શ્રી વિનેદમુનિનું હૃદય થરથરી ઉઠયું અને મહા અનુકંપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું હાથમાં રજેહરણું લઈ જાનના જોખમની પરવા કર્યા વગર ગાયને બચાવવા ગયા. ગાયને તે બચાવી જ લીધી. પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત રજોહરણ કે જે વિદમુનિને આત્માથી વધારે પ્યારે હવે, તે રેલવે લાઈન ઉપર પડી ગયા અને શ્રી વિનોદમુનિએ તે પાછો સંપાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પિતાનું બલિદાન આપ્યું. અરિહંત અરિહંત એવા શબ્દ મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયું. રક્ત પ્રવાહ છૂટી પડ્યો અને થોડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયો. બધા લકે કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આપ્યાં અંતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાનિત જ દેખાતી હતી, હમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ ફલદીથી કિરણ તરફ જવાની રવે લાઈન હતી. આ લાઈન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી અને ત્યાં રસ્તો પણ છે, એટલે પશુઓની અવરજવર હોય જ છે અને વખતે વખત ત્યાં ઢોરે રેલ્વેની હડફેટે ચડી જવાના પ્રસંગ બને છે. ફલેરી સંઘે આ દુર્ઘટનાના ખબર રાજકેટ, ટેલીફેનથી આપ્યા. જે વખતે ટેલીફોન આવ્યું તે વખતે વિનોદમુનિના પિતાશ્રી બહાર ગયા હતા અને માતુશ્રી મણિબેન સામાયિક-પ્રતિક્રમણમાં બેઠાં હતાં, માત્ર એક મેકર જ ઘરમાં હતું કે જેણે ટેલિફેન ઉઠાવ્યું પણ તે કાંઈ ટેલીફનમાં હકીકત સમજી શકે નહીં અને સાચા સમાચાર મોડા મળ્યા. સ્પેશ્યલ પ્લેનથી ફલદી પહોંચે તે પહેલાં અગ્નિસંસ્કાર થઈ ગયે. સૂચનાને ટેલીનિ અડધી કલાક
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy