________________
३९
દીવસે હોવાથી સંઘમાં વધારે ઉત્સાહ આનંદ આવ્યે મહાસુદિ એકમથી પાંચમ સુધી ૬ વરઘોડાઓ જુદે જુદે ઠેકાણેથી ચઢ્યા. મહા સુદી ૪ ના દિવસે કાકાને ઘેરથી દીક્ષા ઉત્સવને વરઘોડે રાજકેટ ઠાકોર સાહેબ પ્રદ્યુમનસિંહજી અને કુ. શ્રી બનેસિંહજીની સંપૂર્ણ મદદથી રાજેશ્રીના ઠાઠને પણ વટાવી જાય તે રીતે સરકારી અને સ્ટેટ બેન્ડ પોલીસ ઘેડેસ્વાર ગાડીડા મટે તથા હજારે જૈન જૈનેતર માનવમેદની સાથે આખા શહેર સદરના રસ્તા પર ફર્યો હતે. પાંચમના દિવસે તપગચ્છના ચાંદીના રથમાં દીક્ષાર્થીને બેસાડી ૪ ચાર બેલ જોડેલ રથને કાકા પોતે સારથી બની હાંકતા હતા. બંને દીવસે સોના રૂપાનાં ફુલ તથા પૈસા દિક્ષીત ઉડાવી રહેલ હતા. ઠેકાણે ઠેકાણે પોલીસો ગોઠવવામાં આવી હતી. આ સરઘસ શહેર સદરમાં ફરી જુબીલી બાગમાં આવ્યું અને દસ હજાર માણસોની હાજરીમાં પૂ. શ્રી ઘાસીલાલજીની જેનશ્રાય નીચે દીક્ષા આપવામાં આવી તે પ્રસ ગે શાંતિ જળવાયેલી. આ પ્રસંગે બંને દીવસોએ ફેટાઓ તથા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની કમિટિના ટાઓ લેવામાં આવ્યા. અને ૩૦–૧-૪૭ના દીવસે શાસ્ત્રોદ્ધારની મિટીંગ મળી જેમાં કાકા તરફથી સૂત્રને માટે રૂપીઆ પાંચ હજારની ભેટ મળી તે ઉપરાંત પ્રસંગોપાત સૂત્ર માટે જુદી ભેટ રેકડી રકમની આપવામાં આવી છે તેમજ જીવદયાના પ્રખર હિમાયતી પૂ. ૧૦૦૮ જેઠમલજી મ૦ ની નેશ્રાય નીચે તન મન ધનથી જીવદયાનું કાર્ય કરે છે અને જીવદયાનું પત્ર પિતાને ખર્ચો છપાવી પ્રસિદ્ધ કરી હિંદભરમાં તેમજ યુરોપ અમેરીકા આફ્રીકામાં મોકલે છે. હાલ પોતે સેવાભાવી કાર્યની પ્રવૃત્તિ કાયમ કર્યા કરે છે.
રાજકેટની ફલેર મીલના ઓનરરી પ્રમુખ : જૈન બેડીંગના ઓનરરી કાર્યકર્તા તથા જીવદયા મંડળના મંત્રી અને S. P. C. A. ના મંત્રી, રાજકોટ શહેરી મંડળના સેક્રેટરી તરીકે ઓનરરી સેવા કરી દરેકને પોતાની સેવાને સાથ આપવામાં તન મન ધનથી કેઈની પણ સેવા કરવામાં કાયમ તત્પર રહે છે.