SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ આશીર્વચની 66 સુશ્રાવકનૌતમભાઈ ધર્મલાભ... ‘મનને શાંત રાખો’ પુસ્તકનું લખાણ જોયું. જેમાં તમે મનની મહત્તા સમજાવી છે અને કષાયોની કાલીમાનું સુંદર વર્ણન કર્યું છે. અત્યારના કાળમાં લોકો અશાંત છે. ત્યારે આ અધ્યાત્મ લખાણ લોકોને ઉપયોગી બનશે. દેવ-ગુરુની અસીમ કૃપાથી અને તમારા વિશાળ વાંચનઅભ્યાસથી તમારું આ પુસ્તક જિજ્ઞાસુ જીવોને ઘણું ઉપયગી બનશે. તમોએ પરદેશમાં ઘણા વર્ષો જૈનદર્શનના પ્રવચન આપેલ છે. ત્યાં જિજ્ઞાસુઓ સ્વાધ્યાય, સત્સંગમાં વધારે રસ લે છે. તેથી પરદેશમાં પણ આ પુસ્તક લોકોને ખૂબ પસંદ પડશે. આવા સુંદર વિષયની પ. પૂ. આચાર્ય શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મ. સા.ના પુસ્તકમાંથી સંકલન કરવા બદલ તથા તમારા વિશાળ વાંચનના આધારે થતા પ્રવચનોના નિમિત્તથી દેશ-પરદેશમાં આવા તાત્ત્વિક વિષયમાં સૌ રસ લેતા થયા છે. તે કાર્ય માટે તમોને ઘણા ઘણા અભિનંદન છે. તમે સ્વ-પર શ્રેય કરતા રહો અને તમારું આત્મ-કલ્યાણ પણ સાધતા રહો એવા આશીર્વાદ છે. અમો દેવ-ગુરુ કૃપાએ સુખશાતામાં છીએ. રામસૂરિ આરાધના ભવન, પાલડી, અમદાવાદ. -ગુણશીલસૂરિના ધર્મલાભ
SR No.009280
Book TitleManne Shant Rakho
Original Sutra AuthorN/A
AuthorNautambhai R Vakil
PublisherShrutsar Trust
Publication Year2016
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy