________________
(૮૦) કર્મના નિયમો
૨૯૩
આપ્યો અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો. તે આત્મધર્મને શ્રુત એટલે વીતરાગ ઉપદિષ્ટ શાસ્ત્રો દ્વારા વિસ્તારથી ગુરુગમે સમજી તથા શ્રી ગુરુના ચરણે રહી, તેમની આજ્ઞાને ઉપાસી, અનાદિથી બંઘાયેલા કર્મોને કાપી શાશ્વત સુખશાંતિસ્વરૂપ એવા મોક્ષપદને મેળવવા પ્રયત્ન કરું ।।૧।। અસંસારગત વાર્ણીથી દીઘો દ્વિવિઘ બોઘ, ઉપશમ-કર ઉપદેશરૂપ, સૈદ્ધાંતિક અવિરોધ, ૨
=
અર્થ :— કર્મ કાપવા માટે શ્રી ગુરુએ સંસાર નાશ પામે એવી અસંસારગત વાણીથી બે પ્રકારે બોઘ આપ્યો છે. પહેલો જીવના અનાદિકાળના કષાયભાવોને ઉપશમાવી સિદ્ઘાંતોધને સમજવા માટેની યોગ્યતા આપનાર એવો ‘ઉપદેશબોઘ’ અને બીજો પદાર્થનું અનુભવથી સિદ્ધ કરેલ સ્વરૂપ તેને વાણી દ્વારા કહી શકાય તેટલું જ્ઞાનીપુરુષોએ નિર્ણય કરી બોધ દ્વારા પ્રકાશ્યું તે ‘સિદ્ધાંતબોધ'. સિદ્ધાંતબોઘમાં કોઈકાળે વિરોધ આવે નહીં. તે ત્રણેય કાળ અવિરોધ હોય છે. ારા
કર્મ-નિયમ સિદ્ધાંતરૂપ, ઉપદેશે સમજાય, સમજી શમાય જે જનો, કર્મ-મુક્ત તે થાય. ૩
અર્થ :– કર્મના નિયમો બધા સિદ્ધાંતરૂપ છે. તે વૈરાગ્ય સ્વરૂપ ઉપદેશ બોઘ પરિણમ્યું સમજાય એમ છે. જે કર્મના નિયમોને સમજી, જેમકે રાગદ્વેષ કરીએ તો કર્મબંધ અવશ્ય થાય એવો નિયમ છે. પરમકૃપાળુદેવે પણ જણાવ્યું છે કે, “અવિષમભાવ વિના અમને પણ અબંઘપણા માટે બીજો કોઈ અધિકાર નથી.” એ વાતને વિચારી જે પોતાના કષાયભાવોને ઘટાડી મટાડીને સ્વરૂપમાં સમાઈ ગયા તે જીવો સર્વથા કર્મથી મુક્ત થાય છે.
“આ તો અખંડ સિદ્ધાંત માનો કે સંયોગ, વિયોગ, સુખ, દુ:ખ, બેઠ, આનંદ, અણરાગ, અનુરાગ, ઇત્યાદિ કોઈ વ્યવસ્થિત કારણ (નિયમ)ને લઈને રહ્યા છે.' (૨૧-૧) અહીં મુખ્યપણે કર્મના નિયમો વિષે કહેવું છે. આખો કર્મગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય, તે ભોગવવાનાં અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુન્નો હોય તે નિયમથી પરિણમે છે.” (મો.વિ પૂ.૨૩/
(૧) “એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે” :—
“જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ આગળ કહ્યું હતું તેમાં શંકા થાય, તે સર્વના ખુલાસારૂપ આ વાક્ય છે. એક ભેદ = એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ધર્યાં છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીંબડો કડવો લાગે એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગતકર્તારૂપે ઈશ્વરની જરૂર નથી. નિયમને લઈને જગત પ્રવર્તે છે. ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ નિયમો પ્રમાણે જગત ચાલે છે. તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે.” -મોલમાા વિવેચન (પૃ.૨૮) ।।૩।।
તેલ-રંગિત ચિત્રપટ મેલો જો થઈ જાય,
ડાઘ દૂર કરવા નિયમ જાણ્યાથી સુધરાય. ૪
અર્થ :- ઓઈલ પેઈન્ટથી બનેલ ચિત્રપટ જો મેલું થઈ જાય તો તે ડાઘને દૂર કરવાનો જે નિયમ
=
એટલે સિદ્ધાંત હોય તે જાણીને તે પ્રમાણે કરવાથી તેનો સુધાર થઈ શકે છે. ૫૪૫
તેમ કર્મ-મલથી મલિન આત્મા કરવા શુદ્ધ કર્મ-નિયમ પણ જાણવા, કહી ગયા જે બુથ, પ