SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાવોધ વિવેચન ભાગ-૨ = અર્થ :- આ પાંચ સમિતિનો જિનેશ્વર ભગવંતે ઉપદેશ કર્યો છે તે અદ્ભુત સંકલનાથી કર્યો છે. સંયમપાલનમાં દેહાદિ સાધનરૂપ હોવાથી તેના નિર્વાહની પ્રવૃત્તિ છોડી શકાય એમ નથી. અને તે પ્રવૃત્તિ કરતાં પણ ઉપયોગ અંતર્મુખ રહી આત્માનું હિત થયા કરે એવી અદ્ભુત સંકલનાથી જે યોજના કરી છે તેને પાંચ સમિતિ કહેવાય છે. ।।૩૬।। ૨૮૮ સ્થિતિ નિરંતર કરવી મુખ્ય અંતર્મુખ ઉપયોગે : પરમ ઘર્મ નિગ્રંથ તણો તે; ક્ષણ ન બહિર્મુખ યોગે. હો ભક્ત અર્થ :— હમેશાં અંતર્મુખ ઉપયોગ રાખવો અને ક્ષણ માત્ર પણ ઉપયોગને બહાર જવા દેવો નહીં = એવા નિથ પુરુષનો પરમ ધર્મ છે અથવા મુખ્ય માર્ગ છે. ‘“સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિર્ણયનો મુખ્ય માર્ગ છે.' (વ.પૃ. *} ||૩૭|| સંયમ-સાઘન તન ટકાવવા, જરૂરી ક્રિયા પ્રવૃત્તિ, નિમિત્ત બહિર્મુખ વૃત્તિનું ગર્ણી, યોજી પાંચ સમિતિ. હો ભક્ત અર્થ :— સંયમનું સાધન આ શરીર હોવાથી તેને ટકાવવા માટે જરૂરી દેહની ક્રિયા કરવી પડે છે. તે કરતાં આત્માની વૃત્તિ બહિર્મુખ થવાનો સંભવ જાણી આ પાંચ સમિતિની ભગવાને યોજના કરી છે. “કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે.'' (વ.પૃ.૫૯૬) ।।૩૮।। અંતર્મુખ ઉપયોગ હે ને ધાર્યું હે પ્રવૃત્તિ, ભવ તરવાની દાઝ ઘરે તો બની શકે એ રીતિ. હો ભક્ત અર્થ :— • આત્માનો ઉપયોગ હમેશાં અંતર્મુખ રહે અને ન છોડી શકાય એવી દેહાદિની પ્રવૃત્તિ પણ થઈ શકે. સંસાર સમુદ્ર તરવાની દાઝ જો હ્રદયમાં રાખે તો આ રીતે અંતર્મુખ ઉપયોગ રાખતાં પણ પ્રવૃત્તિ થઈ શકે. ।।૩લ્લા સ્થિતિ સહજ કેવળ અંતર્મુખ, જ્યાં કેવળ ભૂમિકા મુખ્યપશે કહી; તોય સાતમે ગુગ઼સ્થાને દીપિકા, હો ભક્ત અર્થ :– સ્થિતિ સહજ પ્રકારે કેવળ અંતર્મુખ તો જ્યાં કેવળજ્ઞાનની ભૂમિકા છે ત્યાં મુખ્યપણે રહી શકે અને સાતમા ગુણસ્થાનકમાં પણ નિર્મળ વિચારધારા બળવાન હોવાથી અંતર્મુખ ઉપયોગ ત્યાં પણ દીપિકા એટલે દીવાની જેમ પ્રકાશમાન હોય છે, “કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મૂળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ સાતમે ગુણસ્થાનકે હોય છે.’’ (વ.પૃ.૫૯૬) ||૪૦|| અંતર્મુખ ઉપયોગ તણી છે સબળ વિચારની ઘારા, કર્મ-કારણે પૂર્ણ શુદ્ધ નહિ; સ્થિરપદ અનુભવનારા. હો ભક્ત અર્થ :– સાતમા ગુણસ્થાનકે અંતર્મુખ ઉપયોગની સબળ વિચારધારા હોવા છતાં કર્મના સદ્ભાવને કારણે ત્યાં આત્માનો પૂર્ણ શુદ્ધ ઉપયોગ નથી. તો પણ ત્યાં આત્મઅનુભવની ઘારામાં સ્થિતિ કરીને રહેલા છે. ૪૧ના
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy