________________
(૭૪) મંત્ર
૨૪૧
આત્મસિદ્ધિ પામવી નિકટ છે અર્થાતુ વિકટ નથી પણ સરળ છે. માટે શ્રી સદ્ગુરુ ભગવંત દ્વારા એવા મંત્રની આજ્ઞા પામી સર્વે સત્ય પુરુષાર્થને આદરો અર્થાત્ હમેશાં તે સ્મરણ મંત્રનું રટણ કર્યા કરો. Iટા
સુર્યું, મંત્રાથીન સુર, નરો, સર્પ આદિ પ્રવર્તે, સાથી મંત્રો મલિન ઉરની વાસના સાઘતા તે; લોકો તેને અચરજ ગણે, બુદ્ધિ ના ચાલતી જ્યાં;
કષ્ટ સાથે, વિપરીત ફળે, હેય માને ઘણા ત્યાં. ૯ અર્થ - એમ સાંભળ્યું છે કે મંત્રવડે દેવો, મનુષ્યો અને સર્પો આદિ પણ વશ કરી શકાય છે. આવા મંત્રોને સાથી પોતાના મનની મલિન વાસનાને અજ્ઞાની લોકો પોષે છે. સાધારણ લોકોની બુદ્ધિ તેમાં ચાલતી નથી માટે તેને આશ્ચર્યકારક ગણે છે. કષ્ટથી તેવા મંત્રોને જીવો સાથે છે અને વિપરીત ફળ પણ પામે છે. માટે તેવા મંત્રોને ઘણા હેય માને છે. પાલાા
મંત્રે મોહ્યું જગત સઘળું મોહરાજા તણા આ ઃ હું ને મારું ગણ પર વિષે ઊંઘતા સૌ મણા ના; સ્વપ્ના જેવી રમત રમતા વિશ્વમાં લોક જૂઠી,
જ્ઞાની જાગ્યા, વળી જગવવા બોઘતા બોલ, ઊઠી : ૧૦ અર્થ - મોહરાજાના મંત્રથી આખું જગત મંત્રાઈ ગયેલ છે. “હું અને મારું' એ મોહરાજાનો મંત્ર છે. પર પદાર્થો વિષે હું ને મારું ગણી જગતના સર્વ લોકો મોહનદ્રામાં ઊંધે છે. તેમ કરવામાં તેઓએ કોઈ મણા એટલે ખામી રાખી નથી. સ્વપ્નમાં રાજા બને અને જાગે ત્યારે ભિખારીનો ભિખારી, તેના જેવી વિશ્વમાં જીવો મોહવશ જૂઠી રમત રમ્યા કરે છે. પણ જ્ઞાની પુરુષો મોહનદ્રાથી જાગૃત થયા છે અને વળી જગતવાસી જીવોને જાગૃત કરવા માટે નીચે પ્રમાણે બોધ આપે છે – /૧૦ાા
“હું ના કાયા નથ મુજ કશું આટલું માનશે જે, રૈલોક્ય તે વિજય વરશે, વિશ્વ રાજા થશે તે; નિઃસ્વાર્થી આ વચન ગણીને સત્ય વિશ્વાસ ઘારો,
તો ના થાશે અસર તમને મોહની, કૉલ મારો.” ૧૧ અર્થ :- “આ શરીર નથી, અને આ જગતમાં મારું કશું નથી.” આટલું માનશે તે ત્રણ લોકમાં વિજયને પામશે અને સકળ વિશ્વનો રાજા થશે અર્થાત્ ત્રણ લોકનો નાથ થશે. આ વચનને સત્ય અને નિઃસ્વાર્થી જાણી તે પ્રમાણે વર્તે તો તમને જગતની મોહમાયાની અસર થશે નહીં. આ મારો કૉલ છે અર્થાત્ ખાતરીપૂર્વક હું આ જણાવું છું. /૧૧ના
સપો પાપી નરકગતિને યોગ્ય, મંત્ર-પ્રભાવે પાર્ચસ્વામી નિકટ, પદવી ઇન્દ્રની જો કમાવે; જ્ઞાની-યોગે રુધિર-ખરડ્યા હાથથી મોક્ષ માગે,
તેવા જીવો પણ તરી ગયા; મંત્રથી જીવ જાગે. ૧૨ અર્થ :- સર્પો પાપ કરવાથી નરકગતિને યોગ્ય છે. છતાં શ્રી પાર્શ્વનાથ ભગવાને તેને મંત્ર સંભળાવ્યો. તેમાં ચિત્તવૃત્તિનું જોડાણ કરવાથી તે ઘરણેન્દ્રની પદવીને પામ્યો.