________________
૨૩૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - સર્પ જેમ કુંડાળું વાળીને આપોઆપ વીંટાય છે. તેમ જીવ પણ પોતાના જ ભાવથી કર્મબંધની રચના કરી તેના સુખદુઃખરૂપે ફળ પામી સંતાપને અનુભવે છે. I૯૬ાા
કોશ-કાર કટ વટતો નિજ તંતુથી કાય,
તેમ જ નિજ વિભાવથી સંસારી બંઘાય. ૯૭ અર્થ - કોશકાર એટલે કોમેટા નામનો કીટ એટલે કીડો તે પોતાના લાળના તંતુથી પોતાની કાયાને વીંટે છે. તેમ સંસારી જીવ પોતે જ રાગદ્વેષમય વિભાવ ભાવો કરી કમથી બંધાય છે. શા
બાંધનાર ઈશ્વર નથી અપરાથીને, ઘાર;
બંઘરહિત ઈશ્વર વિષે ઘટે ન એ વ્યાપાર. ૯૮ અર્થ :- અપરાધીને કર્મથી બાંધનાર ઈશ્વર નથી. જે કર્મ બંધનથી સર્વથા રહિત છે એવા ઈશ્વરને વિષે, કોઈને કર્મથી બાંધવાનો વ્યાપાર ઘટી શકે નહીં. ૯૮ાા
પ્રેરનાર પણ તે નહીં, સ્વપ્ન જેમ ન હોય,
રચના એ અજ્ઞાનની, વસ્તુ-સ્વભાવ જોય. ૯૯ અર્થ - આત્માને કર્મ કરવાની પ્રેરણા આપનાર પણ ઈશ્વર નથી. જેમ સ્વપ્ન આવે તેમાં કોઈ પ્રેરનાર નથી તેમ. આ બધી કર્મની રચના, તે જીવના અજ્ઞાનને કારણે છે. આત્માનો વસ્તુ સ્વભાવ જોતાં તો તે શુદ્ધ જ છે. ૯૯ાા
રોગ અનુસારે ક્રિયા જેમ રોગની હોય,
તેમ ભવસ્થિતિ સમી બંઘ-દશા પણ જોય. ૧૦૦ અર્થ :- રોગની તીવ્રતા કે મંદતાના અનુસાર જેમ રોગીની દવા વિગેરેની ક્રિયા ઓછા વત્તા પ્રમાણમાં હોય, તેમ જે જીવની સંસારમાં રહેવાની જેટલી ભવસ્થિતિ બાકી હોય તે પ્રમાણે તેના કર્મ બાંઘવાની ભાવરૂપ ક્રિયા પણ ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. ૧૦૦ના
શુદ્ધ નિશ્ચયનય કહે, આત્મા ના બંધાય;
સર્પ માનતાં દોરીમાં ભય, કંપાદિ થાય- ૧૦૧ અર્થ - શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્માને કર્મબંઘન નથી. જેમ ઓછા પ્રકાશમાં દોરીને સર્પ માની તેના વડે ભય પામવો કે કંપન આદિ થવા તે માત્ર અજ્ઞાનવડે છે તેમ. ૧૦૧ાા
અજ્ઞાનમય વિકલ્પ એ; ટળવા કહું ઉપાય,
ઘૂંટવા દૃઢ ઇચ્છા થતાં બંઘ-વિકલ્પ શકાય. ૧૦૨ અર્થ - દોરીમાં સર્પની માન્યતાનો વિકલ્પ તે માત્ર અજ્ઞાનના કારણે છે. તે અજ્ઞાન ટાળવાનો ઉપાય કહું છું. જો જન્મમરણથી છૂટવાની દ્રઢ ઇચ્છા થાય તો કર્મબંઘ કરનારા વિકલ્પો સમાઈ જાય છે.
“જે છૂટવા માટે જ જીવે છે તે બંઘનમાં આવતો નથી આ વાક્ય નિઃશંક અનુભવનું છે. બંઘનનો ત્યાગ કર્યો છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું મહત્ત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે.” (વ.પૃ.૨૫૨) I/૧૦૨ાા
છૂટવા કાજે જે જીંવે, તે જીંવ નહિ બંધાય; અનુભવ-વાણી જાણ આ, વૈરાગ્ય સમજાય. ૧૦૩