SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જેટલા અંશે સમ્યકજ્ઞાનના બળે આત્માનો ઉપયોગ જાગૃત છે તેટલા અંશે કર્મનો સંવર થાય છે, અર્થાતુ આવતાં કર્મ રોકાય છે. રાજ્ય સર્વ અવસ્થાને વિષે સમ્યષ્ટિ શુદ્ધ, જ્ઞાન-ઘાર છે નિર્મળી, યોગ-ઘાર મૃદુ, મધ્ય. ૮૩ અર્થ – સર્વ અવસ્થાઓમાં સમ્યકષ્ટિ જ્ઞાની પુરુષો શુદ્ધભાવમાં રહે છે અથવા તેમાં રહેવાનો જેનો સદા લક્ષ છે. તેનું કારણ તેમના આત્મજ્ઞાનની ઘારા પરમ પવિત્ર છે. જેથી તેમના મનવચનકાયાના યોગની ઘારા પણ મૃદુ એટલે કોમળ છે અને મધ્યમ છે અર્થાત્ તીવ્ર નથી. માટલા બને ઘારા શુદ્ધ જ્યાં પૂર્ણપણે દેખાય, દશા કહી શૈલેફ્સ તે, સંવર પૂર્ણ ગણાય. ૮૪ અર્થ - જ્યાં જ્ઞાનઘારા અને મનવચનકાયાની યોગઘારા સંપૂર્ણપણે શુદ્ધ થાય છે તે દશાને શૈલેશીદશા કહેવાય છે. ત્યાં સંવર તત્ત્વનો પૂર્ણ યોગ ગણાય છે, અર્થાત્ કર્મોને આવવાના દ્વાર ત્યાં સંપૂર્ણ બંઘ થાય છે. ૮૪ તે પહેલાં આત્મા તણી સ્થિરતા સંવર ઘાર, ચંચળતા જે યોગની આસ્રવ તે નિર્ધાર. ૮૫ અર્થ - તે શૈલેશીદશા પહેલા, તેરમે ગુણસ્થાને રહેલા કેવળી ભગવંતોને આત્મામાં સંપૂર્ણ સ્થિરતા છે અને અઘાતીયા કર્મો ભોગવતાં છતાં સંવરઘારવડે તે નવીન અઘાતીયાકર્મનો બંઘ કરતા નથી. પણ મનવચનકાયાના યોગોની જે ચંચળતા છે તે આશ્રવની ઘારા છે એમ તું જાણ. ૧૮૫ાા આ આસ્રવ-સંવર-કથા અશુદ્ધ નયથી જાણ, શુદ્ધ નયે સંસારી સૌ સિદ્ધ સમાન પિછાણ. ૮૬ અર્થ:- આ કર્મના આસ્રવ અને સંવર તત્ત્વનું નિરૂપણ અશુદ્ધ નયથી જાણો. શુદ્ધ નિશ્ચયનયે તો સર્વ સંસારી જીવો સિદ્ધ સમાન છે, તેને પિછાણો અર્થાત્ તે સિદ્ધ સ્વરૂપની ઓળખાણ કરો. l૮૬ાાં કર્મ-નાશ તે (°નિર્જરા, કર્મ-સ્વરૂપ અજીવ; જે ભાવે કર્યો ખરે, ભાવ-નિર્જરા જીવ. ૮૭ અર્થ :- કર્મોનો નાશ કરવો તેનું નામ “નિર્જરા તત્ત્વ છે. કર્મો છે તે અજીવ તત્ત્વ છે અર્થાત્ જડ સ્વરૂપ છે. જે ભાવોવડે દ્રવ્ય કમ ખરે તે જીવની ભાવ નિર્જરા ગણાય છે. I૮ળા સુજ્ઞાન સહ તપ-હેતુથી આત્મ-વીર્ય ઉલસાય, ચિત્તવૃત્તિ નિરોથથી ખરી નિર્જરા થાય. ૮૮ અર્થ :- સમ્યકજ્ઞાન સાથે તપ આદરવાથી આત્માનું વીર્ય ઉલ્લાસ પામે છે. અને જેથી ચિત્તવૃત્તિ પરમાં જતાં નિરોઘ પામવાથી કમની ખરી નિર્જરા થાય છે. “ઇચ્છા નિરોઘસ્તપ:” ઇચ્છાઓનો નિરોધ કરવો એ જ ખરું તપ છે. ૧૮૮ાા બ્રહ્મચર્ય, જિન-ધ્યાન ને કષાય મંદ કરાય, ઇચ્છા રોષે શુદ્ધ તપ, લંઘન અન્ય ગણાય. ૮૯
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy