SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ૩૮૭ ભાવપૂર્વક દાન આપવાથી પુણ્યની જ્યોત પ્રગટ થાય છે. દુલા દ્રોણ પૂર્ણ આયું થયે થયો કુરૃહરિ રાજા રે, સુઘન, ઘનદ ઘનાઢ્ય આ, સ્ત્રી થાતાં બે બીજા રે. ૯૦ અર્થ :- દ્રોણ મજૂર હોવા છતાં ભાવપૂર્વક અધિક શ્રદ્ધા આણીને મુનિને દાન આપવાથી તથા ચારેય વણિકો કરતાં એની વૃત્તિ શુદ્ધ હોવાથી તે હસ્તિનાપુર રાજાનો પુત્ર કુરુહરિ થયો. ચારેય વણિક પુત્રોમાંથી સુઘન અને ઘનદ આ ભવમાં પણ વણિક પુત્ર થયા તથા ઘનેશ્વર અને ઘનપતિ માયાવી હોવાથી આ ભવમાં સ્ત્રી અવતાર પામી વણિક પુત્રીઓ થઈ. ૧૯૦ાા. સુંઘન-જીવ વસંત આ કાંડિત્યપુરે આવે રે, ઘનેશ્વર-ઑવ કેસરા દેખી હર્ષિત થાવે રે. ૯૧ અર્થ - સુથન વણિકનો જીવ કાંપિલ્યપુરમાં વસંત વણિકનો પુત્ર થયો છે અને ઘનેશ્વરનો જીવ કેસરા નામે વણિક પુત્રી થયેલ છે. તે એકવાર ઉદ્યાનમાં કેસરાને દેખી પૂર્વ સ્નેહના કારણે હર્ષિત થાય છે. II૯૧ાા એકબીજાના પ્રેમને દાસી નિરખી પોષે રે, પ્રેમ-પાશ એ પૂર્વનો, વિરહ વડે તનુ શોષે રે. ૯૨ અર્થ - એકબીજાનો પરસ્પર પ્રેમ જોઈ કેસરાની દાસીએ તેને પોષણ આપી તેમના પ્રેમમાં વૃદ્ધિ કરાવી. તે પ્રેમ-પાશ પૂર્વભવનો હોવાથી બેય જણા એક મંગળ વાજાં સાંભળી કરી તપાસ વસંતે રે, લગ્ન કેસરાનાં લીઘાં, અન્ય સાથ સુણી ચિંતે રે. ૯૩ અર્થ :- એકવાર કેસરાના ઘેર માંગલિક વાજાં સાંભળીને વસંતે તેની તપાસ કરી. તો કેસરાના પિતાએ તેના લગ્ન બીજા શેઠપુત્ર સાથે કરવાનું નક્કી કર્યું. તે જાણી ચિંતાતુર થયો. ૯૩ દાસી ત્યાં આવી કહે : “કહે કેસરા એવું રે થશો પ્રાણપતિ આપ કે મુજ મૃત્યુ ગણી લેવું રે.’ ૯૪ અર્થ - ત્યારે દાસીએ આવી વસંતને કહ્યું : કેસરા એમ કહે છે કે કાં તો પ્રાણપતિ વસંત જ થશે નહીં તો મારું મૃત્યુ જાણી લેવું. ૯૪. વસંત સંદેશો કહે: “પ્રતિજ્ઞા મુજ એવી રે, જો કેસરા નહીં વરું કંઠે ફાંસી દેવી રે.” ૯૫ અર્થ :- વસંતે પણ કેસરાને જણાવવા દાસી મારફત એવો સંદેશો મોકલ્યો કે મારી પણ એવી જ પ્રતિજ્ઞા છે કે જો કેસરાને નહીં વરું તો કંઠે ફાંસો આપી મરી જવું પણ જીવવું નહીં. ૯પા. નિષ્ફળ સૌ યત્નો ગયા, જાન સવારે આવી રે, પ્રિયા જર્ફેર મરશે, ગણી ડાળે ફાંસી બનાવી રે, ૯૬ અર્થ :- બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. સવારે કેસરાને પરણવા જાન આવી. પ્રિયા કેસરા જરૂર મરણ પામશે એમ જાણી વસંતે પણ મરી જવા માટે ઝાડના ડાળે ફાંસી બનાવી. II૯૬ાા
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy