SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ૩૮૫ અર્થ - જિલ્લા ઇન્દ્રિયને વશ થયેલ જીવો શું ભક્ષ્ય છે અને શું અભક્ષ્ય છે તેને ગણતા નથી. સ્પર્શેન્દ્રિય આદિને વશ થયેલ જીવોને ક્યાં ગમન કરવું જોઈએ, અને ક્યાં ન જવું જોઈએ તેનું ભાન હોતું નથી. ઇન્દ્રિયોનો દાસ થયા પછી ગંદી એવી વાતોને પણ વખાણનાર થઈ જાય છે. II૭પાા રે! ઇન્દ્રિય-વશ ઇન્દ્રથી કીડા સુથી સૌ જીવો રે, વીતરાગ વિના બઘા વિષય-વારુણી પીવો રે. ૭૬ અર્થ :- રે! આશ્ચર્ય છે કે ઇન્દ્રથી લગાવીને નાના જંતુ સુથીના સર્વ જીવો ઇન્દ્રિયોને વશ પડ્યાં છે. વીતરાગતા પ્રાપ્ત કર્યા વિના જગતના સર્વ જીવો આ વિષયરૂપી વારૂણી એટલે મદિરાનું જ પાન કરનારા જણાય છે. II૭૬ાા ઇન્દ્રિય-વશ જાગ્યા નહીં, ઊંધ્યા કાળ અતીતે રે, મનશુદ્ધિથી ઇન્દ્રિયો મહામતિ જીંવ જીતે રે. ૭૭ અર્થ - અતીત એટલે ગત અનંતકાળથી જીવો ઇન્દ્રિયોને વશ રહેવાથી જાગ્યા નથી; મોહનદ્રામાં જ ઊંધ્યા કરે છે. પણ મહામતિવાન એવા જ્ઞાની પુરુષો મનશુદ્ધિવડે આ ઇન્દ્રિયો ઉપર જીત મેળવે છે. II૭ળા માત્ર ઇન્દ્રિયો રોકતાં જીત નહીં ર્જીવ પામે રે, રાગ-દ્વેષી ના થવું; આવે મુક્તિ સામે રે. ૭૮ અર્થ :- માત્ર ઇન્દ્રિયો ઉપર જીત મેળવવાથી જીવ મોક્ષને મેળવી શકતો નથી. પણ રાગ અને દ્વેષનો સર્વથા ત્યાગ કરવાથી જ મુક્તિરૂપી લક્ષ્મી સામે આવે છે. II૭૮. જિતેન્દ્રિય-જિતમોહને મોક્ષપંથમાં માનો રે, ઇન્દ્રિય-દાસ ભમે ભવે મોહપંથ પિછાનો રે, ૭૦ અર્થ :- જે જિતેન્દ્રિય છે તથા જેણે રાગદ્વેષરૂપ મોહને જીત્યો છે તેને મોક્ષમાર્ગમાં જાણો. પણ જે ઇન્દ્રિયોનો દાસ છે અર્થાત તેમાં આસક્ત છે તે જીવ સંસારમાં ભમ્યા કરે છે. ઇન્દ્રિયોની આસક્તિ એ જ મોહનો માર્ગ છે. એની તમે ઓળખાણ કરો. II૭૯ો. બંઘ-મોક્ષના માર્ગને સમજી ગમતો લેવો રે, બંઘમાર્ગ દુઃખે ભર્યો, બીજો સુખ દે એવો રે. ૮૦ અર્થ - કર્મબંઘનો માર્ગ શું? અને કર્મથી મુક્ત થઈ મોક્ષ મેળવવાનો માર્ગ શું? એને સમજી, આત્માને ગમે તે માર્ગ લેવો. કર્મબંધનો માર્ગ દુઃખથી ભરેલો છે અને કર્મથી મુકાવાનો માર્ગ સાચું સુખ આપે એવો છે. ૮૦ના વિષયો ભવ ભવ ભોગવ્યા, આત્મસુખ નથી ચાખું રે; અપૂર્વ આત્માનંદથી કૃતાર્થ જીવન ભાખ્યું રે. ૮૧ અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયો જીવે સર્વ ભવમાં ભોગવ્યા છતાં હજી આત્મસુખનો સ્વાદ ચાખ્યો નથી. અપૂર્વ એવા આત્માનંદને પામવાથી આ માનવ જીવન કૃતાર્થ થાય એમ મહાપુરુષોએ જણાવ્યું છે. ll૮૧ાા સાંસારિક સુખ-લાલસા ટળતાં કષાય કંપે રે; અક્ષય સુખ લીધા વિના કેમ મુમુક્ષુ જંપે રે?” ૮૨
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy