________________
(૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩
૩૭૩
અર્થ :- તેની પાછળ વેગથી ગીથ પણ ઊડીને પાસે આવી મનુષ્યની વાણીમાં કહેવા લાગ્યું કે હે દેવ! મને ઉગારો. આ ભુખથી મારા પ્રાણ જાય છે, અને આ કબૂતર મારા ભૂખ શમનનો આધાર છે, આ મારું ભોજન છે માટે એને મને આપો. ૧૦૬
દઢરથ પૂછે ભાઈને : પક્ષી નર-સમ બોલે રે,
શી આશ્ચર્ય-બના અહો!” રહસ્ય નૃપતિ ખોલે રેઃ ૧૦૭ અર્થ -દઢરથે ભાઈ મેઘરથને પૂછ્યું આ પક્ષી મનુષ્ય સમાન બોલે છે. અહો! આ શી આશ્ચર્યબીના છે! ત્યારે તેનું રહસ્ય મેઘરથ રાજા ખોલે છે. ||૧૦શા
“દેવ ઘરી આ રૂપ બે, કરે પરીક્ષા મારી રે,
ઇન્દ્ર ભુજ સ્તુતિ કરી ઉત્તમ દાતા ઘારી રે.” ૧૦૮ અર્થ - એક દેવ આ બે રૂ૫ ઘારણ કરી મારી પરીક્ષા કરે છે. ઈશાન ઇન્દ્ર દેવલોકમાં ઉત્તમ દાતા કહી મારી સ્તુતિ કરી છે. તેથી આ દેવ મારી પરીક્ષા કરવા માટે અત્રે આવેલ છે. ૧૦૮
(૮૯)
શ્રી શાંતિનાથ
ભાગ-૩
(સંભવ જિનવર વિનતિ અવઘારો ગુણજ્ઞાતા રે–એ રાગ)
કહે મેઘરથ દેવને : “અવઘારો, સંક્ષેપે રે,
કહું દાનાદિ-લક્ષણો : સ્વપર-હિત સમજે જે રે. ૧ અર્થ - મેઘરથ રાજા ગીઘનું રૂપ લઈને આવેલ દેવને કહે છે કે હું સંક્ષેપમાં દાનાદિના લક્ષણો કહું છું તેને તું અવઘારણ કર. જે સ્વ અને પરના હિતને સમજે તે આ વાત સમજી શકશે. ૧ાા
નિજ ચીજ દે પાત્રને તો તે દાન ગણાતું રે,
શ્રદ્ધા, વિજ્ઞાન આદિથી દાતા-સ્વફૅપ જણાતું રે. ૨ અર્થ :- પોતાની ગણાતી કે મનાતી વસ્તુ, જો પાત્ર જીવને આપે તો તેને દાન ગણવામાં આવ્યું છે. તથા દાન દેનાર દાતાનું સ્વરૂપ, તેની પાત્ર એવા મહાત્મા પ્રત્યે કેવી શ્રદ્ધા ભક્તિ છે અને તેમને દેવા યોગ્ય પદાર્થ સંબંધીનું તેને કેટલું વિશેષ જ્ઞાન છે, તેના ઉપરથી દાતાની વિશેષતા જણાય છે. રાા
કરે ન અવગુણ જે ચીજો, ગુણવર્ધક બન્નેને રે,
દેવા યોગ્ય ગણાય તે; ચાર ભેદ છે દાને રે. ૩ અર્થ - જે ચીજો પાત્ર જીવને અવગુણ ન કરે, તેવી વસ્તુઓ દાનમાં આપવાથી દાન લેનારને, અને દાન આપનાર બન્નેને લાભદાયક થાય છે. તેવી વસ્તુઓ દેવા યોગ્ય ગણાય છે. એવી દાનમાં દેવા