________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
૩ ૬૫
સાથી આ કાયાને તજી અશ્રુત દેવલોકમાં પ્રતીન્દ્રની પદવીને પામ્યા. ત્યાં રહેલા પૂર્વભવના ભાઈ પણ હાલ અચ્યતેન્દ્રના મનને આનંદ આપનાર થયા. પ્રતીન્દ્ર એટલે અય્યતેન્દ્રના સામાનિક દેવપણાને પામ્યા. પલા
અપરાજિત-ઑવ જન્મતો ક્ષેમકંર નૃપને ત્યાં રે,
(૫વજાયુઘ ઘર નામ, સૌ દે સુખ પુણ્ય ફળે જ્યાં રે. પર અર્થ - અપરાજિત જે શાંતિનાથ ભગવાનનો જીવ છે તે હવે પાંચમા ભવમાં ક્ષેમકર રાજા જે આ ભવમાં તીર્થંકર થવાના છે તેમને ત્યાં જન્મ લીધો. તેમનું વજાયુઘ નામ રાખવામાં આવ્યું. તેમને પુણ્યના ફળમાં સર્વેજણા સુખ આપવા લાગ્યા. //પરા
લક્ષ્મીવર્તીને તે વરે, યૌવન ગાળે સુખે રે,
પ્રતીન્દ્ર-ઑવ ત્યાંથી ચ્યવી વસે લક્ષ્મવર્તી કૂખે-રે. ૫૩ અર્થ - તે વજાયુઘ લક્ષ્મીવતીને વર્યા. યૌવન સુખપૂર્વક ગાળવા લાગ્યા. હવે અનંતવીર્યનો જીવ જે અય્યત દેવલોકમાં પ્રતીન્દ્ર થયો હતો તે ત્યાંથી ચ્યવીને આ લક્ષ્મીવતીની કૂલીમાં પુત્રપણે ઉત્પન્ન થયો. Ifપયા
સહસ્ત્રાયુઘ નામ દે; યૌવનવયમાં જેને રે
વરે શ્રીષેણા કુંવરી, કનકશાંતિ સુત તેને રે. ૫૪ અર્થ - સમયે થયે જન્મ લેતા તેનું સહસ્ત્રાયુઘ નામ રાખવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત થતાં શ્રીષેણા કુંવરી સાથે તેના લગ્ન થયા. તેથી કનકશાંતિ નામનો તેમને એક પુત્ર થયો. ૫૪l.
સમકિત વજાયુંઘનું ઈન્દ્ર વખાણે જ્યારે રે,
મિથ્યાત્વી સુર સુણીને ચળાવવાને ઘારે રે. ૨૫ અર્થ - વજાયુના સમકિતની જ્યારે દેવલોકમાં ઇન્દ્ર પ્રશંસા કરી ત્યારે એક મિથ્યાત્વી દેવને આ વાત માનવામાં ન આવવાથી તેને ચલાયમાન કરવા માટે આવ્યો. પપા.
બુદ્ધચતિ બની આવિયો; વજાયુઘ સંઘાતે રે
વાદવિવાદ ચહી કહે : “ક્ષણિકવાદ વિખ્યાત રે- ૫૬ અર્થ - તે બુદ્ધમુનિ બનીને વજાયુઘ સાથે વાદવિવાદ કરવાનું જણાવી બોલ્યો કે આ જગતમાં ક્ષણિકવાદ પ્રસિદ્ધ છે. પકા.
નાશવંત વસ્તુ નથી, મોહ અહો! નૃપ, કેવો રે!
તેલ-દીપક ઘૂમ-ખેલ જો, આત્મા પણ ગણ એવો રે.”૫૭ અર્થ :- હે રાજા! આ જગતમાં સર્વ વસ્તુઓ જ્યારે નાશવંત છે. તો અહો તેના ઉપર મોહ શો કરવો? જેમ તેલથી દીપક સળગે, દીપકથી ઘુમાડો થાય અને ઘુમાડો ઊડી જાય તેવો આ ખેલ જો. તેમ આત્માને પણ તું એવો જ ક્ષણિક માન. //પળા
કહે કુમાર વિવેકથી : “વસ્તુમાત્ર બે ભેદે રે
તત્ત્વ, અવસ્થા સર્વમાં, રહે સ્વરૂપ અ૭થે રે. ૫૮ અર્થ - તેના જવાબમાં વજાયુઘકુમાર વિચારીને વિવેકથી કહેવા લાગ્યા કે વસ્તુમાત્રના બે ભેદ છે. એક દ્રવ્ય અને બીજી તેની પર્યાય. પ્રત્યેક તત્ત્વમાં અર્થાત દ્રવ્યમાં તેની અવસ્થાઓ એટલે પર્યાયો