SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ ૩૬૩ અર્થ - ત્યારે આપણે તેમની બે કુંવરીઓ હતી. તારું નામ ઘનશ્રી હતું અને મારું નામ અનંતશ્રી હતું. તથા નંદનગિરી નામના આપણા ગુરુ હતા. IT૩૮ાા વ્રતો બોઘ સુણી લીઘાં; વિદ્યાઘર હરી જાતાં રે, વિદ્યાથરીને દેખતાં, વેણુવનમાં નાખ્યાં રે. ૩૯ અર્થ :- આપણે શ્રીગુરુ પાસે બોઘ સાંભળીને શ્રાવકના બાર વ્રતો અંગીકાર કર્યા હતા. એકવાર વીરાંગ નામનો એક યુવાન વિદ્યાઘર આપણને હરી ગયો. પણ શુભાશયવાળી પોતાની સ્ત્રી વજશ્યામલિકાને જોતાં તેણે આપણને વેણુવનમાં નાખી દીધા. //૩૯ના સંન્યાસે મર આપણે સ્વર્ગે ઊપજ્યાં જ્યારે રે ધૃતિષેણ મુનિને પૂંછ્યું: “મોક્ષ થશે અમ ક્યારે રે?”૪૦ અર્થ –ત્યાં મરણાંત આપત્તિ જાણીને અનશનવ્રત લઈ મંત્રના ધ્યાનપૂર્વક સંન્યાસ મરણ કરી હું સૌઘર્મ દેવલોકના ઇન્દ્રની અગ્રમહિષી થઈ અને તું ઘનશ્રી કુબેર લોકપાલની મુખ્ય દેવી થઈ. ત્યાંથી નદીશ્વર દ્વીપ વગેરે તીર્થોની યાત્રા કરતાં ધૃતિષેણ મુનિને પૂછ્યું કે હે પ્રભુ! અમારો મોક્ષ ક્યારે થશે? I૪૦ાા ભવ ચોથે ભવ છેદશો', કહ્યું હતું, છે સ્મૃતિ રે? દુર્લભ નરભવ પામી તું; વાત કરી મેં વીતી રે.”૪૧ અર્થ :- ત્યારે તેમણે કહ્યું હતું કે ચોથા ભવમાં તમે સંસારનો છેદ કરશો. તેની તને સ્મૃતિ છે? હવે તું દેવતાને દુર્લભ એવા મનુષ્યજન્મને પામી છું. માટે આપણા જીવનમાં વીતેલી આ વાત તને જણાવી છે. ૪૧ાા જાતિ-સ્મૃતિ ઊપજી, સુમતિ મૂછ છોડે રે, દેવી તો ચાલી ગઈ; સૌ સામે કર જોડે રે -૪૨ અર્થ - આ સાંભળી સુમતિને જાતિ-સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. જેથી જાણે સંસારનો ભય લાગવાથી મૂર્ણિત થઈ પૃથ્વી પર પડી ગઈ. પછી ચંદનના જળ અને પંખાના પવનથી તે સુમતિની મૂછ દૂર થઈ. દેવી તો વિમાનમાં બેસી આકાશમાર્ગે સ્વર્ગમાં ગઈ. હવે સર્વની સામે હાથ જોડીને સુમતિ કહેવા લાગી. //૪રા હે નરપતિ, સૌ આવિયા મુજ કાજે, પણ મારે રે, દીક્ષા લેવા ભાવ છે, દુખ લાગ્યું છે ભારે રે. ૪૩ અર્થ - હે સર્વ કુલીન રાજાઓ! તમે સૌ મારા માટે આવ્યા છો. પણ મને જાતિસ્મરણજ્ઞાન થયું છે. મને આ સંસાર હવે ભયંકર દુઃખમય ભાસ્યો છે માટે મારે હવે દીક્ષા લેવાના ભાવ છે. આ૪૩. આજ્ઞા આપો સર્વ તો ભગવર્તી દીક્ષા ઘારું રે, ભવવ્યાધિની ઔષધિ કર, કમ સંહારું રે.”૪૪ અર્થ - હું તમને પ્રાર્થના કરું છે કે તમે સર્વ મને ભગવતી દીક્ષા લેવાની આજ્ઞા આપો તો હું દીક્ષા ગ્રહણ કરું. જે વડે સંસારરૂપ વ્યાધિની ઔષધી કરી મારા સર્વ કર્મોનો સંહાર કરું. I૪૪. ‘તથાસ્તુ' કહી હર્ષથી સર્વે આજ્ઞા દેતા રે, અનુમોદન સુંઘર્મનું કરી પુણ્ય-ફળ લેતા રે. ૪૫
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy