SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) શ્રી શાંતિનાથ ભાગ-૧ ૩૫૫ સહાયતા લઈને કે તેમનો ઉપદેશ સાંભળીને પણ જીવાદિ પદાર્થોના સ્વરૂપનો નિર્ણય ન કરવો અને તત્ત્વોમાં શંકા સહિત માન્યતા રાખવી તે સંશય નામનો મિથ્યાત્વનો બીજો ભેદ છે. ૫૯૬॥ સમકિત-જ્ઞાનાચારમાં કે દ્રવ્યાદિ તત્ત્વે રે, એકાંતે અંશો ગ્રહે, એકાંતિક મિથ્યાત્વે રે. ૯૭ અર્થ :— કોઈ માત્ર જ્ઞાન વાંચી નિશ્ચયાભાસી થઈ પોતાને સમકિતી માને અથવા કોઈ એકાંતે ક્રિયાને જ વળગી રહી પોતાને સમકિતી માને. પણ ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ' અર્થાત્ જ્ઞાન સહિત ક્રિયાથી મોક્ષ છે તે ન માને; તેમજ કોઈ જીવાદિ તત્ત્વોના પણ એકાંતે અંશો ગ્રહણ કરે જેમકે આત્મા નિત્ય જ છે. અથવા તે અનિત્ય જ છે એમ એકાંતે માને પણ સ્યાદ્વાદથી ન માને તેને એકાંતિક મિથ્યાત્વનો ત્રીજો પ્રકાર કહ્યો છે. હ્યા જ્ઞાન-સાયક-જ્ઞેયનો નિર્ણય ઊંઘો ઘારે રે, ત્યાં વિપરીત મિથ્યાત્વ છે; અધર્મ-ધર્મ વિચારે રે. ૯૮ અર્થ :— જેનું જ્ઞાન વિપરીત છે અર્થાત્ જેની સમજણવડે કરેલો નિર્ણય ઊંઘો છે. સાયક એટલે સર્વ પદાર્થને જાણનાર એવા આત્માનું સ્વરૂપ પણ જે દેહરૂપે માને છે, તેમજ જ્ઞેય એટલે જગતના સર્વ પદાર્થો જે પોતાના નથી છતાં પોતાના છે એમ વિપરીત રીતે જેના મગજમાં નિર્ણય કરેલો છે, તથા પોતાના વિચારે કરીને જે અધર્મ એટલે મિથ્યાધર્મને સદ્ધર્મ માને છે, એમ સર્વનું વિપરીત સ્વરૂપ નિર્ધારી લેવું તે વિપરીત નામનો મિથ્યાત્વનો ચોથો ભેદ છે. ।।૮।। ત્રિવિધ વિનય સઘળું કરે, વિના વિવેક અજાણ્યો રે, મુક્તિ-હેતુ માને બધે, અંતિમ ભેદ વખાણ્યો . ૯૯ જે કે અર્થ :- જે ત્રિવિધ એટલે મન,વચન,કાયાથી સતુ દેવ કે અસતુ દેવ આદિનો અથવા સદ્ગુરુ અસદ્ગુરુનો અથવા સદ્ઘર્મ કે સત્શાસ્ત્ર તેમજ અસત્ ધર્મ કે અસત્ શાસ્ત્ર આદિ સર્વેનો એક સરખો વિનય કરે તેને પાંચમો ભેદ વિનય મિથ્યાત્વ નામનો કહ્યો છે. તે પુરુષ વિવેક રક્ષિત છે, સદૈવ ગુરુધર્મના સ્વરૂપથી અજાણ્યો છે. માટે સર્વનો એક સરખો વિનય કરવો તેને મુક્તિનું કારણ માને છે, આ મિથ્યાત્વનો અંતિમ ભેદ ભગવાને કહ્યો છે. શાલ્લા અસંયમ અવ્રતી-ક્રિયા મન-વાણી-તનું યોગે રે, ઇન્દ્રિય-અસંયમ અને પ્રાર્થી-અસંયમ ભંગે ૨. ૧૦૦ = અર્થ :– હવે અવિરતિનું સ્વરૂપ જણાવે છે. અવિરતિ એટલે અસંયમ. જે મન વચન કાયાથી વ્રત વગરની ક્રિયા કરે તે અસંયમ કહેવાય છે. તે અસંયમના બાર પ્રકાર છે. પાંચ ઇન્દ્રિયો અને મન પ્રમાણે વિષયોમાં પ્રવૃત્તિ કરવી તે છ પ્રકારનો ઇન્દ્રિય અસંયમ છે અને પાંચ સ્થાવર અને છઠ્ઠા ત્રસ જીવોની હિંસાને ન રોકવી તે છ પ્રકારનો પ્રાણી અસંયમ છે. ।।૧૦।। ગુણસ્થાનક ચોથા સુધી અસંયમ બંધ-કેતુ રે, વ્રતમાં દોષ પ્રમાદ છે, છઠ્ઠા સુધી સુણી લે તું રે. ૧૦૧ અર્થ :— ચોથા ગુણસ્થાનક સુધી ઉપરોક્ત બાર પ્રકારનો અસંયમ અથવા અવિરતિ જીવને
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy