________________
(૮૦) કર્મના નિયમો
આત્માના જ્ઞાનાદિ કદી કર્મબંધના કારણ નથી. આ સંબંધી વિચાર કરી જોઈ લે. ૧૧૦૦ જ્ઞાન, દર્શન, વીર્ય ગુણ બંઘ-કેતુ નહિ એમ, ભાવ-અભાવરૂપે ભલે; વ બંધાતો કેમ?૧૨
અર્થ – આત્માના જ્ઞાનદર્શન વીર્યગુણ એમ કર્મબંધના કારણ નથી. કૈવલ્યદશામાં જ્ઞાનાદિનો પૂર્ણ સદ્ભાવ અને નિર્ગોદમાં જ્ઞાનાદિનો લગભગ અભાવ જેવો જીવ ભલે થાય તો પણ તે જ્ઞાનદર્શનાદિ ગુણો જીવને બંધના કારણ નથી. તો આ જીવ કેવી રીતે બંઘાય છે? ।।૧૨।
અયથાર્થ શ્રદ્ધાનરૂપ જે મિથ્યાત્વ ગણાય,
ક્રોપ, માન, માયા તથા લોભાદિક કષાય, ૧૩
૨૯૫
હવે જીવ કેવી રીતે કર્મથી બંધાય છે તેના કારણો કહે છે :
અર્થ :– જેમ છે તેમ વસ્તુનું સાચું શ્રદ્ધાન નથી તેને મિથ્યાત્વ અથવા દર્શનો કર્યો છે. અને ક્રોધ, માન, માયા, લોભાદિક જે કષાયભાવો છે તેને ચારિત્રમોહ કહેવાય છે. ।।૧૩।।
મોહનીય કર્મે થતા એ ઔપાઘિક ભાવ;
ટાળો કર્મ-નિમિત્ત તો, તેનો થાય અભાવ. ૧૪
અર્થ -- :– મોહનીય કર્મના ઉદયથી જીવને મિથ્યાત્વના કે કષાયના ભાવો થાય છે. તે ઔપાધિક ભાવ છે. કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા છે. જેમ સ્ફટિકરત્ન નિર્મળ હોવા છતાં રંગીન ફુલોના નિમિત્તથી તે રંગીન જણાય છે. નિમિત્ત ન હોય તો રંગીન જણાતું નથી. તેમ ઘ્યાન, સ્વાધ્યાય, ભક્તિ, જપાદિમાં રક્ષી કર્મબંધના નિમિત્તોને ટાળવામાં આવે તો જીવને નવીન કર્મબંધનો અભાવ થાય છે.
“નિમિત્તે કરીને જેને ક થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઐત્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે.’” (વ.પૃ.૪૮૩) ||૧૪|| વિભાવરૂપ આ ભાવથી કર્મ નવીન બંધાય,
મોહ–ઉદય શત્રુ મહા, જીવનો મુખ્ય ગણાય. ૧૫
અર્થ :— રાગદ્વેષના વિભાવભાવોથી જીવને નવીન કર્મનો બંધ થાય છે. આ મોહનીય કર્મનો ઉદય જીવનો મહાશત્રુ છે. તેના કારણે રાગદ્વેષ થાય છે. “શક્તિ મોરે જીવકી ઉદય મહાબળવાન.' આઠેય કર્મોમાં મોહનીય કર્મની મુખ્યતા ગણાય છે. ।।૧૫।।
અઘાર્મી કર્મોનો ઉદય કે સામગ્રી બાહા,
તેમાં દેહાર્દિક તો જૈવ-ક્ષેત્રે બંઘાય. ૧૬
=
અર્થ :— વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચાર અઘાતી કર્મોનો ઉદય જીવને બાહ્ય પૌલિક સામગ્રીનો મેળાપ કરાવે છે. જેમાં શુભ પુણ્યના ઉદયે શાતાવેદનીયનો અને અશુભ પાપના ઉદયે અશાતાવેદનીયનો જીવને અનુભવ થાય છે. તેમાં શરીર, રૂપ, રંગાદિ તો જીવના પ્રદેશો સાથે दूध અને પાણીની જેમ એક ક્ષેત્રાવગાહી સંબંઘ કરીને રહેલાં છે. ।।૧૬।।