SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ. તેમાં ૧. ઔદારિક–એ સ્થૂલ પુદ્ગલોનું બનેલું શરીર છે. તે મનુષ્ય અને તિર્યંચને હોય છે. તીર્થકર ભગવાનને પરમ ઔદારિક શરીર હોય છે. ૨. વૈક્રિય-એટલે વિવિઘ પ્રક્રિયાથી બનેલું. જે નાનું-મોટું કરી શકાય. ખેચરમાંથી ભૂચર થઈ જાય, તૃશ્યથી અદ્રશ્ય થઈ જાય, એકથી અનેક થઈ જાય એમ વિવિઘ ક્રિયાવાળું તે વૈક્રિય શરીર. આ શરીર દેવ અને નારકીને જન્મથી હોય. ૩. આહારક–એ શરીર ચૌદપૂર્વઘારી કે તપસ્વી મહાત્મા, તીર્થકર ભગવાનને સંશય પૂછવા માટે એક હાથનું અતિ વિશિષ્ટ રૂપવાળું બનાવે છે. ૪. તૈજસ-અનાદિકાળથી જીવ સાથે રહેલ તૈજસ દ્રવ્યોના સમૂહ કે જેથી આહારનું પાચન વગેરે થાય તથા શરીરમાં ગરમી રહે તે તૈજસ શરીર. ૫. કાર્મણ-જીવ સાથે લાગેલ કર્મનો જથ્થો; જે આઠ કર્મના વિકારરૂપ તથા સર્વ શરીરના કારણભૂત બને છે. તે કાર્મણ શરીર છે. (૪) અંગોપાંગ નામકર્મ :- જે કર્મના ઉદયથી અંગોપાંગ પ્રાપ્ત થાય. હાથ, પગ, છાતી, પેટ, માથું વગેરે અંગ છે અને હાથપગની આંગળીઓ વગેરે ઉપાંગ છે. તે ૧. ઔદારિક, ૨. વૈક્રિય તથા ૩. આહારક શરીરમાં હોય છે; તૈજસ, કામણ શરીરમાં હોતા નથી. (૫) સંહનન નામકર્મ - જે કર્મના ઉદયથી હાડકાના બાંઘામાં વિશેષતા હોય તેને સંહનન અથવા સંઘયણ નામકર્મ કહે છે. તે છ પ્રકારના છે. ૧. વજાત્રષભનારાચ સંઘયણ :- અત્યંત મજબૂત હાડકાનો બાંધો. અસ્થિ સાંઘામાં બે બાજુ મર્કટ બંઘ, તેના ઉપર વજ જેવા હાડકાનો પટ્ટો અને વચમા આરપાર વજ જેવા હાડકાની ખીલી હોય તે. ૨. ઋષભનારાચ સંઘયણ :- અસ્થિ સાંઘામાં બે બાજુ મર્કટબંઘ. તેના ઉપર પટ્ટો પણ વચમાં ખીલી નહીં. ૩. નારા સંઘયણ - અસ્થિ સાંઘામાં માત્ર બે બાજુ મર્કટ બંઘ હોય. બીજું કંઈ હોય નહીં. ૪. અર્ધનારા સંઘયણ - જેમાં એક તરફ મર્કટ બંઘ હોય અને બીજી તરફ ખીલી બંઘ હોય. ૫. કીલિકા સંઘયણ - જેમાં અસ્થિ માત્ર ખીલીના બંઘથી બંધાયેલા હોય. ૬. છેવટું સંઘયણ - જેમાં હાડકાના સાંધા માત્ર છેડે અડીને રહેલા હોય. આપણું હમણાનું સંઘયણ તે “છેવટું સંઘયણ' છે. (૬) સંસ્થાન નામકર્મ - જે કર્મના ઉદયથી શ્રી ભદ્રબાહ સ્વામીએ બનાવેલ સામુદ્રિક શાસ્ત્રમાં અંગોના જે માપો કહ્યા છે તે તે માપોવાળા અંગો મળવા તે સંસ્થાન નામકર્મ. પૂર્વે જેવું કર્મ બાંધ્યું હોય તેવું શરીરનું સંસ્થાન હોય. આના છ પ્રકાર છે. ૧. સમચતુરસ્ત્ર સંસ્થાન – ઉપર નીચે વચમાં જેવું જોઈએ તેવું સર્વાગે સુંદર સામુદ્રિકશાસ્ત્ર અનુસાર લક્ષણયુક્ત હોય તે શરીર. અર્થાત્ પદ્માસનમાં બેઠેલાના ડાબા ઢીંચણથી જમણો ખભો અને જમણા ઢીંચણથી ડાબો ખભો, તથા બન્ને ઢીંચણની વચ્ચેનું માપ, તેમજ નાસિકાથી પદ્માસનનો અગ્રભાગ આ ચારેય માપ એક સરખા હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાન. ૨. ન્યગ્રોથ પરિમંડલ સંસ્થાન :- ન્યગ્રોથ એટલે વડલો. નાભિ ઉપરના અંગો શુભ લક્ષણ અને પ્રમાણયુક્ત હોય તેવા પ્રકારનું શરીર તે. ૩. સાદિ (સ્વાતિ) સંસ્થાન :- જેના ઉદયે નાભિ નીચેના અંગો શુભ લક્ષણ અને પ્રમાણયુક્ત હોય તે.
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy