________________
૫ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
હાં રે જે અભિમાનનું કારણ આજ જણાય જો; દેહ, દેશ, ઘન, કુળ, જમીન, તે છેતરે રે લોલ; હાં રે જેમ દીપક મોહે પતંગ બળી મરી જાય જો,
તેમ મમત્વ ઘરી મૂઆ બહુ, હજી મરે રે લોલ. ૧૪ અર્થ - જે અભિમાનનું કારણ આજે જણાય છે એવા આ દેહ, દેશ, ઘન, કુળ, જમીન આદિ પદાર્થો છે. તે દેહાભિમાન કે ઘનનું અભિમાન કે કુળ અભિમાન વગેરે જીવને છેતરી જઈ દુર્ગતિમાં નાખે છે. તે કેવી રીતે છેતરે છે? તો કે જેમ દીપકના પ્રકાશમાં મોહ પામી પતંગ તેમાં જ બળી જઈ મરણ પામે છે, તેમ દેહ, ઘન આદિમાં મમત્વભાવ ઘરીને અનેક જીવો મરી ગયા અને હજી પણ મમત્વભાવ ઘરીને ઘણા મરી રહ્યા છે તે વિચારવા યોગ્ય છે. II૧૪
હાં રે આ દેહ વડે કર્દી ભોગ બઘા ભોગવાય જો, તેને ક્ષણ કરનારી આવે જો જરા રે લોલ; હાં રે એ મરણનિશાની સંધ્યા સમ સમજાય જો,
હર્ધો ય ન શોઘે શાંતિ-ઘર્મરૂપી ઘરા રે લોલ. ૧૫ અર્થ :- આ શરીર વડે કદી બધા પ્રકારના ભોગ ભોગવાય, તો પણ આ દેહને નિર્બળ કરનારી વૃદ્ધાવસ્થા પાછળ આવી રહી છે. તે વૃદ્ધાવસ્થા મરણની નિશાની સમાન છે. જેમ સંધ્યાકાળ થયે હવે રાત્રિ પડશે એમ જણાય છે, તેમ વૃદ્ધાવસ્થા આવવાથી હવે મરણ નજીક છે એમ સમજાય છે. છતાં આ જીવ આત્મશાંતિ મેળવવા ઘર્મરૂપી ઘરા એટલે પૃથ્વી કે જ્યાં સત્સંગ થાય છે એવા સ્થાનને શોઘતો નથી. પણ ઇન્દ્રિયોના ક્ષણિક ભોગોમાં જ તલ્લીન રહે છે. ૧૫ાા
હાં રે નભ સુર્ય શશી, ગ્રહ અસ્ત થઈ ઊગનાર જો, વસંત ઋતુ આદિક પણ પાછી આવશે રે લોલ; હાં રે આ આયુષ્ય યૌવન, સૌ સંયોગ જનાર જો,
ઘન આયે પણ પાછાં કોઈ ન લાવશે રે લોલ. ૧૬ અર્થ - નભ એટલે આકાશમાં સૂર્ય, ચંદ્ર કે ગ્રહ, નક્ષત્ર, તારા વગરે અસ્ત થઈ પાછા ઉદય પામે છે. વસંતઋતુ, શરદઋતુ વગેરે પણ પાછા આવે છે, પણ ગયેલું આયુષ્ય કે યૌવનનો સંયોગ તો એવી રીતે જનાર છે કે તેને ઘન આપવા છતાં પણ કોઈ પાછા લાવી શકે એમ નથી. ||૧૬ના.
હાં રે તર્જી આત્મહિતને આર્તધ્યાન કરનાર જો, ઇન્દ્રજાલવત્ જગત, ન નિત્ય રહી શકે રે લોલ; હાં રે તો શાને ફ્લેશિત થાય? સર્વ જનાર જો,
પૂરણ પુણ્ય થયે સંયોગ નહીં ટકે રે લોલ. ૧૭ અર્થ - જીવો પોતાના આત્મહિતને છોડી આર્તધ્યાનમાં કાળ ગુમાવે છે. પણ આ જગત તો ઇન્દ્રજાલવતું એટલે મોહમાયામય છે. તે નિત્ય રહી શકે એમ નથી. તો શા માટે તું તારા આત્માને પર વસ્તુ મેળવવા ક્લેશિત કરે છે. કેમકે અંતે તો સર્વ જનાર છે. પુણ્ય પૂરું થયે આ ઘન કુટુંબાદિકના સર્વ સંયોગો ટકી રહેશે નહીં. ૧થા