________________
૫ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પણ ઉનાળામાં ઘણી ગરમી પડવાથી નદીનું પાણી સૂકાઈ જાય છે, ઘાસ વગેરે પણ સૂકાઈ જવાથી ઉજ્જડ વેરાન જેવું સર્વ જણાય છે. તેમ જગતમાં ઘનવાન નિર્ધન બની જાય છે, યૌવન નષ્ટ થઈ, વૃદ્ધાવસ્થા આવે છે અને કાળે કરીને આયુષ્ય પણ નાશ પામી મરણ નીપજે છે. એમ જગતના સર્વ સંયોગો અનિત્ય છે તો તેમાં શું મોહ કરવો? પા.
હાં રે કોઈ મદિરાછાકે બકતા ભૂલી ભાન જો, તેમ જ મોહે સ્વરૂપ ભૂલી ઑવ બોલતો રે લોલઃહાં રે મારાં રાજ્ય, કુટુંબ, કીર્તિ, કાયા, ઘન, ઘામ જો.”
સંયોગો છૂટતાં પણ દ્રષ્ટિ ન ખોલતો રે લોલ. ૬ અર્થ- જેમ કોઈ દારૂના નશામાં પોતાનું ભાન ભૂલી ગમે તેમ બકે, તેમ આ જીવ મોહવડે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી એમ કહે છે કે આ મારું રાજ્ય છે, આ કુટુંબ, કાયા, ઘન, ઘર વગેરે મારા છે, આ મારી કીર્તિ ગવાય છે, પણ આ બધા કર્માધીન મળેલા સંયોગો કાળ આવ્યું છૂટી જાય છે; છતાં અજ્ઞાનથી મૂઢ બનેલો એવો આ જીવ હજી સમ્યકુદ્રષ્ટિને પામતો નથી. કા.
હાં રે જેમ ઇન્દ્રઘનુષ્યમાં સુંદર રંગ જણાય જો, નાશ થતાં ના વાર ઘડીક લાગતી રે લોલ; હાં રે આ ઇંદ્રિયસુખ સૌ વિદ્યુત્ સમ વહી જાય જો,
અંઘારા સમ પાછળ દુર્ગતિ આવતી રે લોલ. ૭ અર્થ - ચોમાસામાં આકાશમાં બનેલ ઇન્દ્રઘનુષ સુંદર રંગબેરંગી જણાય છે. પણ તેને નાશ થતાં ઘડીક વાર પણ લાગતી નથી. તેમ આ ઇન્દ્રિયસુખ તે વિદ્યુત એટલે વીજળીના ઝબકારા જેવું ક્ષણિક સુખ બતાવી શીધ્ર નાશ પામી જાય છે; અને તેના ફળમાં પાછળ અંઘારા સમાન દુર્ગતિના દુઃખો જીવને ભોગવવા પડે છે. શા
હાં રે જે આંખો તલસે જોવા સુંદર રૂપ જો, તે પણ અંઘ બની નહિ કંઈ નીરખી શકે રે લોલ; હાં રે હિત-અહિતનો વિવેક છે સુખરૂપ જો,
કોણ ચુંકે હિત કરવાનું આવી તકે રે લોલ. ૮ અર્થ :- આપણી આંખો સુંદર રૂપ જોવા તલસે પણ પાપનો ઉદય થાય તો અંઘ પણ બની જાય. પછી કાંઈ જોઈ શકે નહીં. આપણા આત્માનું સાચું હિત શામાં છે કે અહિત શામાં છે, તેનો વિવેક કરવો તે સુખરૂપ છે. તે વિવેક કરવાની તક આ મનુષ્યભવમાં મળી છે તો તેને કોણ વિચારવાન ચૂકે? પાટા
હાં રે બહુ પંખી કેરો તરુ પર સાંજે વાસ જો, પ્રાતઃકાળે સૌ નિજ નિજ પંથે પડે રે લોલ; હાં રે તેમ મળે સંયોગો, સગાંસંબંથી ખાસ જો,
સંયોગ-પળો જ વિયોગણી ઘડીઓ ઘડે રે લોલ. ૯ અર્થ :- ઘણા પક્ષીઓ સાંજે એક ઝાડ ઉપર આવી નિવાસ કરે છે. પ્રાતઃકાળે સર્વે પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે. તેમ સગાં સંબંધીઓના સંયોગો ણાનુબંઘે આ ભવમાં આવી મળે છે. સંયોગ થયો