SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - દેવો, ગંધર્વો, રાક્ષસો, અસુરો, ભૂમિચરો, સર્પો વગેરે તિર્યંચો, રાજા, બ્રાહ્મણ, મનુષ્ય, શેઠ, પક્ષીઓ વગેરે સૌ પોતપોતાના દેહને અંતકાળે મમત્વભાવના કારણે અતિ દુઃખી થઈને તજે છે. લો સ્વજન, ભોગ, અંતકાળમાં, મોહી જનને દે ન આશરો, ડીંટથી તાડિયું ખરે, તેમ જ આયું તૂટતાં મરો. ૧૦ અર્થ :- સ્વજન સંબંધીઓ કે વિષયભોગ, તેમાં મોહ કરનાર આસક્ત જનોને અંતકાળે આશરો આપે નહીં. જેમ ડીટાથી તાડફળ તૂટીને નીચે ખરી પડે તેમ આયુષ્ય તૂટતા મરી જશો. ૧૦ના. મૃતઘર ઘર્મિષ્ઠ બ્રાહ્મણો, ભિક્ષુક માયા-મૂઢ જો રહે, કર્મફળો તીવ્ર પીડશે નરકાદિમાં દુઃખ હા! લહે. ૧૧ અર્થ - બહુશ્રુત એટલે શાસ્ત્રજ્ઞ હો કે ઘર્માત્મા હો, બ્રાહ્મણ હો કે ભિક્ષુક એટલે મુનિ હો, પણ માયાવડે કરીને અસદુ અનુષ્ઠાનથી મૂર્ણિત હશે તો પોતાના જ કરેલા કમોંના ફળો તેને તીવ્ર પીડા આપશે. તે નરકાદિ ગતિઓમાં હા! અનંત દુઃખને પામશે. ./૧૧ જો તત્પર થાય ત્યાગવા અજ્ઞાને તરી ના શકે, કહે : “ધ્રુવ માર્ગ ઉપાય આ જ છે,” આરપાર તો તું ય ક્યાં લહે? ૧૨ અર્થ:- કોઈ અજ્ઞાની આ સંસારને ત્યાગવા તત્પર થાય, પણ અજ્ઞાનને કારણે તે સંસાર સમુદ્ર તરી શકે નહીં. તે અજ્ઞાની સ્વચ્છેદે એમ કહે કે મુક્તિ મેળવવાનો ધ્રુવમાર્ગ આ જ છે, તો તું પણ તેવા અજ્ઞાનીનો આશ્રય કરી મોક્ષમાર્ગ કેવી રીતે જાણી શકીશ? નગ્ન કૃશ શરીરવંત જો માસ માસ ઉપવાસ આદરે, તોપણ માયાદિ જો ઉરે ગર્ભ અનંતા ભાવિમાં ઘરે. ૧૩ અર્થ - તેવા દંભી માયાવી જીવો ભલે શરીરથી નગ્ન કે કૃશ થઈને વિચરે અથવા મહિના મહિનાના ઉપવાસ કરે તો પણ હૃદયમાં માયા મોહાદિ કષાયભાવો હશે તો ભવિષ્યમાં અનંતા ગર્ભને ઘારણ કરશે. II૧૩ના તેથી પાપોથી થોભજો માનવ આયુ બહું જ ટૂંકડું, કામી મોહે કળી રહ્યા અવિરતિને દુઃખ ટૂકડું. ૧૪ અર્થ - તેથી માયા મોદાદિ પાપોથી થોભજો. કેમકે મનુષ્યનું આયુષ્ય બહુ ટૂંકુ છે. કામી પુરુષો અહીં મોહમાં કળી રહ્યા છે. અને અવિરતિ એટલે જેને વ્રત નથી પણ ઇન્દ્રિયોને વશ છે તેવા જીવોને ડગલે ને પગલે દુઃખ ઊભું જ છે. ૧૪ યને વિચરો ય સંયમે દુસ્તર પંથ અણુ-જીંવે ભર્યો, સમ્યક્ વીરે કહેલ તે શિક્ષા સુંણી વર્તવું કરો. ૧૫ અર્થ - માટે સંયમ ઘારણ કરીને ઈર્યાસમિતિપૂર્વક યત્નાથી વિહાર કરો. કેમકે સૂક્ષ્મ પ્રાણીઓથી યુક્ત માર્ગ ઉપયોગ રાખ્યા વિના પાર કરવો દુરૂર છે. આ સવળી શિખામણ વીર પ્રભુએ કહેલ છે. તે સાંભળીને તે પ્રમાણે વર્તન કરો. I૧પો
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy