________________
(૫૩) સમાધિ-મરણ ભાગ-૨
૩ ૧
સુકોશલ મુનિ બેય કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. રરા
નવદીક્ષિત સુકમાલ મુનિને ખાય શિયાળ બચ્ચા સાથે, પગ પૂરો કરી, પેટ ફાડતાં થાય મરણ ત્રીજી રાતે. રાઈ ખુંચે તેવા કોમળ નર ઘોર વેદના સહે, અહો!
તો તમને શું ભૂખ-ત્તરસનું દુઃખ અસહ્ય જણાય, કહો!૨૩ અર્થ - આખી અવન્તિ એટલે ઉજ્જૈનમાં સુકુમાળ એવા સુકમાલે દીક્ષા લીધી. એકવાર આ નવદીક્ષિત મુનિ જંગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા હતા. ત્યાં એક શિયાળ તેના બચ્ચા સાથે આવી તેમને ખાવા લાગ્યું. પગ પૂરો કરી પેટ ફાડતા ત્રીજી રાતે તેમનું મરણ થયું. રાઈ ખૂંચે તેવા કોમળ તે નર હતા છતાં ઘોર વેદનાને સહન કરી. તો અહો! તમને આ ભૂખ તરસનું દુઃખ પણ અસહ્ય જણાય છે? આના કરતાં તેમને કેટલું દુઃખ હશે છતાં સમતાએ સહન કરી ઉત્તમ ગતિને પામ્યા.
અવન્તિ સુફમાલનું દ્રષ્ટાંત - ઉજ્જયની નગરીમાં ભદ્રા શેઠાણીનો પુત્ર અવન્તિ સુકમાલ હતો. બત્રીસ કન્યાઓ પરણ્યો હતો. એકવાર આર્ય સુહસ્તિસૂરિનો સ્વાધ્યાય સાંભળી પોતાને જાતિસ્મરણ જ્ઞાન ઉપર્યું. પૂર્વભવમાં નલિની ગુલ્મ વિમાનમાંથી હું અહીં આવ્યો છું. તે જાણતાં અહીનાં ભોગ, દેવતાઈ ભોગ આગળ તુચ્છ જણાયા. તેથી મુનિ પાસે જઈ દીક્ષા લઈ અનશન કરી કાઉસ્સગ ધ્યાનમાં ઊભા રહ્યા. ત્યાં પૂર્વભવમાં અપમાનિત કરેલ ભાભીનો જીવ શિયાળણી થયેલ, તે પોતાના બચ્ચા સાથે ત્યાં આવી તેમનો પગ ખાઈ પેટ ફાડતાં ત્રીજી રાતે સમાધિમરણ સાથી પાછા નલિની ગુલ્મ વિમાનમાં જઈ ઉત્પન્ન થયા. સમતાભાવે દુઃખ સહન કરવાથી કમોંની બળવાન નિર્જરા થઈ. રહા
પૂર્વભવમાં અવન્તિ સુકુમાળના મોટા ભાઈએ દીક્ષા લીઘેલી. તેમને પાછા ઘરે લાવવા માટે ભાભી વારંવાર દિયરને કહ્યા કરે. દિયરે કહ્યું કે દિક્ષિત મુનિને પાછા ઘરે આવવા માટે કેમ કહેવાય? છતાં વારંવાર ઘરે લાવવાની વાત ભાભી કહેતા, એકવાર ગુસ્સો આવવાથી ભાભીને લાત મારી. ત્યારે ભાભીએ પણ એવો ભાવ કર્યો કે હમણાં તો હું અબળા છું પણ આવતા ભવમાં એના પગને ખાનારી થાઉં. તેથી મરીને શિયાળણી થઈ.
પરવશ ચાર ગતિમાં વેઠ્યાં દુઃખ, હવે ખુશીથી સહવાં, મરવાની ય ન ઇચ્છા કરવી, ભય તર્જી સલ્તરણાં ગ્રહવાં. સ્વજન-મિત્રની સ્મૃતિ તજો; નહિ ભોગ નિદાન કદી કરશો
એ અતિચારો રહિત સમાધિ-મરણ કરો તો ભવ તરશો.” ૨૪ અર્થ - ચારે ગતિમાં આપણા આત્માએ પરવશપણે અનંત દુઃખો વેઠ્યા છતાં હવે જે દુઃખ આવે તેને સ્વેચ્છાએ ખુશીથી સહન કરવા જોઈએ. દુઃખ દેખી મરવાની પણ ઇચ્છા કરવી નહીં. પણ મરણનો ભય ત્યાગી સલ્હરણાં ગ્રહવા અર્થાત્ સદેવગુરુથર્મનું શરણ અંગીકાર કરવું.
સજ્જન એટલે પોતાના કુટુંબીઓ કે મિત્રની સ્મૃતિનો પણ ત્યાગ કરવો અને ભોગ નિદાન એટલે ભોગને અર્થે કોઈ પણ પ્રકારનું નિયાણું કરવું નહીં. એમ અતિચારરહિત શુદ્ધભાવથી સમાધિમરણ કરશો તો તમે ભવસાગરને જરૂર તરી જશો. રજા