SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ પ્રાણીઘાત કરાવે, જૂઠી વચન-પ્રવૃત્તિ પ્રેરે તે, આજ્ઞા પૂજ્ય પુરુષની Ăલવે, યશ-ઘનને સંહારે છે. ૩૮ અર્થ :– ક્રોધ છે તે તપરૂપ પલ્લવ એટલે કૂંપળ અર્થાત્ નવાં ઉગેલાં તપરૂપ પાંદડાને ભસ્મ કરી દે, શુભકર્મરૂપી જળને શોષી લે છે. ક્રોધાદિ કષાયથી મનરૂપી નદી તે કાદવની ખાઈ બની જાય છે અને મનમાં કઠોરતા વ્યાપે છે. ક્રોધ પોતાના કે પરનો પ્રાણ ઘાત પણ કરાવે અને જૂઠ બોલવામાં પ્રેરણા આપે છે. ક્રોધ સત્પુરુષની આજ્ઞાને ભુલાવે છે અને પોતાના યશરૂપી ઘનનો પણ નાશ કરે છે. ।।૩૮।। પરનિંદા પ્રેરે, ગુણ ઢાંકે, મૈત્રી-મુળ ઉખાડે છે, વીસરાવે ઉપકાર કરેલા, અપકારો વળગાડે છે; અનેક પાપ કરાવી વને ક્યાય નરકે નાખે છે, તેથી સુજ્ઞ ōવો તો નિત્યે ઉપશમ-૨સ ઉર રાખે છે. ૩૯ અર્થ :— ક્રોધાદિ કષાયો જીવને પરનિંદામાં પ્રેરે છે, બીજાના ગુણોને ઢાંકે છે અને ક્રોધ કરી મૈત્રીના મૂળને ઊખેડી નાખે છે. કરેલા ઉપકારોને ભુલાવી અપકાર કરવામાં પ્રેરણા આપે છે. આ પ્રમાણે અનેક પાપો કરાવી કષાય ભાવો જીવને નરકમાં નાખે છે. તેથી સુશ એટલે વિચારવાન જીવો તો નિત્યે ઉપશમરસ અથવા કષાયોને શમાવારૂપ શાંતરસને હૃદયમાં રાખે છે. રૂા ૫૨ વસ્તુમાં મમતા કરતાં કષાય-કારણ જાગે છે, તેથી ત્યાગ પરિગ્રહનો કરી, નિજ હિતમાં જીવ લાગે છે; ‘વચન સહન ના થયું’ પવન તે ક્રોધઅનલ ઉશ્કેરે છે, પ્રતિવચન રૂપ ઇંથન નાખી સર્તન ખંખેરે છે. ૪૦ અર્થ :— હવે કષાય ઉદ્ભવવાના કારણ શું છે તે જણાવે છે :— = જગતના પર પદાર્થોમાં મમતા એટલે મારાપણું કરવું તે કષાય જન્મવાનું કારણ છે. તેથી પરિગ્રહનો ત્યાગ કરીને સાધક પોતાના આત્મહિતમાં લાગે છે. જો વચન કોઈનું સહન ન થયું તો તે વચન પવન સમાન બની ક્રોધરૂપી અગ્નિને ઉશ્કેરે છે. તેમાં સામા વચન બોલવારૂપ લાકડા નાખી ક્રોધાગ્નિને વધારી પોતાનું સર્તન ખંખેરે છે અર્થાત્ પોતાનું પોત બતાવી આપે છે કે મારા કષાયો ઘટ્યા નથી. ૪) સાથે સમ્યક્ દર્શન ખોવે, પાપબીજ જીવ વાવે છે, ભવ-ભ્રમણે કારણ એ જાણી, સમજુ ક્રોધ શમાવે છે; સજ્જનની શિખામણ સુણે, થયેલ દોષ ખમાવે છે, દોષો તજવા કરી પ્રતિજ્ઞા, મસ્તક નિજ નમાવે છે. ૪૧ અર્થ :– કષાયના પ્રવર્તનથી જીવ સમ્યક્દર્શનને પણ ખોઈ નાખી પાપના બીજ વાવે છે. સંસાર ભ્રમણનું કારણ પણ કપાય છે એમ જાણીને સમજુ પુરુષો ક્રોધને શમાવે છે. તે સજ્જન પુરુષોની શિખામણ સાંભળી પોતાના થયેલા દોષોને ખમાવે છે. અને નવા દોષો ન થવા માટે પ્રતિજ્ઞા કરીને પોતાનું મસ્તક નમાવી ક્ષમા માગે છે. ।।૪।।
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy