________________
૧ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
• વાવ છે.
સપુરુષોને મૃત્યુંકાળે વ્યાથિ-વેદના જે આવે,
દેહ-મોહ તે પૂર્ણ તફાવે સ્વરૂપ-સુખમાં મન લાવે. ૨૩ અર્થ - શરીરરૂપી નગરીનો રાજા એવો આ આત્મા પોતાના જ કરેલા સુકૃત એટલે સારા કર્મોના પુણ્યફળ ભોગવવા જ્યારે દેવાદિક ગતિમાં જવા તૈયાર થયો, ત્યારે પંચભૂતનું બનેલું આ પ્રપંચમયે શરીર તેને ખાળી એટલે રોકી શકે નહીં. કેમકે તે તો જડ છે. જડ એવું શરીર તો કહી શકે નહીં કે હે આત્મા! તું મારી પાસેથી કેમ ગયો?
સપુરુષોને મૃત્યુ સમયે વ્યાધિ વેદના આવે તે દેહ ઉપરના મોહને પૂર્ણ તજવામાં નિમિત્તભૂત બને છે. તેઓ પોતાના મનને તે વખતે સ્વરૂપ સુખમાં લીન કરે છે. “મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે.” (વ.પૃ.૩૭૯) ૨૩/
સંતાપ સહન મૃત્યુનો કરીને અમૃતલીલા જ્ઞાન લહે. જેમ ઘડો કાચો અગ્નિમાં તાપ સહી શિવ-શીર્ષ રહે. કષ્ટ સહી વ્રત-ફળ ઑવ પામે; તે જ સમાધિ-મરણ વડે
સુખે સુખે પામે છંવ, અંતે જો શુભ ધ્યાને ચિત્ત ચઢે. ૨૪ અર્થ :- મૃત્યુનો સંતાપ સહન કરીને અમૃતલીલા એટલે અવિનાશી લીલાસ્વરૂપ એવા મોક્ષને જ્ઞાની પુરુષો પામે છે. જેમ કાચો ઘડો અગ્નિમાં પરિપક્વ થઈને શિવલિંગ ઉપર બિરાજમાન થાય છે, તેમ શુદ્ધ આત્માને પ્રાપ્ત એવા જ્ઞાનીપુરુષ મોક્ષના શિખર ઉપર જઈને બિરાજમાન થાય છે.
અનેક પ્રકારના કષ્ટ સહીને વ્રતનું ફળ જીવો પામે છે તે જ ફળ સમાધિમરણ વડે જીવો સુખે સુખે પામી શકે છે, જો અંત વખતે શુભધ્યાનમાં ચિત્ત રહે તો; અર્થાતુ અંત વખતે દેહકુટુંબ પ્રત્યે ચિત્ત ન રાખતાં સરુ શરણમાં ચિત્ત રહ્યું તો ઉત્તમ ફળ સહેજે પ્રાપ્ત થવા યોગ્ય છે. ૨૪ો.
આર્તધ્યાન તર્જી શાંતિપૂર્વક દેહ તજે જે સદ્ઘર્મી, પશું, નરક, નીચ ગતિ નવ પામે, થાય સુરેશ્વર સત્કર્મી. તપના તાપ સહીને અંતે કે વ્રત પાળી, સુશાસ્ત્ર ભણી,
કરવા યોગ્ય સમાધિ-મૃત્યું; તે થયું તો થઈ વાત ઘણી. ૨૫ અર્થ – આર્તધ્યાનનો ત્યાગ કરી શાંતિપૂર્વક જે સદ્ઘર્મી આ દેહનો ત્યાગ કરશે તે પશુ, નરક કે નીચ ગતિ પામશે નહીં. પણ તે સત્કર્મી સુરેશ્વર કહેતા સુરનો ઈશ્વર અર્થાત ઇન્દ્રની પદવી પણ પામી શકે. તપના તાપ સહન કરીને કે વ્રત પાળીને કે સુશાસ્ત્ર ભણીને જે કરવા યોગ્ય અંતમાં સમાધિમરણ છે તે જો થઈ ગયું તો ઘણી મોટી વાત થઈ ગઈ. કેમકે અનાદિકાળમાં અનંત જન્મમરણ કરતાં છતાં પણ તે હજુ સુધી પ્રાપ્ત થયું નથી માટે. ૨પાા
અતિ પરિચિત પ્રતિ થાય અવજ્ઞા”, “પ્રીતિ નવીન પર ઝટ પ્રગટે, એમ કહે જન; તો પરિચિત આ દેહ બદલતાં ડર ન ઘટે સમાધિમરણ કરી, અમરગતિ વરી, ફરી નરભવ ઉત્તમ પામી,
નટ સમ જગ-જન-મન રંજનથી જીંવ બનશે શિવપદ-સ્વામી. ૨૬ અર્થ :- લોકોમાં એમ કહેવાય છે કે અતિ પરિચિત પ્રત્યે અવજ્ઞા થાય, અને નવી વસ્તુ ઉપર ઝટ