________________
૧
૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
મરણ અનંતાનંત કર્યા, નથી પંડિત-મરણ કર્યું જ કદા, થયું હોત સમાધિ-મરણ કદી હોત ન આ મૃત્યુ-વિપદા. ભવ-અટવીમાં રાગાદિ વશ ભટકાવાનું કેમ ટળે?
એ અભિલાષા ઉર ઘરે, વળી ચિંતે લાગ ફરી ન મળે. ૧૬ અર્થ - વળી વિચારે છે કે મેં પૂર્વે અનંતાનંત મરણ કર્યા પણ આત્મજ્ઞાન સહિત મુનિનું મરણ જે પંડિત મરણ કહેવાય છે એવું મરણ મેં કદી કર્યું નથી. જો મારું પૂર્વે કદી સમાધિમરણ થયું હોત તો આ મૃત્યુની વિપદા કહેતા વિપત્તિ અથવા પીડા મને હોત નહીં.
સંસારરૂપી અટવી કહેતા જંગલમાં રાગાદિ મોહવશ ભટકવાનું કેવી રીતે ટળે? એ અભિલાષા હૃદયમાં રહે છે. વળી ચિંતન કરવાથી એમ લાગે છે કે આવો લાગ એટલે આવી રૂડી જોગવાઈ ફરી ફરી મળવાની નથી. ૧૬
દેહ પ્રતિ વૈરાગ્ય રહે, અતિ ખેદ ભીતિ દુખ શોક ટળે, સત્ય શરણના ગ્રહણ તણું બળ અંતિમ કાળે નક્કી મળે; તે અર્થે સુવિચાર થવાને મૃત્યુ-મહોત્સવ ગ્રંથ ભલો,
સપુરુષે જ કહ્યો ઉપકારક, સાર સુણો તેનો વિમલો : ૧૭ અર્થ - જે જીવને આ દેહ પ્રત્યે વૈરાગ્ય રહે અને અત્યંત ખેદ, ભય, દુઃખ કે શોક ટળી જાય તો સાચું વીતરાગનું શરણ ગ્રહણ કરવાનું બળ અંત કાળે તેને જરૂર પ્રાપ્ત થાય.
આવી સુવિચારણા ઉત્પન્ન કરવાને માટે “મૃત્યુ મહોત્સવ” નામનો એક ભલો ગ્રંથ છે. તે પુરુષ ઉપકાર કરવા માટે કહ્યો છે. તેનો વિમલો એટલે પવિત્ર સાર અત્રે જણાવું છું તે તમે સાંભળો. ૧ળા
મુક્તિપુર લર્ગી ચાલે તેવું બોધિ-સમાધિ-સુભાતું ચહું, તે દેવા વીતરાગ પ્રભુને વિનવી સન્શરણે જ રહું. તન-પિંજર મુજ જીર્ણ થયું છે કૃમિકુલ-જાલે ખદબદતું,
ભસ્મ થવાનું, તેનો ભય શો? જ્ઞાનતનું હું, અભય રહું. ૧૮ અર્થ :- હે પ્રભુ! મુક્તિપુર એટલે મોક્ષનગર સુધી ચાલે એવા બોધિ સમાધિરૂપ સમ્યક ભાતાને હું ઇચ્છું છું. સમ્યક દર્શનજ્ઞાનચારિત્ર એ રત્નત્રય છે અને બોધિ પણ કહેવાય છે. તે સાથે મરણ તે સમાધિમરણ છે. એવા બોધિ સહિત સમાધિમરણને હું ચાહું છું. તે આપવા માટે વીતરાગપ્રભુને વિનંતી કરી તેમના જ સલ્તરણમાં સ્થિર રહું. હવે મારું આ શરીરરૂપી હાડપિંજર જીર્ણ થઈ ગયું છે અને કૃમિઓના જાળથી ખદબદે છે. તે શરીર હવે ભસ્મ થવાનું છે. તો તેનો મને ભય શો? હું તો જ્ઞાનતનુ કહેતા જ્ઞાનરૂપી શરીરવાળો આત્મા છું; માટે હમેશાં અભય રહું. ||૧૮.
મૃત્યુમહોત્સવ પ્રાપ્ત થયે, ભય કેમ ઘટે? પટ જેમ તજું, દેહ-દેશ ઍક દેશાંતરમાં જતાં સમાધિભાવ ભજું. સત્કર્મોનું ફળ દે સ્વર્ગે લઈ જઈ મૃત્યુ મિત્ર ખરો,
તો ડર કોણ મરણનો રાખે? સર્વ મળી સત્કાર કરો. ૧૯ અર્થ - મૃત્યુ મહોત્સવ પ્રાપ્ત થયો છે તો તેનો ભય રાખવો કેમ ઘટે? જેમ જૂનું વસ્ત્ર મૂકી નવું