________________
૧૭ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
માટે પાંચેય પરમગુરુ પણ કહેવાય છે. એ પાંચેયને શુદ્ધ આત્માનો અનુભવ થોડો ઘણો પણ સરખો છે. આપણા સર્વનું મૂળ સ્વરૂપ એ જ હોવાથી એ પંચ પરમપદને ભક્તિપૂર્વક નમસ્કાર કરવા તથા તેમના શુદ્ધ સ્વરૂપનું નિરંતર સ્મરણરૂપે ચિંતવન કરવાનો શ્રી ભગવંતનો ઉપદેશ છે.
કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો છે એવા અહંતુ ભગવાન; શુદ્ધ ચૈતન્યપદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન; જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન; દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાઘતા એવા સાથુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું.” (વ. પૃ.૫૮૦) હવે આગળના પાઠમાં ‘પાંચ પરમપદ વિષે વિશેષ વિચાર કરવામાં આવે છે :
(૬૮)
પાંચ પરમ પદ વિષે વિશેષ વિચાર
(શ્રી નમિ જિનવર-સેવ ઘનાઘન ઊનમ્યો રે-ઘના૦)
શ્રીમદ્ સદગુરુ રાજને પ્રણમી હું વીનવું રે, પ્રણમી હું વનવું રે, સહજ સ્વરૂપે સ્થિતિ પરમ પદ લખવું રે, પરમ પદ લખવું રે;
સહજાત્મસ્વરૂપ છે પાંચ પરમ પદ ભેદથી રે, પરમ
વીર વચન અનુસાર કહ્યું હું ઉમેદથી રે કહ્યું. ૧ અર્થ :- શ્રીમદ્ સદ્ગુરુ રાજપ્રભુને પ્રણામ કરીને હું વિનયપૂર્વક વિનવું છું કે જે આત્માઓ પોતાના સહજ આત્મ સ્વરૂપમાં સ્થિત હોય તેને હું પરમપદમાં ગણું છું. તે પાંચેય પરમેષ્ઠિ સહજાત્મસ્વરૂપ છે. પણ તેમાં કયા કયા પ્રકારે ભેદ છે તે ભગવાન મહાવીરના વચનાનુસાર અત્રે હું ઉમેદથી એટલે ઉલ્લાસપૂર્વક અત્રે જણાવું છું. એમ પૂ.શ્રી બ્રહ્મચારીજીનું આ કથન છે. ||૧||
દોષ રહિત તે દેવઃ રાગાદિક દોષ છે રે, રાગા જ્ઞાનાવરણાદિ કર્મ સહિત સદોષ છે રે; સહિત ક્ષાયિક દર્શન-જ્ઞાન-વીર્ય-સુખ પૂર્ણ જે રે, વીર્ય
અનંત ચતુષ્ટયયુક્ત અરિહંત દેવ છે રે. અરિ૦ ૨ અર્થ - હવે પ્રથમ ભગવંત અરિહંતનું સ્વરૂપ વર્ણવે છે. જે અઢાર દૂષણથી રહિત દેવ છે. તે રાગાદિક અઢાર દોષ આ પ્રમાણે છે. ભૂખ, તરસ, રાગ, દ્વેષ, જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ, રોગ, શોક, ભય, આશ્ચર્ય, નિદ્રા, ખેદ, પરસેવો, ગર્વ, મોહ, અરતિ અને અરુચિ. એ બધા દોષોમાં મુખ્ય રાગદ્વેષ છે. સંસારી જીવો જ્ઞાનાવરણીયાદિ કર્મોથી યુક્ત છે તે બધા દોષ સહિત છે. પણ જેને ક્ષાયિકરૂપે અનંત દર્શન, જ્ઞાન, વીર્ય અને સુખ ગુણ પૂર્ણપણે પ્રગટ થયા છે એવા અનંત ચતુષ્ટયયુક્ત શ્રી અરિહંત ભગવાન તે જગતમાં સાચા દેવ છે. રા.
દિવ્ય ઔદારિક દેહ ઘાતકર્મ મુક્ત તે રે, ઘાતી, દે દેશનારૂપ ઘર્મ ત્રિલોકમાં પૂજ્ય છે રે; ત્રિલોક