SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૭) સદ્ગુરુ-સ્તુતિ ૧૭૧ “સપુરુષ મળે આ સપુરુષ છે એટલું જાણી, સપુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો, અને અનુક્રમે તે રક્તભાવ મોળો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી; તથાપિ સન્મુરુષને વિષે, તેના વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી; અને સન્મુરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે.” (વ.પૃ.૪૧૯) //૪૦માં સદગુરુ પ્રત્યે પ્રેમ ન જાગે, સબોઘે નહિ રાચે રે, ગુરૃવચનના આશય પ્રત્યે પ્રીતિ-ભક્તિ ના વાગે રે. શ્રીમદ્ અર્થ:- જો જીવને સદ્ગુરુ પ્રત્યે પ્રેમ જાગે નહીં, તેમના સમ્યબોઘમાં ભક્તિપૂર્વક રાચે નહીં. કે તેમના વચનના આશય પ્રત્યે પ્રીતિ ભક્તિ વધે નહીં તો આત્મકલ્યાણ પણ થાય નહીં. ૪૧ાા. તો ના આત્મવિચાર ઊગે કર્દી પરમાં રહે આસક્તિ રે, પર-વ્યાપારે પરાધીન બન પરની કરશે ભક્તિ રે. શ્રીમદ્ અર્થ :- સદ્ગુરુ કે તેમના વચન પ્રત્યે પ્રેમ આવે નહીં તો આત્મવિચાર પણ કદી ઉત્પન્ન થાય નહીં અને પર પદાર્થમાં જ તેની આસક્તિ રહે છે. એવા જીવો પરવસ્તુઓની લેવડદેવડમાં જ રાગપૂર્વક રાચી રહી પરની જ ભક્તિ કર્યા કરશે. ૪રા સદગુયોગે જીવ વિચારે : “સાઘન આજ સુથીનાં રે લક્ષ વિનાના બાણ સમાં સૌ નિષ્ફળ હતાં કુ-ઘીનાં રે. શ્રીમદ્ અર્થ - જો સાચો મુમુક્ષ હોય તો સદગુરુનો યોગ થયા પછી એમ વિચારે કે આજ સુધીના મારા કલ્યાણને અર્થે જે સાધન હતા તે લક્ષ વિનાના બાણ સમા સર્વ નિષ્ફળ હતા. તે કુ-ઘી એટલે મિથ્થાબુદ્ધિથી ઉત્પન્ન થયેલા હતા. “જીવને સત્પરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સસ્તુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો મારા સર્વ સાઘન સફળ થવાનો હેતુ છે.” (વ.પૃ.૪૧૯) //૪૩ી અપૂર્વ સદ્ગશ્યોગે સઘળાં સાઘન સફળ થવાનાં રે, લાગ ન ચૂકું હવે પ્રમાદે, કાઠું નહિ કોઈ બા’નાં રે. શ્રીમદ્ અર્થ - હવે અપૂર્વ સદ્ગુરુનો યોગ મળવાથી સઘળાં સાઘન સફળ થવાનો જોગ છે. માટે હવે પ્રમાદમાં પડી રહી કોઈ બહાનું કાઢીને આવો અપૂર્વ લાભ ચૂકું નહીં. ૪૪ ઊંડું અંતરમાં વિચારી દ્રઢ પરિણામ ટકાવી રે, જાગ્રત થઈને જાગ્રત રહું હું, સપુરુષાર્થ જગાવી રે. શ્રીમદ્ અર્થ - ઉપરોક્ત વાતને અંતરમાં ઊંડી વિચારી આત્મભાવને દૃઢપણે ટકાવી રાખું તથા સપુરુષાર્થ જગાવી જાગૃત થઈને સદા જાગૃત રહું. ૪પા અપૂર્વ ફળ મળવાના યોગે પાછી પાની ન થારું રે, અંતરાય કરનારાં કારણ શોથી શોથ નિવારું રે.” શ્રીમદ
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy