________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
અર્થ સત્પુરુષના બોધબળે મારા વિષયકષાય વિદેશ જતાં રહો. વિષયકષાયની મને સ્વપ્ન પણ સ્મૃતિ ન હો. હવે કષાયના ઉપશમનરૂપ રસમાં નિત્ય પ્રત્યે સ્નાન કરતાં, દેહરૂપી કેદને ગણું નહીં; અર્થાત્ દેહની વિશેષ સંભાળ લઉં નહીં, પણ આત્માની સંભાળ લઉં, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. ।।૧૨।
૧૬૬
સદ્ગુરુયોગ વિના સાથે પણ વિષય-કષાયે કૂદે રે, નટ સમ નાચે આસક્તિમાં, જરા નહીં ખર્ચી ખૂંદે રે, શ્રીમદ્
અર્થ :– આત્મજ્ઞાની સદ્ગુરુના યોગ વિના તો સાધુપુરુષો પણ વિષયકષાયમાં મહાલે છે, તેમની વૃત્તિઓ પણ આસક્તિને કારશે વિષયોમાં નટ સમાન નાચે છે. તથા વૃત્તિની મલિનતાના કારણે આવેલ દુ:ખને જરા પણ ક્ષમાભાવે સહન કરી શકતા નથી. ।।૧૩।।
મહા ભયંકર મમતા સેવે, નિજ સ્વરૂપ ન જાણે રે, કામ-ભોગમાં ચિત્ત પરોવે, પડતા દુર્ગતિ-ખાણે રે. શ્રીમદ્॰
અર્થ :– કુગુરુ આશ્રયે રહેલા એવા સાધુપુરુષો પર વસ્તુઓમાં મહા ભયંકર મમતાભાવ સેવે છે. · જેને પોતાના આત્મસ્વરૂપનું પણ ભાન નથી તેથી કામભોગમાં ચિત્ત પરોવી આયુષ્ય પુરું થયે દુર્ગતિરૂપી ખાણમાં જઈ પડે છે. ૧૪૫
સદ્દગુરુ-યોગે જો સમજી લે શરીર સંયમ કાજે રે,
સમતા સાથે તે જન સાધુ, અવસર આવ્યો આજે રે. શ્રીમદ્
અર્થ :– સદ્ગુરુના યોગે જો તે સાધુપુરુષો સમજી લે કે આ શરીર તો માત્ર સંયમ કાજે છે, તો તે સમતાભાવને સાધશે. તે જ ખરા સાધુપુરુષ છે. તેવા સાચા સાધુપુરુષો સદ્ગુરુનો યોગ મળવાથી આત્મજ્ઞાન પ્રાપ્તિનો અપૂર્વ અવસર આવ્યો જાણી તેમની આજ્ઞાને ઉપાસી જીવન ધન્ય બનાવશે. ।।૧૫।।
સ્વરૂપ સમજી સદ્ગુરુ દ્વારા શમાય તે જગ જીતે રે,
સર્વ શક્તિએ સદ્ગુરુ આજ્ઞા ઉઠાવશે તે પ્રીતે રે. શ્રીમદ્
અર્થ ઃ— • સદ્ગુરુ દ્વારા પોતાના આત્મસ્વરૂપને સમજી જે શમાય તે જગતની વાસનાને જીતી જશે. તે ઉત્તમ શિષ્યો પોતાની સર્વ શક્તિથી શ્રી સદ્ગુરુદેવની આજ્ઞાને પરમ પ્રીતિપૂર્વક ઉઠાવવાનો સતત ઉદ્યમ કરશે. ।।૧૬।।
આત્મજ્ઞાની ગુરુ સમદર્શી છે, ઉદયાર્થીન જે વર્તે રે,
સત્ક્રુતરૂપ વાણી જે વદતા, જીવે સ્વપર-ઠિત અર્થે રે. શ્રીમદ્૰
અર્થ :– આત્મજ્ઞાની એવા સદ્ગુરુ માન અપમાન, હર્ષ શોક આદિમાં સમદર્શી રહે છે. માત્ર ઉદયાધીન વર્તે છે. સર્વ શ્રુતના નિચોડરૂપ જે વાણી પ્રકાશે છે તથા સ્વપરના હિતાર્થે જ જેનું જીવન છે. “આત્મજ્ઞાન સમદર્શિતા; વિચરે ઉદયપ્રયોગ;
અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્દગુરુ લક્ષણ યોગા''-શ્રીમદ્ રાજચંદ્ર ।।૧૭।। જિતેન્દ્રિય, જિતમોહ, નિરિચ્છક સ્વ-સ્વરૂપમાં રમતા રે, નિરુપાર્થિક સુખમા નિરંતર ભક્તજનોને ગમતા રે. શ્રીમદ્