SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (પર) સમાધિ-મરણ ભાગ-૧ “અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. (વ.પૂ.૨૬૩) “સાચા પુરુષની આજ્ઞા આરાધે તે ૫રમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે.’” (વ.પૃ.૭૨૪) ।।૨૪।। જ્ઞાનીપુરુષની આજ્ઞા પ્રમાણે જે જીવ વર્તે તેને અંતકાળે સમાધિમરણની પ્રાપ્તિ થાય. સમાધિમરણ એ મોક્ષનું કારણ છે. એકવાર જો સમાધિમરણ થાય તો મોક્ષે જતા સુધી જેટલા મરણ કરવા પડે તે બધા સમાધિમરણ જ થાય એવો નિયમ છે. એ મોટો લાભ છે. સર્વ પ્રકારની આરાધનાનું ફળ અંતે સમાધિમરણ આવવું જોઈએ. એવા સમાધિમરણની પ્રાપ્તિ અર્થે વિસ્તારથી આગળના બે પાડોમાં જણાવવામાં આવે છે, (૫૨) સમાધિમરણ ભાગ-૧ (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે—એ રાગ) * શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર-પદ વંદું સહજ સમાધિ ચઢી, સદ્દગુરુ-ચરણે ચિત્ત વસો મુજ, એ જ ભાવના હ્રદય રહી. દેઢ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા, તે ભગવંત નિરંતર ભજતાં, દોષ રહે કહો કેમ કશા?૧ ૧ ૧ અર્થ :— શ્રીમદ્ સદ્ગુરુ ભગવંત રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં સહજ સમાધિ એટલે નિર્વિકલ્પ સમાધિને પામવાની ઇચ્છા રાખી પ્રજ્ઞામ કરું છું. તે સદ્ગુરુના ચરણકમળમાં મારું ચિત્ત વાસ કરીને રો, એ જ ભાવના મારા હૃદયમાં સદા જાગૃત રહી છે. કેમકે દે હોવા છતાં પરમકૃપાળુદેવની દેહાતીત એટલે દેહથી જુદી એવી અપૂર્વ આત્મદશા નિત્ય વર્તે છે. “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી.'' (વ..૨૯૦) એવા સદ્દગુરુ ભગવંત પરમકૃપાળુદેવને નિરંતર ભજતાં કોઈપણ પ્રકારના દોષ કેમ રહી શકે ? ।।૧।। સદ્ગુરુ-બોધે, અંતર્શોથે શુદ્ધ સ્વરૂપ જે ઓળખશે, તેમાં તલ્લીન એવાને તે સત્પુરુષાર્થ કર્યા કરશે. સ્થિરતા વીર્ય વિના ન ટકે ત્યાં વ્રતાદિથી શુભ ભાવ કરે; સમાધિ સહિત મરણ, ફળ વ્રતનું, નિશ્ચય એ ઉરમાંહિ ઘરે. ૨ અર્થ :– એવા સદ્ગુરુ પરમકૃપાળુદેવના બોઘે અંતર્આત્મામાં શોધ કરીને જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ઓળખશે, તે સદા તેમાં જ તલ્લીન રહેવાનો પુરુષાર્થ કર્યા કરશે. કેમકે આત્મામાં નિરાકુળ સુખનો સ્વાદ ચાખ્યા પછી બહારના ઇન્દ્રિય સુખો તેને તુચ્છ ભાસી. તે આત્મસ્વરૂપમાં સ્થિરતા આત્મવીર્ય વિના કે ચારિત્રમોહનીય કર્મના ગયા વિના ટકશે નહીં; ત્યારે
SR No.009277
Book TitlePragnav Bodh Part 02 - Pages From 001 to 208
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size103 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy