________________
(૬૧) જિનમત-નિરાકરણ
૧૦૯
ખોટું કહીને પણ બીજા સંતના સમાગમથી તેને દૂર કરે છે. “જીવને સન્મુરુષનો યોગ મળવો દુર્લભ છે. અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ઘર્મમાં જાય તો તાવ ચઢે છે. પારમાર્થિક ગુરુને “આ મારો શિષ્ય છે” એવો ભાવ હોતો નથી. કોઈ કુગુરુ આશ્રિત જીવ બોઘશ્રવણ અર્થે સરુ પાસે એક વખત ગયો હોય, અને પછી તે તેના તે કુગુરુ પાસે જાય, તો તે કુગુરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તો સઅસત્ વાણીની પરીક્ષા નથી એટલે ભોળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે.” (વ.પૃ.૬૮૫) I/૧૦થી
સંત વગોવે, શોઘ તજાવે, લોકલાજથી દાબે રે,
બાળબુદ્ધિ જીવોને મોહે કુંગુરુ રાખે તાબે રે. શ્રીમદ્દ અર્થ - કુગુરુ હોય તે શિષ્ય પાસે સાચા સંતના વગોવણા કરી તેને સાચી શોઘ કરતા અટકાવે છે. નહીં છોડે તો લોકલાજની બીક બતાવીને પણ તેના ઉપર દબાણ લાવે છે. એમ બાળબુદ્ધિ જેવા અજ્ઞાની જીવોને મોહી એવા કુગુરુઓ પોતાના તાબામાં રાખે છે; સતુ જાણવા દેતા નથી. ||૧૧||
મોહી ગુરુ પેઠે નહિ સંતો વાડા રચી વઘારે રે,
ઊલટા-આગ્રહ તે તોડાવે, હિત બતાવી સુથારે રે. શ્રીમદ્ અર્થ - મોહી કુગુરુની જેમ સંતપુરુષો ગચ્છમતના વાડા રચી તેને વધારે નહીં. પણ તે મહાપુરુષો, વિપરીત ગચ્છમતના થઈ ગયેલા આગ્રહોને તોડાવે છે અને આત્માનું સાચું હિત શામાં છે તે બતાવી જીવોના ભાવ સુધારે છે. ૧૨ાા.
સત્સંગતિનો યોગ બને ના, જિજ્ઞાસા નહિ જબરી રે,
કુંગુરુ-સંગે મમતા પોષે, સમજ પામવી અઘરી રે. શ્રીમદ્ અર્થ - ઉપરોક્ત કારણોને લઈને જીવોને સત્સંગતિનો યોગ બનતો નથી. તેમજ પૂર્વનું આરાઘકપણું નહીં હોવાથી આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા પણ એવી જબરી નથી. તેથી માત્ર કુગુરુના સંગમાં આવવાથી પોતાના ગચ્છમતની મમતાને પોષવામાં જ ઘર્મ માને છે. આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મની સાચી સમજ પામવી તેમના માટે અઘરી થઈ પડી છે. /૧૩
પ્રેમ પરાણે કદી ન થાયે, પરિચય સત્નો દુર્લભ રે;
જીવ જરા જો જોર કરે તો, સત્સંગે સૌ સુલભ રે. શ્રીમદ્દ્ર અર્થ :- સન્માર્ગ પ્રત્યે કદી પ્રેમ પરાણે કરાવી શકાય નહીં કે થાય નહીં, તેમજ ઉપરોક્ત કારણોથી સત્યવસ્તુનો પરિચય થવો તેમને દુર્લભ થઈ પડ્યો છે. પણ જીવ જરા બળીયો થઈ, લોકલાજ કે કુગુરુનો સંગ તજી મધ્યસ્થી થઈને સત્સંગ કરે તો સત્ જણાય અને મોક્ષનો માર્ગ તેને માટે સર્વ પ્રકારે સુલભ થઈ શકે છે. ૧૪
નથી મળ્યા સત, નથી સુપ્યું સત, નથી સત્ શ્રદ્ધયું જીવે રે,
તો કલ્યાણ કહો શું થાય? પ્રગટે દીવો દીવે રે. શ્રીમદ્ અર્થ - અનાદિકાળના પરિભ્રમણમાં જીવને સસ્વરૂપ એવા સપુરુષ મળ્યા નથી, તેમના સરૂપ વચનો સાંભળ્યા નથી કે સત્ય એવા આત્માદિ તત્ત્વોની જીવે શ્રદ્ધા કરી નથી. તો કહો જીવનું