________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
અને ૫. કેવળજ્ઞાનાવરણની મળીને પાંચ, તથા ૧. દાન, ૨. લાભ, ૩. ભોગ, ૪. ઉપભોગ અને ૫. વીર્યાન્તરાયની મળીને પાંચ તેમજ ૧. ચક્ષુ, ૨. અચક્ષુ, ૩. અવિધ અને ૪. કેવળ દર્શનાવરણની મળીને ચાર, એમ કુલ ચૌદ ઘાતીકર્મની પ્રકૃતિઓ જવાથી બારમા ગુણસ્થાનની ૫૫ પ્રકૃતિઓમાંથી આ ૧૪ બાદ કરતાં ૪૧ પ્રકૃત્તિઓનો ઉદય અત્રે શેષ રહે છે. I॥૨૧॥
જિન-નામ-ઉદય હોય બેંતાળીસ તેરમે હો હાય બેંતા અગુરુ-લઘુ-રૂપ-ચતુષ્ક, પ્રથમ સંહનન એ. હો લાલ પ્ર૦ ૨૨
૧૦૦
અર્થ :
– ઉપરોક્ત ૪૧ પ્રકૃતિઓમાં આ તેરમા ગુણસ્થાને તીર્થંકરનામકર્મનો ઉદય થવાથી એક પ્રકૃતિ વૃદ્ધિ પામી. તેથી ૪૧+૧ મળીને ૪૨ પ્રકૃતિઓનો ઉદય આ તેરમા ગુણસ્થાનકમાં હોય છે. હવે તેરમા સોગી—કેવળી નામના ગુણસ્થાનના અંતમાં તેમાંથી ૩૦ પ્રકૃતિઓ નાશ પામે છે. તે નીચે પ્રમાણે –
તે ૧. અગુરુલઘુ, ૨. ઉપઘાત, ૩. પરઘાત, ૪. ઉચ્છ્વાસ, એ ચાર તથા ૫. વર્ણ, ૬. ગંધ, ૭. રસ, ૮. સ્પર્શ એ રૂપ ચતુષ્ક તથા ૯. વજ્રઋષભનારાચ પ્રથમ સંહનન છે. ।।૨૨।।
ખગતિ-ઔદારિક-અસ્થિર-યુગલો તો લાલ અસ્થિ
પ્રત્યેક-ત્રિક નિર્માણ અને સંસ્થાન છો. તો લાલ અને ૨૩
અર્થ :— તથા ૧૦. શુભ ખગતિ, (ચાલવાની રીત) ૧૧. અશુભ ખગતિ ૧૨. ઔદારિક શરીર, ૧૩. ઔદારિક અંગોપાંગ અને ૧૪. અસ્થિર, ૧૫. અશુભ નામકર્મ તથા ૧૬. પ્રત્યેક, ૧૭. સ્થિર, ૧૮. શુભ નામકર્મ—એ ત્રણ, વળી ૧૯ નિર્માન્ન અને ૨૦. સમચતુરસ, ૨૧. ન્યગ્નોઘપરિમંડલ, ૨૨. સ્વાતિ, ૨૩, વામન, ૨૪. કુંજ, ૨૫. ડક એ છ સંસ્થાન છે. ।।૨૩।
તન, તૈજસ, કાર્મણ સ્વર એક વેદની હો લાલ સ્વ૨૦
ત્રીસ જતાં જો બાર અયોગી સ્થાનની હો લાલ અયોગી ૨૪
અર્થ :- શરીરમાં રહેલ ૨૬. તૈજસ શરીર, ૨૭. કાર્મણ શરીર તથા ૨૮. સુસ્વર, ૨૯. દુસ્વર અને ૩૦. શાતા-અશાતાવેદનીમાંથી એક, એમ બઘી મળીને કુલ ૩૦ પ્રકૃતિઓ આ તેરમા ગુણસ્થાનના અંતમાં જવાથી, તેરમા ગુણસ્થાનની ૪૨ પ્રકૃતિઓમાંથી આ ૩૦ને બાદ કરતાં બાકીની ૧૨ પ્રકૃતિઓનો ઉદય અયોગી નામના આ ચૌદમા ગુણસ્થાનમાં હોય છે. ।।૨૪।।
યશ, સુભગ, આદેય, ત્રસ-ત્રિક જિનની હો લાલ ત્રસ
સુગોત્ર નરગતિ-આયુ, પંચેન્દ્રી, વેદની હો લાલ પંચેન્દ્રી ૨૫
–
અર્થ :– હવે ચૌદમા અયોગી ગુણસ્થાનના અંતમાં શેષ રહેલ બાર પ્રકૃતિઓ પણ જાય છે. તે પ્રકૃતિઓ આ પ્રમાણે :– ૧. યશ, ૨. સુભગ, ૩. આઠેય તથા ૪, ત્રસ, પ. બાદર, ૬. પર્યાસ એ ત્રણ ૫. અને ૭. જિનનામકર્મ, ૮. ઉચ્ચ ગોત્ર, ૯. મનુષ્યગતિ, ૧૦, મનુષ્ય આયુ, ૧૧, પંચેન્દ્રિય જાતિ તથા ૧૨. વેદનીય મળીને કુલ ૧૨ પ્રકૃતિઓ થાય છે. રા
જાતાં અંતિમ બાર ભવસ્થિતિ પણ જતી હો લાલ ભવ આઠે કર્મથી મુક્ત સિદ્ધતા ઊપજતી હો લાલ સિન્નતા ૨૬