SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૮) માથે ન જોઈએ ભાગ-૨ ૭ ૩ જાતાં, મળી ડોશી, લઈ દહીં આવતી, વ્હોરાવતાં સ્તનથી ઘૂંટી ઘૂંઘાર શાલિભદ્રને નિહાળતાં. ૮ અર્થ :- બન્ને ભદ્રામાતાના ઘરમાં ગયા પણ માતા વિચારમગ્ન હોવાથી કોણ આવ્યું અને કોણ ગયું તેની ઓળખ એટલે જાણ થઈ શકી નહીં. તેથી ઘરમાંથી તે તપસ્વી પાછા ફરી નગરના દરવાજા લગી જતા ત્યાં એક ડોશીમા દહીં લઈને આવતી સામે મળી. તેને ભાવ આવવાથી આ મુનિ મહાત્માઓને દહીં વહોરાવ્યું તે વખતે શાલિભદ્રને નિહાળતા ડોશીમાના સ્તનમાંથી દૂઘની ઘાર છૂટી. IIટા ભિક્ષા લઈ પ્રભુ પાસ જઈ, દેખાડીને પછી પૂછતાઃ “માતા-કરે મુજ પારણું, આપે કહેલું તે છતાં માતા ન મારી કાંઈ બોલી, મગ્ન નિજ વિચારમાં મહિયારીએ મુજને દીથી ભિક્ષા દહીંની પાત્રમાં.”૯ અર્થ - દહીંની ભિક્ષા લઈ પ્રભુ પાસે જઈ, તે દેખાડીને પછી પ્રભુને કહેવા લાગ્યા કે પ્રભુ! માતાના હાથે મારું પારણું થશે એમ આપે કહેલું, છતાં મારી માતા તો વિચારમાં મગ્ન હોવાથી કાંઈ બોલી જ નહીં અને એક મહિયારીએ એટલે ભરવાડણે મારા પાત્રમાં દહીંની ભિક્ષા મને આપી. એ વાત કેમ હશે? વાલા “સુણ, શાલિભદ્ર, ખરું કહ્યું મેં,” એમ વીર વાણી વદે, “મહિયારી શાલિગ્રામની પૂર્વે ઘણી જ ગરીબ તે; સંગમ ઘરેલું નામ તેના પુત્રનું, પશુ ચારતો; ઉત્સવ અમાવાસ્યા તણો ક્ષીરપાકનો ત્યાં આવતો. ૧૦ અર્થ - ત્યારે પ્રભુ મહાવીર કહેવા લાગ્યા કે હે શાલિભદ્ર તે સાંભળ. મેં તને ખરું કહ્યું છે. તે મહિયારી શાલિ નામના ગામની છે. જે પૂર્વે ઘણી જ ગરીબ હતી. તેને એક સંગમ નામનો પુત્ર હતો. તે પશુઓને ચરાવતો. તે ગામમાં અમાવસ્યાનો ઉત્સવ આવ્યો. તે દિવસે ક્ષીરપાક એટલે દૂઘની ખીર બનાવીને ઘરના બધા જમે એવો રિવાજ હતો. ૧૦ના પ્રત્યેક ઘર ખર થાય આજે, ખીર વણ ખાવું બળ્યું, રઢ બાળ એવી લઈ રડે, પાડોશણોએ સાંભળ્યુંકે એક ઘૂંઘ આપે, બીજું ચોખા, ત્રીજી ઘી-શર્કરા: કરી ખીર, માએ પીરસી ગરમાગરમ; કરીને ત્વરા, ૧૧ અર્થ - પ્રત્યેક ઘરમાં આજે ખીર બને છે. મારે પણ ખીર વગર આજે ખાવું જ નથી. એવી રઢ લઈને બાળક સંગમ રડવા લાગ્યો. પાડોશણોએ તે વાત સાંભળીને એકે દૂઘ આપ્યું, બીજીએ ચોખા અને ત્રીજીએ ઘી અને સાકર આપી. તેથી માએ ત્વરા કરીને એટલે ઉતાવળે તેની ખીર બનાવીને ગરમાગરમ બાળકને પીરસી. ||૧૧ાા માતા ગઈ પાડોશમાં, ત્યાં કામસર ખોટી થઈ; ખીર માસ-ઉપવાસી મુનિને બાળ દે રાજી થઈ.
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy