SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) મહાત્માઓની અનંત સમતા (૫૬) મહાત્માઓની અનંત સમતા (રાગ—ધન્ય તે મુનિવરા ૨ે જે ચાલે સમભાવે) * સ્વરૂપ-સ્થિત, સમતાપતિ રે સર્વ અવસ્થામાં ય રાજચંદ્ર, પદ તે નમું રે, સ્થિર મન થાઓ ત્યાં ય. સમતા-સ્વાર્મી તે રે જે રમતા સમભાવે. ૫૫ અર્થ ઃ— જે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત રહી ઉદયાથીન વર્તન કરે છે. જે સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોક આદિ સર્વ અવસ્થાઓમાં સમભાવને ઘારણ કરવાથી સમતાના પતિ છે એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું. મારું મન પણ ભક્તિવડે તેમના ગુણોમાં જ રમ્યા કરો જેથી હું પણ સમતા સુખનો આસ્વાદ પામું, પરમકૃપાળુદેવને સમતા એટલે ૫૨૫દાર્થમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિનો અભાવ હોવાથી તે સમતાના સ્વામી છે. સમભાવ એ આત્માનું ઘર છે, સ્વભાવ છે. તેથી વિભાવ ભાવોની વિષમતાને મૂકી જે સદૈવ સમભાવના સુખમાં ૨મણતા કરે છે એવા પરમકૃપાળુદેવ અમારા સ્વામી છે. ।।૧।। ત્રણે લોકને બાળતો રે મોહ-અગ્નિ વિકરાળ; અંતર્મુખ સૃષ્ટિ કરી રે બુઝાવે તત્કાળ, સમતા = અર્થ :– રાગદ્વેષ અજ્ઞાનરૂપ વિકરાળ મોહાનિ ત્રણે લોકના જીવોને અનાદિકાળથી બાળી રહ્યો છે. તે મોહરૂપ અગ્નિને આ સમતામાં રમનારા મહાત્માઓ પોતાની દૃષ્ટિને અંતર આત્માભિમુખ કરી શીઘ્ર બુઝાવી દે છે અને સમતા સુખમાં સદૈવ મગ્ન રહે છે. ।।૨। ઇન્દ્રિયો વિષયો પ રે, ખેંચે અવિરત-પંથ: સંયમરૂપ લગામથી રે, વારે તે નિભ્રંથ. સમતા અને અર્થ :— પાંચે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ઇચ્છે છે. આંખ રૂપને, કાન સંગીતને, નાક સુગંધને મુખ સ્વાદને તથા શરીર કોમળ સ્પર્શને ઇચ્છે છે. તે ઇન્દ્રિયો જીવને અસંયમના માર્ગમાં ખેંચી જાય છે. જ્યારે સંયમરૂપ લગામથી આ ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને જે વશ કરે તે જ સાચા નિગ્રંથ છે. ગા રાગાદિ કાંટાભર્યું રે દુર્ગમ ભવવન દેખ; સમતા-બૂટ બચાવતા રે કોઈ નડે નહિ રેખ, સમતા અર્થ :- - દુઃખે કરીને પાર ઊતરી શકાય એવું દુર્ગમ આ સંસારરૂપી વન છે. તે રાગદ્વેષાદિરૂપ કાંટાઓથી ભરપૂર છે. ત્યાં સમતારૂપી બૂટ પહેરી લે તો કોઈ પ્રકારના વિઘ્ન વગર આ સંસારરૂપી જંગલને તે સુખે પાર કરી શકે. ।।૪।। જીવ-અજીવ પદાર્થ જે રે, ઇષ્ટ-અનિષ્ટ ભળાય; તેમાં ના મૂંઝાય તે રે, સમતાવંત કળાય. સમતા અર્થ :– સંસારમાં રહેલા ચેતન અચેતન પદાર્થોને જોઈ જીવને ઇષ્ટ-અનિષ્ટ એટલે ગમવા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy