SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬ દર દરવાજે રે ઘંટડીઓ તણું તોરણ કરતું નાદ મુકુટ અડતાં રે જળવે પ્રવેશતાં સત્સંગતિની યાદ. જાગો અર્થ :- પ્રતિ દરવાજે ઘંટડીઓવાળા તોરો ભરતેશ્વરનું મુકુટ અડતા અવાજ કરી એવી જાગૃતિ આપતા કે સત્સંગ કર, સત્સંગ કર. ॥૭॥ રાખે નિરંતર લક્ષ સ્વતિનો, આશા નહીં ચુકાય, ઋષભ-ચરણમાં રે સ્થિર મન રોપીને કાર્યો વિયોગ થાય. જાગો અર્થ :– ભરતેશ્વર નિરંતર સ્વ આત્મહિતનો લક્ષ રાખે છે. પ્રભુની આજ્ઞાને ચુકતા નથી. મનને ઋષભ જિનેશ્વરના ચરણમાં સ્થિર રાખી બધા કાર્યો વિયોગે એટલે વચનયોગ અને કાયયોગથી કરે છે. એમ રાજ્ય કરતાં છતાં પણ અલિપ્ત રહે છે. શબ્દા ૫૫૧ મંદિરોથી રે કરી ભૂમિ શોભતી, ભક્તિ કરે તે સદાય, દાનાદિથી રે વ્રર્તીજન પોષતાં, ભવ તરવા તે ચહાય. જાગો અર્થ – નવા નવા મંદિરો બાંથી ભૂમિને શોભતી કરી. પ્રભુની ભક્તિ સ્વયં સદા કરે છે, દાનાદિ આપી વ્રતીજનોને પોષણ આપે, તથા સંસારરૂપી સમુદ્રને તરવાની ઇચ્છા હૃદયમાં સદા રાખે છે. ।।૯।। સત્શાસ્ત્રોનું શ્રવા, ચર્ચા કરે, પ્રભુદર્શનના ભાવ, સંઘ સકળની રે સેવા બહુ કરે, વધારી ધર્મ-પ્રભાવ. જાગો અર્થ :– સશાસ્ત્રોનું શ્રવણ કરે, ચર્ચા કરે, સાક્ષાત્ પ્રભુના પ્રત્યક્ષ દર્શન કરવાના ભાવ રાખે, = તથા સકળ સંઘની સેવા બહુ કરી ધર્મનો પ્રભાવ વધારે છે. ૮૦।। વિહાર કરતા ૨ે પ્રભુ બહુ દેશમાં, આવે સુગુર્જર દેશ, પુનિત પગલે રે પાવન ભૂમિ કરે, દે ઉત્તમ ઉપદેશ. જાગો અર્થ :– ઘણા દેશમાં વિહાર કરતા પ્રભુ ઉત્તમ એવા ગુજરાત દેશમાં પધાર્યા. પોતાના પવિત્ર પગલાથી આ ભૂમિને પાવન કરી ઉત્તમ ઉપદેશના દાતા થયા. ।।૮૧।। લેતા લોકો રે દીક્ષા, વ્રતો ઘણાં શત્રુંજય સંઘ જાય, ભક્તિભાવે રે ગુર્જર ભૂમિ હજી ગાંડી જગમાં ગણાય. જાગો અર્થ :— પ્રભુ પાસે ઘણાએ દીક્ષા લીધી, વ્રતો ગ્રહણ કર્યા. શત્રુંજય તરફ ચતુર્વિધ સંઘ ચાલ્યો. પ્રભુ પ્રત્યે વિશેષ ભક્તિભાવ કરવામાં આ ગુજરાતની ભૂમિ જગતમાં ગાંડી ગણાય છે. ।।૮૨।। વર્ણી સૌરાષ્ટ્રે રે પ્રભુ કે દેશના, ગિરિ પર સૌ સ્થિર થાય, કહે પ્રભુ ત્યાં રે પુંડરિક આદિને : “ખેદ ધરો ના જરાય. જાગો અર્થ :— વળી સૌરાષ્ટ્રમાં ઋષભ પ્રભુએ શત્રુંજય ગિરી ઉપર એવી દેશના આપી કે સૌના પરિણામ સ્થિર થયા. ત્યારે પ્રભુએ પુંડરિક ગણધર આદિને કહ્યું : મુક્તિ મેળવવા માટે મનમાં કોઈ પ્રકારનો ખેદ રાખશો નહીં. શા થોડા કાળે રે મુક્તિ મળી જશે, અજબ આ ગિરિ-પ્રભાવ,’ અનશન કરીને રે બહુ મુનિઓ રહ્યા, લેવા અંતિમ લા'વ. જાગો
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy