SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ વનમાં ભીલ એ એકલો જી, સ્વર્ગે સુર પણ એક, પુણ્યહીન પીડા ખમે જી, સ્થલ-જલ-નભ-ચર છેક. જીવ, જોને॰ અર્થ :– આ જીવ સ્વકર્મે વનમાં એકલો ભીલ થાય છે. અથવા પોતે એકલો સ્વર્ગમાં દેવરૂપે અવતરે છે. તેમજ પુણ્યહીન જીવો સ્થલચર, જલચર કે નભચર પ્રાણી બની એકલા જ પીડાને સહન કરે છે. તેમને કોઈ બીજા દુઃખમાં ભાગીદાર થતા નથી. ।।૧૫।। નરકે નારી એકલો જી, ત્યાં સંતાપ અમાપ, વૈતરણી, અસિપત્ર ને જી, અતિ શીત ને તાપ. જીવ, જોને અર્થ :– નરકમાં નારકી બની એકલો દુઃખ ભોગવે છે. ત્યાં અમાપ સંતાપ ઉત્પન્ન કરે એવી વૈતરણી નદી કે અસિપત્ર એટલે તલવાર જેવા જ્યાં પાંદડાઓ છે. તેમજ અત્યંત ઠંડી અને તાપનું વાતાવરણ નરકમાં સદૈવ રહેલું છે. ।।૧૬। ભવ-કાદવમાં એકલો જી, રતિસુખ-પંકજલીન ભમરા સમ, કે મોક્ષમાં જી એક સુખી સ્વાધીન. જીવ, જોને અર્થ :— :– સંસારરૂપી કાદવમાં જીવ એકલો જ ખેંચેલો છે. તથા રતિસુખ એટલે કામક્રીડારૂપી કમળમાં ભમરા સમાન લીન બનેલો પણ સ્વયં છે. અથવા પુરુષાર્થ કરી મોક્ષના શાશ્વત સ્વાધીન સુખને મેળવનાર પણ પોતે જ છે. એમ એકત્વભાવનાને વિચારી વિવેકી પુરુષો મોક્ષ મેળવવાના પુરુષાર્થમાં પ્રયત્નશીલ રહે છે. ૧૭મા (૪) અન્યત્વભાવના સકલ લોકમાં એકલો જી, માનો સૌથી ભિન્ન, જીવ ભિન્ન ૫૨માણુથી જી, પિંડી પણ ન અભિન્ન. જીવ, જોને ૫૦૫ અર્થ :– આ પરમાણુથી ભિન્ન છે, સર્વ લોકમાં હું એકલો છું. હું સર્વથી ભિન્ન એટલે જુદો છું. મારો આત્મા પુદ્ગલ આ પુદ્ગલનું બનેલ પિંડરૂપ શરીર પણ મારું નથી. “હું દેઠાદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” "શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૯૨) ||૧૮ પાપ-પુણ્યથી ભિન્ન છે જી, ભિન્ન જ કર્મ-વિપાક, પત્નીથી પણ ભિન્ન છે જી, ભિન્ન અન્ન ને શાક, જીવ, જોને = અર્થ : મૂળસ્વરૂપે હું પાપ પુણ્યથી ભિન્ન છું. કર્મના વિપાક એટલે ફળથી ભિન્ન છું. પત્ની પણ મારાથી ભિન્ન છે. પૃથ્વીથી ઉત્પન્ન થતાં અન્ન અને શાક પણ મારા નથી; તેથી શું સર્વથા ભિન્ન છું. ।।૧૯।। જીવ ભિન્ન સુત-મિત્રથી જી, મારાં કહે અર્બુદ્ઘ, સર્વે ત્યાગી ચાલશે જી, ભલે નરેન્દ્ર, વિર્ષોંથ. જીવ, જોને અર્થ :– મારો આત્મા, પુત્ર અને મિત્રથી ભિન્ન છે. છતાં અજ્ઞાની જીવ તેને મારા માને છે. તે સર્વને ત્યાગી જીવ ચાલ્યો જો; પછી ભલે તે નરેન્દ્ર એટલે ચક્રવર્તી હોય કે વિશ્વ એટલે જ્ઞાની અથવા વિદ્વાન હોય. આ જગતમાં કોઈ કોઈનું નથી. ।।૨૦।।
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy