SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ પ્રાવોધ-વિવેચન ભાગ-૨ વૃદ્ધ વણિક કને ગયા જી, લાખ, લાખની ચીજ મૂલ્ય દઈ હોવા કહી જી, પૂછે પછી ગિક ૨ : વિજન અર્થ :— તે બેય વસ્તુ લેવા વૃદ્ધ વણિક પાસે ગયા. તેણે દરેકની કિંમત લાખ લાખ સોમૈયા કહી. - ત્યારે જવાબમાં કહ્યું કે જે મૂલ્ય હોય તે લો અને અમને આપો. ત્યારે વણિક તેમને પૂછવા લાગ્યો. ।।૨૩।। “શા અર્થે લઈ જાવ છો જી ?'' કહે મહીધર કુમાર : “રોગી મુનિ કાજે લીથાં જી, વૈદ્ય મગાવે સાર રે.’’ ભવિજન અર્થ :– તમે આવી કિંમતી વસ્તુઓ શા માટે લઈ જાઓ છો? ત્યારે મહીઘર રાજકુમાર કહે ઃ એક મુનિ રોગી થયેલા છે, તેમનો રોગ દૂર કરવા માટે વૈદ્ય મગાવે છે. ।।૨૪। વિસ્મય પામી તે વડે જી : “અહો! થર્મ કરનાર, યૌવન વય ક્યાં આપનું જી! ક્યાં ઉત્તમ વિચાર રે !'' ભવિજન અર્થ :- મુનિ ચિકિત્સાના ભાવ સાંભળી વણિક વિસ્મય પામી મનમાં વિચાર કરવા લાગ્યો કે અહો! આ ધર્મનું કાર્ય કરનાર સર્વેનું મદમાતું યૌવન ક્યાં? અને વયોવૃદ્ઘને ઉચિત એવા વિવેકવાળા તેમના ઉત્તમ વિચાર ક્યાં? ॥૨૫॥ મફત દીથી બન્ને ચીજો જી, ધર્મ-મૂલ્ય ગણી સાર, પરમપદ તે પામિયો જી, દીક્ષા ગ્રહી ઉદાર રે. ભવિજન અર્થ :— તે વણિકે બન્ને ચીજો મફત આપી. એમ વિચારીને કે એથી ધર્મનું કાર્ય સિદ્ધ થાય છે એ = જ જ એનું મૂલ્ય છે અને એ જ સારરૂપ છે. તે વણિક આવા ઉત્તમ ભાવથી તે જ ભવમાં દીક્ષા ગ્રહણ કરી પરમપદને પામ્યો. ૫૨૬ના છયે મિત્ર પછી આવિયા જી, વનમાં સાધુ સમક્ષ, વંદન કરીને પૂછતા જી : “પ્રભુ, ચિકિત્સા-લક્ષ રે, ભવિજન અર્થ :– છયે મિત્રો પછી વનમાં જ્યાં સાધુપુરુષ રહેલા છે તેમની સમક્ષ આવી વંદન કરીને પૂછ્યું કે પ્રભુ! અમારે આપના શરીરની ચિકિત્સા કરવાનો ભાવ છે. ।।૨૭।। થશે વિગ્ન સુધર્મમાં જી, પણ સેવા થો સાર; આજ્ઞા આપો તો અમે જી, કરીએ આ ઉપચાર રે.’ ભવિજન૰ અર્થ :– આપના ચર્મકાર્યમાં વિઘ્ન થશે પણ અમને આપની સેવાનો સારરૂપ લાભ આપો. આપ આજ્ઞા આપો તો અમે આપના શરીરનો ઉપચાર કરીએ. ।।૨૮।ા ‘મૌન’મુનિની સંમતિ જી ગણી, લાવે મૃત ગાય, લક્ષપાક તેને કરે જ મર્દન, તન પી જાય રે, ભવિજન અર્થ :— મુનિ ‘મૌન’ રહ્યા. તેથી ‘મૌનં સમ્મતિ લક્ષણમ્' મૌનને સમ્મતિનું લક્ષણ જાણી, ગાયના મૃત કલેવરને ત્યાં લાવ્યું, પછી મુનિના શરીરે લક્ષપાક તેલનું મર્દન કર્યું. શરીર તે તેલને પી ગયું. મુનિની દરેક નસમાં તે તેલ વ્યાપી ગયું, IIરહ્યા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy