________________
४८६
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
દ્વેષ ઘર્મ પર તે ઘરે જી, વરે અઘોગતિ-દુઃખ,
કારણ સેવે દુઃખનાં જી, ક્યાંથી નીકળે સુખ રે? ભવિજન અર્થ :- મિથ્યાદ્રષ્ટિ જીવો સઘર્મ પ્રત્યે દ્વેષબુદ્ધિ રાખે છે. તેથી તે અધોગતિના દુઃખને પામે છે. જે જીવો દુઃખ પ્રાપ્ત થવાના કારણોને સેવે, તેને સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય? લો.
શતમતિ આદિ મંત્રીઓ જી, સહે નરકનાં દુઃખ,
નરકગતિનાં કારણો જી, સુણો કહ્યું હું મુખ્ય રે- ભવિજન અર્થ :- ઋષભદેવના પ્રથમ મહાબળ રાજાના ભવમાં સહુથર્મ પ્રત્યે ગાઢ ફ્લેષબુદ્ધિ રાખનાર સંભિન્નમતિ અને મહામતિ તે ભયંકર નિગોદમાં ગયા અને શતમતિ મંત્રી મિથ્યાત્વના કારણે બીજી નરકગતિમાં ગયો. નરકગતિ પામવાના મુખ્ય કારણો કયા છે તે હું કહું છું તે સાંભળો. ./૧૦
જીંવ-હિંસા, સૂંઠ, ચોરી ને જી, પરની સ્ત્રીનો ભોગ,
મિથ્યાદર્શન, રૌદ્રતા જી, બહુ આરંભક યોગ રે. ભવિજન અર્થ – જીવોની હિંસા કરવી, જૂઠ બોલવું, ચોરી કરવી, પરસ્ત્રીનો ઉપભોગ કરવો, મિથ્યાઘર્મની માન્યતા કરવી, અત્યંત ક્લેશકારી રૌદ્ર પરિણામ રાખવા તથા જેમાં બહુ જીવોની હિંસા થાય એવા આરંભના કામોનો યોગ રાખવો એ સર્વ નરકગતિના કારણો છે. I૧૧ાા
બહુ પરિગ્રહ, ક્રૂરતા જી, દારૂં-માંસ-મ-ટેવ,
મુનિ-નિંદા-ધિક્કારતા જી, વળી અઘર્મની સેવ રે. ભવિજન અર્થ :- બહુ પરિગ્રહ પ્રત્યે મૂચ્છભાવ રાખવો, ક્રૂર પરિણામ રાખવા, દારૂ, માંસ, મઘની ટેવ રાખવી. જ્ઞાનીમુનિ ભગવંતની નિંદા કરવી, તેમને ધિક્કારવા તથા જેમાં દયા મુખ્ય નથી એવા અઘર્મની સેવા કરવી એ સર્વ નરકગતિમાં લઈ જનારા કારણો છે. ૧રા.
અથર્મની ઉત્તેજના જી, ઈર્ષા સૌની સાથ,
એવાં પાપ વડે પડે છે, નરકે જીવ અનાથ રે.” ભવિજન અર્થ - વીતરાગઘર્મ સિવાય કુદેવ, કુગુરુ, કુઘર્મને ઉત્તેજન આપનાર તથા સર્વની સાથે ઈર્ષા કરનાર જીવો, પાપોવડે અનાથ બની નરકગતિમાં જઈને પડે છે. /૧૩મા
શ્રીઘર-સ્વયંપ્રભ સાંભળી જી, ઘરે અતિ વૈરાગ્ય,
ઘર્મ વિષે મન ઘારતા જી, કરે દેવ-ભવ-ત્યાગ રે. ભવિજન અર્થ :- શ્રીઘર અને સ્વયંપ્રભ દેવને નરકના આવા કારણો સાંભળી અતિ વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. તેથી ઘર્મ વિષે મનને રાખવા લાગ્યા. હવે દેવનું આયુષ્ય પૂર્ણ થવાથી દેવભવનો ત્યાગ કર્યો. ૧૪
ક્ષિતિપ્રતિષ્ઠિત પુરમાં જી, સુવિદિ વૈદ્યને ઘેર,
જીંવાનંદના નામથી જી, શ્રીઘર-જન્મ-ઊછરે રે. ભવિજન અર્થ - ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ નામના વૈદ્યને ઘેર દેવલોકથી ચ્યવી શ્રીઘરનો જીવ જીવાનંદ નામથી જન્મ પામી ઊછરવા લાગ્યો. આ શ્રી ઋષભદેવનો નવમો ભવ છે. ઉપરા