SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ આરંભ તજી થયા મુનિ સ્વજન-શોક-મમતા પરિહરે, આરંભી શોક અંતમાં કરે મોહે, ન કામ તો સરે. ૯ અર્થ - પાપ આરંભ તજીને જે મુનિ થયા છે અને જેને સ્વજન પ્રત્યેનો શોક કે મમતા ભાવ ત્યાગી દીઘો છે, છતાં અંતકાળે ફરી મોહમાં પડી શોક કે મમતાભાવ કરે તેથી પરિગ્રહને કે કુટુંબને મેળવી શકતા નથી; અર્થાત્ પાપ ગ્રહણ સિવાય બીજું કંઈ હાથ લાગતું નથી. કા. પરિગ્રહથી બેય લોકમાં દુઃખ ગણી ગૃહે વાસ ના કરે, ઉપાર્જિત વિનાશશીલ તે, બાંઘવ બંઘન જાણ વિચરે. ૧૦ અર્થ – ઘન, સ્વજન, સોનું, રૂપું આદિ સર્વ પરિગ્રહ છે. પરિગ્રહ પ્રત્યેની મમતાના કારણે જીવ આ લોક અને પરલોક બન્ને લોકમાં દુઃખી થાય છે એમ જાણી ગૃહવાસમાં સ્થિતિ કરે નહીં. અને ઉપાર્જિત કરેલ ઘન વિનાશના સ્વભાવવાળું છે અને સ્વજનો બઘા કર્મબંધન કરાવનાર છે એમ જાણી મુનિ વિહાર કરે. ||૧૦ના રાજ-માન, પૂજના મહા કાદવ કરિનો કાળ જાણજો; ફાંસ ઊંડી કેમ નીકળે? તેવો પરિચય કો ન આણજો. ૧૧ અર્થ :- મુનિ મહાત્મા જાણીને રાજા મહારાજાઓ વંદન કરી માન આપે કે પૂજા કરે તેને મહાકાદવ એટલે કીચડ સમાન જાણજો. નહિં તો તે કરિ એટલે હાથીની જેમ કીચડમાં ફસાવી મરણ નીપજાવશે અર્થાત જન્મ મરણ વઘારી દેશે. માન કષાય એ ઊંડી ફાંસ સમાન છે. તે નીકળવી અતિ દુર્લભ છે. માટે તેવા ગૃહસ્થોનો પરિચય રાખશો નહીં કે વંદન પૂજનથી ગર્વ પામશો નહીં. [૧૧ાા વૈરાગ્યે એકલા ફરો સ્થાન-શયનાદિ કે સમાધિમાં, વીર્યવંત ઉપઘાનમાં ભિક્ષુ વચન-અધ્યાત્મ ગુણિમાં. ૧૨ અર્થ - વૈરાગ્ય સહિત એકલા વિહાર કરો. એકાંત સ્થાનમાં આસન કે શયન કરો. અથવા સમાધિ એટલે આત્મસ્વરૂપમાં નિમગ્ન રહો. પોતાના વીર્ય એટલે શક્તિને ઉપથાન આદિ તપમાં વાપરો. ઉપથાન-એ જ્ઞાન સ્વાધ્યાય ધ્યાન થવા વિશેષ પ્રકારનું તપ છે” વળી વચન અધ્યાત્મ એટલે આત્મા સંબંઘી જ બોલો; નહીં તો મન વચન કાયાને આત્મશુદ્ધિ અર્થે ગુપ્તિ એટલે વશમાં રાખો. આ ભિક્ષ એટલે મુનિનો ઘર્મ છે. ૧રા મુનિ ન ઉઘાડે, ન વાસતો શુન્ય ઘરોનાં કાર, વાપરે; સાવદ્ય વદે ન પૂછતાં; તૃણ ના પૂંજે કે ન પાથરે. ૧૩ અર્થ - શૂન્ય ઘરમાં રહેલ સાઘુ તે ઘરના દ્વાર ઉઘાડે નહીં કે વાસે પણ નહીં. કોઈ કંઈ ઘર્મ વિષે પૂછતા સાધુ સાવદ્ય એટલે પાપવાનું વચન બોલે નહીં. તે ઘરનો તૃણ એટલે ઘાસ વગેરેનો કચરો પૂંજે એટલે સાફ કરે નહીં કે શયન માટે સૂખા તૃણ વગેરેને પણ પાથરે નહીં. ૧૩. રવિ આથમ્ય અનાકુલ સમ-વિષમતા સાધુ સંસહે, શિયાળ, ડાંસાદિ જંતુઓ સાપ છતાં નિઃશંકતા લહે. ૧૪
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy