SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૧) દર્શન-સ્તુતિ ૩૯૯ ઘરે ઉર તત્ત્વ-વિચારે, ન શંકા અલ્પ પણ ઘારે, તજી ભય સાત આનંદે, થવા નિઃસંગ નિર્ધારે. ૧૦. અર્થ :- જે પોતાના આત્માના કલ્યાણ અર્થે હૃદયમાં આત્મા આદિના તાત્ત્વિક વિચાર સદા જાગૃત રાખે છે. ભગવાનના કહેલા તત્ત્વોમાં અલ્પ પણ શંકા કરતો નથી. આલોકભય, પરલોકભય, અકસ્માત ભય, મરણભય, વેદનાભય, અરક્ષાભય કે અગુભિય, એ સાતેય ભયને તજી સદા આનંદમાં રહે છે તથા અંતરમાં સદા નિઃસંગ એટલે સર્વ સંગ પરિત્યાગ કરવાની ભાવના રાખે છે. ૧૦ના ઘણી ઘાર્યા ઘુરંઘર તો મળે ના શુદ્ર ભાવોમાં; સફળ નર-જિંદગી કરવા, રમે તે રમ્ય ભાવોમાં. ૧૧ અર્થ - પરમકૃપાળુદેવ જેવાને ખરા હૃદયથી ઘણી ઘાર્યા તો હવે તે ક્ષુદ્ર એટલે વિષયકષાયાદિના હલકા ભાવોમાં મળી રહેશે નહીં. પણ દુર્લભ એવા મનુષ્ય જીવનને સફળ કરવા માટે તે રમ્ય એટલે સુંદર, પવિત્ર નિર્દોષ ભાવોમાં જ રમણતા કરશે. ||૧૧ાા ક્ષણેક્ષણ કામની જાણે, પ્રમાદે ના પળે ગાળે, સમાગમ સુગરનો રાખે, સુગુરુ-આજ્ઞા સદા પાળે. ૧૨ અર્થ :- માનવદેહની ક્ષણે ક્ષણે કામની જાણીને પ્રસાદમાં એક પળ પણ ગાળશે નહીં. તે સગરના અથવા તેના વચનોના સમાગમમાં રહી તેની આજ્ઞાનું સદા પાલન કરશે. ||૧૨ના વસંતે આમ્રતરુ ખીલે, નવા સૅર કોકિલો તાણે, સુદર્શનથી ર્જીવન પલટે, નવો ભવ આવિયો જાણો. ૧૩ અર્થ :- વસંતઋતુમાં આંબાના ઝાડ ફરી ખીલી ઉઠવાથી તેના ઉપર નવો મોર આવે છે. તેને ખાઈને કોકિલનો કંઠ નવો સુરીલો મીઠો બની જાય છે. તેમ શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનથી ભક્તના જીવનમાં પલટો આવે છે અને આ જ ભવમાં જાણે નવો ભવ આવ્યો હોય એમ તેને લાગે છે; અર્થાત સંસાર પ્રત્યેની પ્રીતિ હટી જઈ માત્ર મોક્ષ અભિલાષ થાય છે. ૧૩ નિરખતાં જ્ઞાનને ભવ્યો, સમજતા નિજ શક્તિને, પ્રગટ આદર્શને યોગે, સહજ લે સાથી મુક્તિને. ૧૪ અર્થ - જ્ઞાનીપુરુષના દર્શન કરવાથી આત્માર્થીને પોતાના આત્મામાં કેટલી શક્તિ રહેલી છે તેનો ખ્યાલ આવે છે. જ્ઞાની પુરુષો આપણા માટે પ્રગટ આદર્શ છે, અરીસા જેવા છે. અરીસામાં જોઈને જેમ ડાઘ દૂર કરાય છે તેમ જ્ઞાનીપુરુષનું જીવન જોઈ પોતાના વિષયકષાયના ડાઘોને દૂર કરી ભવ્યાત્મા મુક્તિને સહજમાં સાધ્ય કરે છે. ||૧૪ શિશુ જો સિંહનું હોય અજા-ગચ્છે છતાં દેખે બીજો કેસરી વને જ્યારે, ખરી નિજ જાતને પેખે. ૧૫ અર્થ - સિંહનું બચ્ચું અજા-ગચ્છે એટલે બકરાના ટોળામાં હોય અને પોતાને પણ બકરું માનતું હોય પણ જ્યારે વનમાં બીજા કેસરી સિંહને જુએ ત્યારે તે પોતાની ખરી જાતને ઓળખી શકે છે. તેમ જ્ઞાનીપુરુષના પવિત્ર જીવનથી આપણે પોતાની જાતને ઓળખી શકીએ છીએ કે હું પણ પુરુષાર્થ કરીને
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy