SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કન્યા આપી. તેથી ત્યાં અતિ પૂજ્યપણાને પામ્યો. ૧૯ સત્યભામા સુનામની કન્યા બુદ્ધિશાળી રે, પતિ પરમેશ્વર માનતી, સેવા કરે રસાળી રે. ૬૦ અર્થ - સત્યભામા નામની તે કન્યા બુદ્ધિશાળી હતી. તે પતિને પરમેશ્વર માનતી અને તેની ભાવપૂર્વક સેવા કરતી હતી. /૬૦ાા નાટક જોવા પતિ ગયો, થયું માવઠું ત્યારે રે, કપડાં કોરાં લઈ જાએ રાહ સતી નિજ ધારે રે. ૬૧ અર્થ :- એકવાર નાટક જોવા સત્યભામાનો પતિ કપિલ ગયો. ત્યારે વરસાદનું માવઠું થયું. તે વખતે હાથમાં કોરા કપડાં લઈને સતી સત્યભામા પોતાના ઘરના દ્વાર ઉપર ઊભી પતિની રાહ જોતી હતી. ૬૧ાા કપિલ નગ્ન રાતે થઈ કપડાં કાપે રાખી રે, દોડી ઘેર ગયો અને કહે સ્ત્રીને, “વિદ્યાથી રે-૬૨ અર્થ:- તે વખતે વરસાદના કારણે કપિલ રાતના નગ્ન થઈ કપડાં કાખમાં સમેટી દોડતો દોડતો પોતાને ઘેર આવ્યો અને સ્ત્રીને કહેવા લાગ્યો કે મારી વિદ્યાનો પ્રભાવ જો. Iકરા કપડાં મુજ પલળ્યાં નથી'; પણ અજવાળે દેખે રે શરીર પલળેલું બધું, નગ્ન થયેલો લેખે રે. ૬૩ અર્થ :- કપિલ કહે : મારી વિદ્યાના બળે જો કપડાં પલળ્યાં નથી. પણ સત્યભામાએ અજવાળામાં તેનું બધું શરીર પલળેલું જોયું. તેથી તેને નગ્ન થઈને ઘર પાસે આવી કપડાં પહેરેલા છે એમ જાણ્યું. ૬૩. ઉત્તમ જનને ના સૂઝે આવી વૃત્તિ નીચી રે, સંશય મનમાં તે ઘરે, મનોવૃત્તિ થઈ ઊંચી રે. ૬૪ અર્થ - જો આ ઉત્તમ કુળનો હોય તો રાત્રે પણ વરસાદમાં નગ્ન થઈને ઘેર આવવાની નીચ વૃત્તિ સૂઝે નહીં. આમ સત્યભામાના મનમાં શંકા થવાથી કપિલ પ્રત્યે તેનું મન ઊંચુ થઈ ગયું. ૬૪ નિર્ણન કપિલ-પિતા સુણે, કપિલ થયો ઘનવાળો રે, રત્નપુરમાં આવતાં, થયો કપિલ ભયવાળો રે- ૬૫ અર્થ - હવે બીજા અચળ નામના ગામે રહેલા કપિલના નિર્ધન બ્રાહ્મણ પિતાએ સાંભળ્યું કે પુત્ર કપિલ ઘનવાન બની ગયો છે. તેથી તે રત્નપુર આવ્યો. તે જાણી કપિલનું મન ભયવાળું થયું. ૬પાા રખે! વાત સાચી થતાં પ્રગટ, કપટ જગ જાણે રે,” માટે રાજી રાખવા બહુમાન કરે આ ટાણે રે. ૬૬ અર્થ - રખેને મારી દાસીપુત્રવાળી સાચી વાત પ્રગટ થાય તો લોકો મને કપટવાળો જાણશે. માટે બ્રાહ્મણ પિતાને રાજી રાખવા તેમનું ઘણું બહુમાન કરવા લાગ્યો. દુકા વિનય ઘણો દેખાડતો, જાદી રસોઈ બનાવી રે, સંશય સ્ત્રીનો ત્યાં વધ્યો, ઘન દઈ પૂંછે મનાવી રે. ૬૭
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy