SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૨૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.” (વ.પૃ.૪૫૧) ર૪ જીંવ બારે કષાય ગયા વિના, લે મુનિ-વેષ જે અજ્ઞ રે, તે તરી શકે ના નિજ બળે, જ્ઞાની મળે અને સુજ્ઞ રે. શ્રી રાજ અર્થ - અનંતાનુબંધી કષાયની ચોકડી તથા અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયની ચોકડી, એમ સર્વ મળી બારે કષાય ગયા વિના જે અજ્ઞાની જીવ મુનિવેષને ઘારણ કરે છે તે પોતાના આત્મબળે તરી શકે નહીં. પણ જ્ઞાની મળવાથી તે સુજ્ઞ એટલે સમ્યજ્ઞાનવાળો બની શકે છે. રપા ઘરે અભિનિવેશ વેશનો, તો ના લહે કલ્યાણ રે, છે મોહને હણવા વેશ ત્યાં આગ્રહ મોહ-મોકાણ રે. શ્રી રાજ, અર્થ – જે માત્ર સાધુવેષનો અભિનિવેશ એટલે આગ્રહ પકડી રાખે કે સાઘુવેષ ઘારણ કરવાથી જીવનો મોક્ષ થાય; તે આત્મકલ્યાણને પામી શકે નહીં. સાધુનો વેષ તે મોહને હણવા માટે સહાયકારી છે. તેથી વેષનો માત્ર આગ્રહ ન રાખતા આ મોહની-મોકાણ કરવાનો પ્રથમ આગ્રહ રાખવો કલ્યાણકારી છે; અર્થાતુ મોહ મરી ગયા પછી તેના પાછળની ક્રિયા કરી તે મોહને સાવ ભૂલવા યોગ્ય છે. In૨૬ાા દીક્ષા લીથાથી જ દુઃખ ટળે, એ પણ ભ્રાંતિ મહાન રે, શું દુઃખ ને દુઃખ-કારણો? કેમ ટળે? નથી ભાન રે. શ્રી રાજ, અર્થ - દીક્ષા લીઘાથી જ દુઃખ ટળે એ પણ જીવની મહાન ભ્રાંતિ છે. પ્રથમ તો દુઃખ શું? અને દુઃખના કારણો મિથ્યાત્વ વગેરે છે તે કેમ ટળે? તેનું જ જીવને ભાન નથી. તો દીક્ષા કેવી રીતે ફળીભૂત થાય? પારણા કલ્યાણ શું? શાથી પામીએ? તેના જ કરો વિચાર રે, રે! અનંત કાળથી ભૂલ તે, થતી આવી નિર્ધાર ૨. શ્રી રાજ અર્થ - કલ્યાણ એટલે શું? અને તે કેવી રીતે પામીએ. તેનો જ વારંવાર વિચાર કરવો જોઈએ. અરે આશ્ચર્ય છે કે અનંતકાળથી આવી ભૂલ થતી આવી છે. માટે હવે તે વાતને ખૂબ વિચારી પગલું ભરવું જોઈએ. “દીક્ષા લેવા વારંવાર ઇચ્છા થતી હોય તોપણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં અનંતકાળ થયાં ભૂલ થતી આવી છે, માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે.” (વ.પૃ.૩૫૦) // ૨૮. તે આ ભવે ટળે પ્રથમ તો જન્મ-પરંપરા જાય રે, ભ્રાંતિ સહિત પુરુષાર્થથી મોક્ષ કહો, કેમ થાય ?? શ્રી રાજ અર્થ :- અનાદિની ભૂલ પ્રથમ આ ભવમાં ટળે તો જન્મમરણની પરંપરાનો અંત આવે. પણ હજુ સુધી જીવને પોતાના આત્માનું ભાન થયું નથી, આત્મભ્રાંતિ ટળી નથી. તો ભ્રાંતિસહિત પુરુષાર્થ કરવાથી જીવનો મોક્ષ કહો કેવી રીતે થાય? ારા સાચી સમજ ઘારી, ટાળવા સૌ પરિગ્રહ-આરંભ રે, ના ટળે ત્યાં ઉદાસીનતા, પુરુષાર્થ કરો, ન દંભ ૨. શ્રી રાજ,
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy