SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૪) મુનિ-ઘર્મ-યોગ્યતા ૩ ૨ ૩ પર ઘારણ કરીને નિશ્ચિંત રહો. પણ શંકામાં ગળકા ખાઈ ગભરાશો નહીં. એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આપણને પ્રેમપૂર્વક ભલામણ કરે છે. સર્વનો સરળ ઉપાય એક સદ્ગુરુ ભગવંતની સેવા છે. માટે હે સજ્જન કે શાણાપુરુષો તેમની આજ્ઞાને ભાવપૂર્વક ઉપાસી સદા નિઃશંક રહો. ૩૬ાા. પરધર્મની આકાંક્ષા તજી, વીતરાગે બોઘેલા આત્મઘર્મને પામવા માટે અથવા સંપૂર્ણ વીતરાગદશા પામવા અર્થે, મુનિઘર્મ પાળવાની યોગ્યતા મેળવવાની આવશ્યક્તા છે; કે જેથી શીધ્ર આ દુઃખદ સંસારનો અંત આવે. હવે મુનિઘર્મ શું? તે પાળવા કેવા પ્રકારની યોગ્યતા જોઈએ? તે કેવી રીતે પ્રાપ્ત થાય, વગેરેના ખુલાસા આ પાઠમાં કરવામાં આવ્યા છે, તે નીચે પ્રમાણે છે : (૮૪) મુનિ-ઘર્મ-યોગ્યતા (રાગ સારંગ શાંતિ જિન એક મુજ વિનતિ–એ રાગ) શ્રી રાજચંદ્ર ગુરુવર-પદે પ્રણમું હું ઘરી ભાવ રે, મુનિપદની દેજો યોગ્યતા, જે છે ભવજલધિ નાવ ૨. શ્રી રાજ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના ચરણકમળમાં પરમભક્તિભાવ સહિત હું પ્રણામ કરું છું. હે પ્રભુ! મને મુનિપદ પ્રાપ્ત કરવાની યોગ્યતા આપજો કે જે ભવજલથિ એટલે સંસારરૂપી સમુદ્ર તરવા માટે નાવ સમાન છે. મુન ઘાતુ ઉપરથી મૌન, અને મૌન ઉપરથી મુનિ શબ્દ બનેલ છે. “ઘણું કરીને પ્રયોજન વગર બોલવું નહીં તેનું નામ મુનિમણું' છે. મુનિઘર્મની યોગ્યતા મેળવવા અર્થે સર્વ પ્રથમ વૈરાગ્ય ઉપશમ જોઈએ અર્થાત્ સંસાર, શરીર અને ભોગો પ્રત્યે વૈરાગ્યભાવ જોઈએ. તે પ્રાપ્ત થયે આત્મજ્ઞાન પ્રગટશે. પછી શ્રાવકની અગ્યાર પ્રતિમા કે દ્વાદશવ્રત આવશે. ત્યારબાદ મુનિઘર્મ અંગીકાર કરવાની યોગ્યતાને પામશે. સંસારમાં દુઃખ શું છે? અને દુઃખના મુખ્ય કારણો શું છે? તે સદ્ગુરુ બોઘે યથાર્થ જાણી, તેને દૂર કરવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીગુરુના આશ્રયે જે મુનિપદ અંગીકાર કરશે તે આ અનાદિ દુઃખમય સંસારનો શીધ્ર અંત આણશે. જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ‘બં સંમંતિ પાસ€ મોતિ પાસદ' - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ “આચારાંગસૂત્રમાં કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૫૩૭) I/૧ાા રાત્રિ વ્યતિક્રમી ગઈ, થયો નરભવરૂપ પ્રભાત રે, નિદ્રા પરિહરવા ટાળજો ભાવ-નિદ્રા હે! ભ્રાત રે. શ્રી રાજ અર્થ - ચોરાશી લાખ જીવયોનિમાં જ્યારે હું ભટકતો હતો ત્યારે તે રાત્રિ સમાન હતું. તે રાત્રિ વ્યતિક્રમી એટલે મટીને આ મનુષ્યભવ મળ્યો અને તેમાં પુરુષનો યોગ થયો તે પ્રભાત થયા સમાન
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy