SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૨) નિર્જરા-ક્રમ ૩૧ ૩ માર્ગાનુસારી-ગુણઘારી પાંચે લબ્ધિ પામે રે; "ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય, કરણ નામે રે. ૮ અર્થ - આ નિર્જરાનો અતિ ઉત્તમ ક્રમ જીવને મોક્ષમાર્ગ બતાવે છે. હવે સમકિત કોણ પામી શકે? તેની યોગ્યતા જણાવે છે. જે જીવ પંચેન્દ્રિય હોય, જેને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ પર્યાપ્તિ પૂરી થઈ હોય, જે સંજ્ઞી એટલે મનસહિત હોય, જે ભવ્ય હોય, જેને મોક્ષમાર્ગ અનુસરવાનો ભાવ હોય તથા ગુણોને ઘારણ કરનાર હોય એવો જીવ ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ એ પાંચ લબ્ધિને પામે છે. એટલી યોગ્યતા હોય ત્યારે જીવને સમકિત પ્રાપ્ત થાય છે. (૧) ક્ષયોપશમ લબ્ધિ- વિશુદ્ધભાવના બળે પૂર્વે બાંધેલા કર્મના રસ(ફળ)માં દરેક સમયે અનંતગણી હાનિ થતી જાય તેવી ભૂમિકા, એટલે કર્મ આકરું ફળ આપતાં હતાં તે મંદ થવા લાગે તેવી યોગ્યતા અને તેવો ભાવરૂપ પુરુષાર્થ. (૨) વિશુદ્ધિ લબ્ધિ- ઉપરના પુરુષાર્થના બળે ક્લિષ્ટ-ભારે કર્મ દૂર થતાં શાતા વગેરે શુભ કર્મબંઘનું નિમિત્ત બને, પાપ બંઘાય તેવા ભાવ પ્રત્યે વિરોઘભાવ અથવા અણગમો થાય. (૩) દેશના લબ્ધિ- યથાર્થ તત્ત્વનો ઉપદેશ, તેવો ઉપદેશ દેનાર આચાર્ય આદિની પ્રાપ્તિ તથા તેમણે ઉપદેશેલા અર્થને ગ્રહણ કરવાની, ઘારણ કરવાની અને વિચારણા કરવાની શક્તિની પ્રાપ્તિ થાય તેવી ભૂમિકા. (૪) પ્રાયોગ્ય લબ્ધિ- પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ ટૂંકી કરી કોડાકોડી સાગરોપમથી કંઈક ઓછી કરવી (અંતઃકોડાકોડી) અને નવા બંધાતા કમ પણ વિશુદ્ધ પરિણામના યોગે અંતઃકોડાકોડી સાગરથી વિશેષ લાંબી સ્થિતિના ન બંધાય તેવી દશા. આ ચાર ભૂમિકા અનંતવાર જીવ પ્રાપ્ત કરી ચૂક્યો છે.” -બોઘામૃત ભાગ-૩ પત્રાંક ૫૯૩ (પૃ.૫૪૧) (૫) કરણ લબ્ધિ–“તેમાં આગળ વઘતાં ગ્રંથિભેદ થાય. ગ્રંથિભેદ થાય ત્યારે ઉપશમ સમકિત થાય છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો છે. પણ તે લાયક જેવું નિર્મળ છે.” -બોઘામૃત ભાગ-૨ (પૃ.૨૨૨) Iટા કરણ-લબ્ધિ પણ છે ત્રણ ભેદેઃ યથાપ્રવૃત્તિ સુંઘી રે, ઘણી વાર ર્જીવ આવી ચૂક્યો વિના અપૂરવ શુદ્ધિ રે; અપૂર્વ, અનિવૃત્તિ બે કરણે પરિણામ-વિશુદ્ધિ રે વઘતાં, વઘતાં ઘણી નિર્જરા, થયે સમકિત-લબ્ધિ રે. ૯ અર્થ :- કરણ લબ્ધિ- તેના ત્રણ ભેદ છે, તેમાં પહેલું યથાપ્રવૃત્તિકરણ છે. ત્યાં સુધી જીવ અનંતીવાર આવ્યો છે. પણ અપૂર્વ ભાવશુદ્ધિને પામ્યો નહીં. તેથી મંદ પુરુષાર્થી થઈ પાછો પડી જાય છે. અથવા સમકિત થઈ ગયું એમ માની બેસે છે તેથી આગળ વધી શકતો નથી. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ બે કરણમાં અપૂર્વ ભાવની વિશુદ્ધિ વઘતા વઘતા જીવ ઘણી કર્મની નિર્જરા કરતો આગળ વધી સમ્યગ્દર્શનને પામે છે. પાલાા. કરણ-લબ્ધિમાં થાય નિર્જરા તેથી અસંખ્યગણી રેસમદ્રુષ્ટિ જીંવને ક્ષણ ક્ષણ થતી નિર્જરા, સુણી રે;
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy