SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૨) નિર્જરા-ક્રમ દ્રવ્ય નિર્જરા સર્વ ગતિમાં, હસ્તિ-સ્નાન ગણાતી રે; સ્થૂળ ઘોઈ ની ઘૂળ નાખતાં શુદ્ધિ તે ન મનાતી રે. ૧ અર્થ :– શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં પ્રણામ કરીને મારા ભાવોમાં રાગદ્વેષ ન થાય એવી ભાવ નિર્જરાનો ક્રમ આપ સમક્ષ યાચું છું. આપના અનુપમ વચનોને પામી મારું આત્મારૂપી રત્ન મોક્ષમાં જઈ બિરાજમાન થાય અથવા પોતાના સ્વભાવમાં સ્થિર થાય એમ ઇચ્છું છું. જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મોની નિર્જરા તો સર્વ ગતિમાં અનંતીવાર થઈ; પણ તે હસ્તિ-સ્નાનવત્ ગણાય છે. જેમ હાથી જળવડે જૂની ધૂળને ઘોઈ પાછી નવી સ્થૂળ પોતા પર નાખે તો ખરી શુદ્ધિ થઈ એમ મનાતું નથી. તેમ જીવ જૂના કર્મોની નિર્જરા કરતાં પાછા નવા કર્મો બાંધી લે છે. તેથી ખરી આત્મશુદ્ધિ થતી નથી, પણ સંસારનો સંસાર જ ઉદયમાં રહ્યા કરે છે અને જીવ મુક્ત થતો નથી. ।।૧।। કર્મ-ઉદય-કાળે વર્તે જો રાગાદિક વિકારો રે, તો ફળ દઈને કર્મ જતાં, પણ નવીન કર્મનો ભારો રે; આત્મા હલકો થાય નહીં, તો નહીં નિર્જરા લેખો રે, મોક્ષમાર્ગ ના પ્રગટ કરે તો દ્રવ્ય નિર્જરા પેખો રે. ૨ અર્થ :– કર્મના ઉદય સમયે જો રાગદ્વેષાદિ વિકારભાવો જીવમાં વર્તે તો જુના । કર્મો ફળ દઈને ખરી જાય છે, પણ નવા કર્મનો ભાર જીવ વધારી લે છે. તેથી આત્મા કર્મભારથી હલકો થતો નથી. તે કુવાના રેંટની જેમ પાણી ભરાય અને ખાલી થાય તેમ કરે છે. માટે તેને ખરી નિર્જરાનો હજુ લેખો એટલે લક્ષ થયો નથી. જે નિર્જરાવડે મોક્ષમાર્ગ પ્રગટ થાય નહીં તેને માત્ર દ્રવ્યકર્મની નિર્જરા પેખો એટલે જાણો. તે મોક્ષ આપી શકે નહીં. ।।૨।। આત્મવીર્યથી કર્મ-પ્રકૃતિ ઉદય થવા ના તો ના તેવી ન બંઘાતી; સંવરતા ત્યાં ભાવ નિર્જરા તેને ભાખી, દેવું નવું ન ઉદય-કર્મ અક્ષોભ ભાવથી અંશે ભોગવી લીધું રે. ૩ કીધું રે, દીથી રે, કીથી રે; ૩૧૧ અર્થ :— આત્માના વીર્યબળે, કર્મ પ્રકૃતિનો ઉદય થતાં જ્ઞાનઘ્યાનથી કે તપથી રાગદ્વેષના ભાવોને રોકી લે તો નવીન કર્મપ્રકૃતિનો બંધ થાય નહીં. તેને જ્ઞાનીપુરુષોએ સંવર તત્ત્વ કહ્યું છે. અને નવું કર્મનું દેવું ન કરતાં અંશે ઉદયમાં આવેલા કર્મોને અક્ષોભભાવે એટલે સમતાભાવે ભોગવીને ખપાવી લેવા તેને ભાવ નિર્જરા કહી છે. ગા ન જે અંશે રાગાદિ વર્તે બંધ-સંતતિ પોષે રે, સમ્યક્ જ્ઞાનાદિ જે અંશે કર્મ-મેલ તે ઘોશે રે મિશ્ર શુદ્ધતા એવી વર્તે રહે મોહ જ્યાં સુઘી રે, અયોગી ગુણસ્થાને પૂરી ભાવ નિર્જરા શુદ્ધિ ૨. ૪ અર્થ :— જેટલા અંશે ભાવોમાં રાગદ્વેષાદિ વિકારો છે તેટલા અંશે કર્મબંધની સંતતિને જ પોષણ મળશે. અને જેટલા અંશે સમ્યક્ જ્ઞાનદર્શનચારિત્રના બળે કર્મના ઉદયમાં જ્ઞાતાદૃષ્ટાપણું રહેશે તેટલા અંશે તે કર્મ-મેલને ઘોયા કરશે. જ્યાં સુધી મોહનીય કર્મનો સદ્ભાવ ત્યાં સુધી રાગાદિ કે જ્ઞાનાદિ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy