SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પ્રાવોધ-વિવેચન ભાગ-૨ અઘાતિયાં કર્મો વિષે શુભ ઉપયોગે પુણ્ય, અશુભ યોગે પાપ-બંધ, મિશ્રથી પુણ્યાપુણ્ય. ૨૯ અર્થ :— વેદનીયાદિ અઘાતીયા કર્મોમાં શુભ ઉપયોગથી શાતાવેદનીયાદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે અને અશુભ ઉપયોગથી અશાતાવેદનીય આદિ પાપ પ્રકૃત્તિઓનો બંધ થાય છે. તથા શુભાશુભ ભાવના મિશ્રણથી કોઈ પુણ્ય અને કોઈ પાપ પ્રકૃતિનો જીવને બંધ થાય છે. ા૨ા યોગ-નિમિત્તે કર્મનો આસ્રવ આવો થાય, યોગે પ્રકૃતિ, પ્રદેશ બે બંધ-પ્રકાર ગણાય. ૩૦ = અર્થ :— ઉપર પ્રમાણે મન વચનકાયાના યોગ નિમિત્તથી કર્મનો આસ્રવ એટલે આવવાપણું થાય છે. માટે યોગ છે તે આસવના હાર છે. યોગ દ્વારા ગ્રહણ કરાયેલા પુદ્ગલ પરમાણુઓનું નામ અહીં પ્રદેશ છે. તેઓ આત્મા સાથે મળી જુદી જુદી કર્મ પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે તેથી પ્રકૃતિબંઘ થયો. એમ મનવચનકાયાના યોગવડે પ્રદેશબંઘ અને પ્રકૃતિબંઘ થાય છે. માટે યોગથી બે પ્રકારે બંધ થયો એમ ગણાય છે. ૩૦ા નામ કર્મ-પરમાણુનું પ્રદેશ અહીં ગણાય, પ્રકૃતિ કર્મ-સ્વભાવરૂપ આઠ, અનંત મનાય. ૩૧ = અર્થ – યોગવડે જે કર્મ પરમાણુઓ આવ્યા તેનું નામ પ્રદેશ અહીં ગણાય છે. કર્મના સ્વભાવથી જોતાં તેની જ્ઞાનાવરણાદિ મુખ્ય આઠ પ્રકૃતિઓ છે તથા કર્મ પ્રમાણે જોતાં તેના અનંત પ્રકાર છે. “કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.’’ -શ્રીમદ્ રાજચંદ્ર ||૩૧|| મિથ્યાત્વ, ક્રોથાદિ થતા, મોઠ-ઉદયથી ભાવ, કષાય નામ બધાયનું; તેનો સુણો પ્રભાવ. ૩૨ = અર્થ :– મોહના ઉદયથી જીવને મિથ્યાત્વ અને ક્રોધાદિ કષાયના ભાવો થાય છે. એ સર્વનું સામાન્યપણે ‘કષાય’ એવું નામ છે. એ કષાયનો હવે પ્રભાવ સાંભળો. ।।૩૨।। કષાયથી કર્મો વિષે સ્થિતિ, રસ બંધાય; અમુક કાળ-અવધિ, સ્થિતિ; બે ભેઠે સમજાય. ૩૩ અર્થ :— કષાય પ્રમાણે કર્મ પ્રકૃતિઓમાં સ્થિતિબંધ અને રસબંઘ પડે છે. અમુક કાળની મર્યાદા તે સ્થિતિ કહેવાય છે. તેના અબાપાકાળ અને ઉદયકાળ એમ બે ભેદ છે. ।।૩૩। અબાધારૂપ જે સ્થિતિ, વાવ્યા ઘાન્ય સમાન; જર્મીન નીચે પલળી રહે ઊગ્યા અગાઉ માન; ૩૪ અર્થ :— અબાધારૂપ કર્મની જે સ્થિતિ છે તે વવાયેલા ધાન્ય સમાન છે. જેમ ઘાન ઊગ્યા પહેલાં જમીનમાં નીચે પલળી રહે, તેના સમાન છે. તે તેનો અબાધાકાળ છે. ।।૩૪।। ઊગવારૂપ ઉદય-સ્થિતિ, તે પૂરી ના થાય ત્યાં સુધી પરમાણુનો પ્રવાહ આવ્યો જાય. ૩૫
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy