SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૮) સુક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ મુક્ત અર્થ :— ઉપરોક્ત કર્મબંઘ અને તેથી મુક્તિના વિચારો સૌ ગહન છે. માટે આત્માને કર્મોથી કરવાના વિચારો વારંવાર ક્ષણે ક્ષણે મનન કરે તો આત્મવિચાર વૃદ્ધિને પામશે. ।।૨૨।। થાય અનુભવ અંશે અંશે સ્વ-સ્વરૂપનો તેથીજી, સ્વરૂપ-અનુભવ વધતાં જાણે અચિંત્ય દ્રવ્યની શક્તિજી, સુક્ષ્મ અર્થ :— એમ વારંવાર આત્મવિચાર કરવાથી પોતાના આત્મ સ્વરૂપનો અંશે અંશે અનુભવ થશે. ને અનુભવ આગળ વધતાં આત્મદ્રવ્યની અચિંત્ય શક્તિનો તેને ખ્યાલ આવશે. ।।૨૩। સમાઘાન સૌ શંકાનું ત્યાં વગર પ્રયત્ન થાશેજી, ના માનો તો આ પુરુષાર્થે અનુભવથી સમજાશેજી, સૂક્ષ્મ અર્થ :– આત્મ અનુભવ થવાથી સર્વે શંકાઓનું સમાધાન વગર પ્રયત્ન થશે. કોઈ વાત માનવામાં ન આવતી હોય તો ઉપર પ્રમાણે આત્મઅનુભવ કરવાનો પુરુષાર્થ કરવો. જેથી તે અનુભવમાં આવી જીવને સમજાઈ જશે. ૨૭૫ “તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે, થોડા આકાશમાં અનંત જીવનું સમાવું, અથવા અનંત પુદ્ગલ ૫૨માણુનું સમાવું)નું કરવાપણું રહેતું નથી; અને તે યથાર્થ છે એમ સમજાય છે. તે છતાં પણ જો માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તો જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલો પુરુષાર્થ કરવામાં આવ્યેથી અનુભવસિદ્ધ થશે.” (પૃ.૭૪૭) ||૨૪|| રાગ-રોષ છોડ્યાથી ખાત્રી સૌ સિદ્ધાંતની થાશેજી, સર્વ પ્રકારે છૂટે તો જીવ મોક્ષે પોતે જાશેજી. સૂક્ષ્મ અર્થ – રાગદ્વેષને મંદ કરી શાનીપુરુષોએ કહેલા શાસ્ત્રો વૈરાગ્ય ઉપશમ સહિત વાંચવા વિચારવાથી છ પદ, નવ તત્ત્વ વગેરે સર્વ સિદ્ધાંતોની જીવને ખાત્રી થશે. તેથી સમ્યક્દર્શનની પ્રાપ્તિ થશે. “તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યક્દર્શનમ્” તત્ત્વોની શ્રદ્ધા એ સમકિત છે. સર્વ પ્રકારે રાગદ્વેષનો નાશ થાય તો જીવ સ્વયં મોક્ષપદને પામશે. I॥૨૫॥ નવ તત્ત્વો કે સાત તત્ત્વની, છ પદ, છ દ્રવ્યની વાતોજી, જીવ-જીવ બે દ્રવ્ય કે તત્ત્વ, સાર બધોય સમાતોજી. સૂક્ષ્મ કે અર્થ :— નવ તત્ત્વ કે સાત તત્ત્વની, છ પદની કે છ દ્રવ્યની વાતોનો બધો સાર જીવદ્રવ્ય કે અજીવદ્રવ્ય એ બે તત્ત્વોમાં સમાય છે. આત્મા જીવ દ્રવ્ય છે બાકી બધા અજીવ દ્રવ્ય છે. ।।૨૬। સિદ્ધાંત સમજજો સદુપદેશે, એકાન્તે નિઠ આરોજી, સૂક્ષ્મ વિચારે સૂક્ષ્મ તત્ત્વ સૌ સમજ્યું સદ્ આચારોજી. સૂક્ષ્મ અર્થ :– ભગવાનના કહેલા તત્ત્વ સિદ્ધાંતોને શાનીપુરુષના બોઘના આધારે સમજજો. એકાન્ત વસ્તુ સ્વરૂપ માનવાથી સંસાર સમુદ્રનો કિનારો આવે એમ નથી. પણ ભગવાનના કહેલા છ દ્રવ્ય, સાત તત્ત્વ કે છ પદ આદિ સુક્ષ્મ તત્ત્વોને સૂક્ષ્મ વિચારે સ્યાદ્વાદવડે સમજવાથી સચાર એટલે સભ્યશ્ચારિત્રનો ઉદય થશે. IIરજ્ઞા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy